રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગામડાની શાળાઓની કરી મુલાકાત, બાળકો સાથે માણ્યો મધ્યાહ્ન ભોજનનો સ્વાદ


  • Published By :
  • Published Date : 2023-08-03 20:51:35

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારાહ ગામ અને રાજુલાના બાબરકોટા ગામની શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ બાળકો સાથે વાત કરી હતી અને તેમની સાથે મધ્યાહ્ન ભોજન પણ માણ્યું હતું. પ્રફુલ પાનસેરિયાએ શાળામાં શિક્ષકો સાથે પણ વાત કરી હતી અને બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો. બાળકો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે હજુ પણ શાળામાં કયા પ્રશ્નો છે જેનો સામનો નાના ભૂલકાઓ કરી રહ્યા છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય પણ તેમની સાથે હાજર રહ્યા હતા. 


મંત્રી વાતાકુલિન કાર્યાલયમાંથી બહાર નીકળી રહ્યા છે

એક બાજુ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ઘણી સમસ્યાઓ છે, તેની વચ્ચે મંત્રી દરજ્જાના નેતાઓ ગાંધીનગરની વાતાકુલિન કાર્યાલયોમાંથી બહાર નીકળીને અંતરિયાળ વિસ્તારની શાળામાં પહોંચે તો તે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે સારી નિશાની કહી શકાય. કારણ કે ગુજરાતમાં શિક્ષણ મામલેની સમસ્યાઓનું વર્ષોથી કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવ્યું જેના કારણે અત્યારે શિક્ષણ વ્યવસ્થામાં સમસ્યાઓનો ભરાવો થઈ ગયો છે. પણ આવી પરિસ્થિતિની વચ્ચે જ્યારે મંત્રીઓ સમસ્યાઓ જાણવા અને તેનું નિરાકરણ શું હોય શકે તે ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે ગામડાઓની શાળામાં ફરવા નીકળે તો આ તેમનો સારો પ્રયાસ કહી શકાય. ખેર મુલાકાત તો મંત્રીએ કરી લીધી છે પરંતુ સ્થાનિક ગામડાઓની સમસ્યા મામલે મંત્રીની નજરે જોયેલા અનુભવો ગુજરાત સરકાર સુધી પહોંચે તો રાજ્ય માટે સારી વાત કહેવાય.


"એક મહિનાની અંદર રાજ્યના તમામ શિક્ષકોની ઘટ પૂરી કરાશે"

મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પત્રકારો સાથે વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "રાજુલા અને જાફરાબાદ એમ બે તાલુકાની શાળામાં મેં પ્રવાસ કર્યો છે. આ કોઈ ઓચિંતી મુલાકાત ન હતી છતાં પણ મારે જોવું હતું કે શિક્ષકો શું કામ કરી રહ્યા છે. અમારા શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ગામડામાં શિક્ષકો અને બાળકો સાથે સંવાદ કરીને જાણવું હતું કે તેમને શું મળી રહ્યું છે અને તેમને શું ઘટી રહ્યું છે. જો બાળકોને શાળામાં કંઈ ઘટતું હોય તો તેમાં શું કરી શકાય તે મામલે અમે માહિતી મેળવી હતી. ગામડાની શાળામાં તમામ ક્ષતિ સુધારી શકાય તેના માટે આ નાની મુલાકાત હતી. બાળકોના સારા ભવિષ્ય માટે કંઈ ઉણપ લાગે તો તેમાં સરકાર મદદ કરી શકે તેના માટે અમેં પ્રાથમિક શાળાની અને નાના ભૂલકાઓની મુલાકાત લીધી હતી. તમામ શાળામાં શિક્ષકોની ઘટ લગભગ એક મહિનામાં પૂર્ણ થવાની છે."



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.