રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગામડાની શાળાઓની કરી મુલાકાત, બાળકો સાથે માણ્યો મધ્યાહ્ન ભોજનનો સ્વાદ


  • Published By :
  • Published Date : 2023-08-03 20:51:35

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારાહ ગામ અને રાજુલાના બાબરકોટા ગામની શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ બાળકો સાથે વાત કરી હતી અને તેમની સાથે મધ્યાહ્ન ભોજન પણ માણ્યું હતું. પ્રફુલ પાનસેરિયાએ શાળામાં શિક્ષકો સાથે પણ વાત કરી હતી અને બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો. બાળકો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે હજુ પણ શાળામાં કયા પ્રશ્નો છે જેનો સામનો નાના ભૂલકાઓ કરી રહ્યા છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય પણ તેમની સાથે હાજર રહ્યા હતા. 


મંત્રી વાતાકુલિન કાર્યાલયમાંથી બહાર નીકળી રહ્યા છે

એક બાજુ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ઘણી સમસ્યાઓ છે, તેની વચ્ચે મંત્રી દરજ્જાના નેતાઓ ગાંધીનગરની વાતાકુલિન કાર્યાલયોમાંથી બહાર નીકળીને અંતરિયાળ વિસ્તારની શાળામાં પહોંચે તો તે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે સારી નિશાની કહી શકાય. કારણ કે ગુજરાતમાં શિક્ષણ મામલેની સમસ્યાઓનું વર્ષોથી કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવ્યું જેના કારણે અત્યારે શિક્ષણ વ્યવસ્થામાં સમસ્યાઓનો ભરાવો થઈ ગયો છે. પણ આવી પરિસ્થિતિની વચ્ચે જ્યારે મંત્રીઓ સમસ્યાઓ જાણવા અને તેનું નિરાકરણ શું હોય શકે તે ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે ગામડાઓની શાળામાં ફરવા નીકળે તો આ તેમનો સારો પ્રયાસ કહી શકાય. ખેર મુલાકાત તો મંત્રીએ કરી લીધી છે પરંતુ સ્થાનિક ગામડાઓની સમસ્યા મામલે મંત્રીની નજરે જોયેલા અનુભવો ગુજરાત સરકાર સુધી પહોંચે તો રાજ્ય માટે સારી વાત કહેવાય.


"એક મહિનાની અંદર રાજ્યના તમામ શિક્ષકોની ઘટ પૂરી કરાશે"

મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પત્રકારો સાથે વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "રાજુલા અને જાફરાબાદ એમ બે તાલુકાની શાળામાં મેં પ્રવાસ કર્યો છે. આ કોઈ ઓચિંતી મુલાકાત ન હતી છતાં પણ મારે જોવું હતું કે શિક્ષકો શું કામ કરી રહ્યા છે. અમારા શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ગામડામાં શિક્ષકો અને બાળકો સાથે સંવાદ કરીને જાણવું હતું કે તેમને શું મળી રહ્યું છે અને તેમને શું ઘટી રહ્યું છે. જો બાળકોને શાળામાં કંઈ ઘટતું હોય તો તેમાં શું કરી શકાય તે મામલે અમે માહિતી મેળવી હતી. ગામડાની શાળામાં તમામ ક્ષતિ સુધારી શકાય તેના માટે આ નાની મુલાકાત હતી. બાળકોના સારા ભવિષ્ય માટે કંઈ ઉણપ લાગે તો તેમાં સરકાર મદદ કરી શકે તેના માટે અમેં પ્રાથમિક શાળાની અને નાના ભૂલકાઓની મુલાકાત લીધી હતી. તમામ શાળામાં શિક્ષકોની ઘટ લગભગ એક મહિનામાં પૂર્ણ થવાની છે."



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.