રાજ્ય GST વિભાગનો સપાટો, 4 શહેરોના 53 સ્થળોએ આવેલી ઈમિગ્રેશન પેઢીઓ પર દરોડા


  • Published By :
  • Published Date : 2023-08-11 21:57:30

રાજ્ય GST વિભાગે વિદ્યાર્થીઓને મોકલવા માટે ઈમિગ્રેશનની હાટડીઓ ચલાવતા લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી કરી છે. રાજ્ય GST વિભાગે ગુજરાતના 53 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરાઈ છે. ઇમિગ્રેશન પેઢીઓ વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી લઈને પૂરી રકમની રિસિપ્ટ નથી આપતી. રોકડમાં મેળવેલી રકમ ચોપડે નહીં દર્શાવી કરચોરી થતી હોવાનો ખુલાસો થયો છે. ઇમિગ્રેશન પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાય છે. આવી પેઢીઓ ફોરેન યુનિવર્સિટી દ્વારા મોટી રકમનું કમિશન પણ મેળવે છે. IELTS જેવી પરીક્ષાઓ માટે ઈમિગ્રેશન પેઢીઓ દ્વારા કોચિંગ પણ અપાય છે. છેલ્લા ઘણા સમયથી મળી રહેલી ફરિયાદો બાદ રાજ્ય GST અંતે સપાટો બોલાવ્યો હતો.


માર્કેટ ઈન્ટેલીજન્સ અને સિસ્ટમ બેઝ્ડ એનાલિસીસના આધારે કાર્યવાહી


રાજ્ય GST વિભાગ દ્વારા માર્કેટ ઈન્ટેલીજન્સ અને સિસ્ટમ બેઝ્ડ એનાલિસીસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે GST વિભાગને ધ્યાને આવ્યુ કે ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે ILTS જેવી પરીક્ષા માટે કોચીંગ આપવામાં આવતુ હોય છે. આ કોચીંગ માટે સેવા આપનાર પેઢીઓ પાસેથી તગડી ફી વસુલતી હોય છે. પરંતુ વસુલવામાં આવતી પુરી રકમની રિસિપ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી. ઈમીગ્રેશનને લગતી સેવાઓ અને મળેલ ફીની રિસિપ્ટના હિસાબી વ્યવહારો પર વેરાકીય જવાબદારી કાયદાની જોગવાઈ મુજબ અદા કરવામાં આવે છે કે કેમ તે અંગે હિસાબી સાહિત્યની ચકાસણીની કાર્યવાહી શરૂ છે. પ્રાથમિક ચકાસણીમાં બિન હિસાબી રોકડ વ્યવહારોની વિગતો મળી આવી છે.


ઈમિગ્રેશનના નામે તગડી ફી વસુલે છે પેઢીઓ


ફોરેન યુનિવર્સિટીઓ દ્વારા ઈમિગ્રેશન પેઢીઓને મોટી રકમનું કમિશન પણ મળતુ હોય છે. આ રોકડમાં મેળવેલ આવકો ચોપડે નહીં દર્શાવી વેરો ભરવાનું ટાળવામાં આવતુ હોય છે. રાજ્યભરની આવી ઈમિગ્રેશન અને ફોરેન યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા સાથે સંકળાયેલી કુલ 22 પેઢીઓના 53 સ્થળોએ રાજ્યભરમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.