જૂનાગઢમાં Republic Dayની કરાઈ રાજ્યકક્ષાની ઉજવણી, આચાર્ય દેવવ્રતે ધ્વજ ફરકાવ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 10:38:28

26 જાન્યુઆરી તેમજ 15 ઓગસ્ટના દિવસે લોકોમાં રહેલી દેશભક્તિ ચરમસીમાએ હોય છે. દેશ માટે કંઈ કરી દેખાડવાની ભાવના આ દિવસો દરમિયાન જોવા મળતી હોય છે. આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આ વખતે મુખ્ય અતિથિ બન્યા છે. રાજ્યકક્ષાએ આ તહેવારની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગુજરાતના રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજારોહણ 

દેશ આજે 75મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્યપાલે આ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. ગુજરાત પોલીસના જવાનો વિવિધ કરતબોનું પ્રદર્શન કરી રહ્યા છે. 256 જવાનોએ 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કર્યો હતો. ધ્વજવંદન બાદ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, અશ્વ તેમજ શ્વાન દળનો શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.


અલગ અલગ જગ્યાઓ પર કરાશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી 

રાજ્યકક્ષાની ઉજવણી ભલે જૂનાગઢમાં થઈ રહી છે પરંતુ અલગ અલગ જગ્યાઓ પર નેતાઓએ, અધ્યક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર વિધાનસભા અધ્યક્ષ શંકરચૌધરી ગાંધીનગરમાં આ દિવસની ઉજવણી કરશે. પંચમહાલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેક્ટર વિવિધ જિલ્લા મથકો ખાતે આ દિવસની ઉજવણી કરશે. જમાવટ પરિવાર તરફથી આપ સર્વેને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.. જય હિંદ.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.