જૂનાગઢમાં Republic Dayની કરાઈ રાજ્યકક્ષાની ઉજવણી, આચાર્ય દેવવ્રતે ધ્વજ ફરકાવ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 10:38:28

26 જાન્યુઆરી તેમજ 15 ઓગસ્ટના દિવસે લોકોમાં રહેલી દેશભક્તિ ચરમસીમાએ હોય છે. દેશ માટે કંઈ કરી દેખાડવાની ભાવના આ દિવસો દરમિયાન જોવા મળતી હોય છે. આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આ વખતે મુખ્ય અતિથિ બન્યા છે. રાજ્યકક્ષાએ આ તહેવારની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગુજરાતના રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજારોહણ 

દેશ આજે 75મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્યપાલે આ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. ગુજરાત પોલીસના જવાનો વિવિધ કરતબોનું પ્રદર્શન કરી રહ્યા છે. 256 જવાનોએ 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કર્યો હતો. ધ્વજવંદન બાદ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, અશ્વ તેમજ શ્વાન દળનો શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.


અલગ અલગ જગ્યાઓ પર કરાશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી 

રાજ્યકક્ષાની ઉજવણી ભલે જૂનાગઢમાં થઈ રહી છે પરંતુ અલગ અલગ જગ્યાઓ પર નેતાઓએ, અધ્યક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર વિધાનસભા અધ્યક્ષ શંકરચૌધરી ગાંધીનગરમાં આ દિવસની ઉજવણી કરશે. પંચમહાલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેક્ટર વિવિધ જિલ્લા મથકો ખાતે આ દિવસની ઉજવણી કરશે. જમાવટ પરિવાર તરફથી આપ સર્વેને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.. જય હિંદ.. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.