યોગમય બન્યું સુરત! સુરતમાં રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી, સીએમ તેમજ હર્ષ સંઘવીએ કર્યો યોગ, સર્જ્યો અનોખો રેકોર્ડ, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-21 11:13:18

વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે કરવામાં આવી હતી. યોગ કરવા માટે વહેલી સવારથી લોકો ઉમટી પડ્યા હતા. શહેરના ડુમસ રોડ ખાતે યોગ કરવા 1.50 લાખ લોકો એકત્રિત થયા હતા. યોગ કરવા બાળકો, યુવાનો તેમજ સિનિયર સિટીઝનો આવ્યા હતા. એક જગ્યાએ એક સાથે 1.50 લાખ લોકોએ યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.


સુરત ખાતે થઈ રાજ્યકક્ષા યોગ દિવસની ઉજવણી 

દર વર્ષે અલગ અલગ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષની થીમ છે વસુધૈવ કુટુંમબક્મ છે. અલગ અલગ જગ્યાઓ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે કરવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. યોગ કરવા વહેલી સવારથી લોકો આવી પહોંચ્યા હતા. લોકોને કોઈ અગવડ ના પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. 125 બ્લોક તૈયાર કરવામાં આવ્યા હતા. એક બ્લોકમાં એક હજાર લોકોનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક બ્લોક નજીક સ્ક્રીન તેમજ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. 


યોગ કરવા સીએમે કર્યું આહ્વાહન!    

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. ટ્વિટ કરી રાજ્યના લોકોને આ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટમાં તેમણે લખ્યુ કે 'યોગ માત્ર શારીરિક કસરત નથી,એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ. યોગ કરવા મુખ્યમંત્રીએ આહ્વાહન કર્યું છે. તે સિવાય હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું પહેલા સુખ નિરોગી કાયા ઔર કરોગે યોગ તભી તો સંવરેગી કાયા.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.