યોગમય બન્યું સુરત! સુરતમાં રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી, સીએમ તેમજ હર્ષ સંઘવીએ કર્યો યોગ, સર્જ્યો અનોખો રેકોર્ડ, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-21 11:13:18

વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે કરવામાં આવી હતી. યોગ કરવા માટે વહેલી સવારથી લોકો ઉમટી પડ્યા હતા. શહેરના ડુમસ રોડ ખાતે યોગ કરવા 1.50 લાખ લોકો એકત્રિત થયા હતા. યોગ કરવા બાળકો, યુવાનો તેમજ સિનિયર સિટીઝનો આવ્યા હતા. એક જગ્યાએ એક સાથે 1.50 લાખ લોકોએ યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.


સુરત ખાતે થઈ રાજ્યકક્ષા યોગ દિવસની ઉજવણી 

દર વર્ષે અલગ અલગ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષની થીમ છે વસુધૈવ કુટુંમબક્મ છે. અલગ અલગ જગ્યાઓ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે કરવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. યોગ કરવા વહેલી સવારથી લોકો આવી પહોંચ્યા હતા. લોકોને કોઈ અગવડ ના પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. 125 બ્લોક તૈયાર કરવામાં આવ્યા હતા. એક બ્લોકમાં એક હજાર લોકોનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક બ્લોક નજીક સ્ક્રીન તેમજ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. 


યોગ કરવા સીએમે કર્યું આહ્વાહન!    

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. ટ્વિટ કરી રાજ્યના લોકોને આ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટમાં તેમણે લખ્યુ કે 'યોગ માત્ર શારીરિક કસરત નથી,એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ. યોગ કરવા મુખ્યમંત્રીએ આહ્વાહન કર્યું છે. તે સિવાય હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું પહેલા સુખ નિરોગી કાયા ઔર કરોગે યોગ તભી તો સંવરેગી કાયા.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.