અમદાવાદના કુખ્યાત બુટલેગરના ઘર પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 4.74 લાખનો દારૂ ઝડપ્યો, 3 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-06-26 18:33:06

ગુજરાતમાં દારૂબંધી માત્ર પોલીસના ચોપડામાં જ રહી ગઈ છે. રાજ્યના દરેક નાના-મોટા શહેરો અને ગામોમાં પણ દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર પણ દારૂની બદીને જડમૂળથી દુર કરવા માટે કટિબધ્ધ છે. જો કે બુટલેગરો પોલીસ તંત્રમાં ફેલાયેલો વ્યાપક ભ્રષ્ટાચારનો ફાયદો ઉઠાવીને ધીકતો ધંધો કરી રહ્યા છે. અમદાવાદમાં આજે ફરી એકવાર સ્ટેટ મનોટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો મોટાપાયે વેપલો કરનારા કુખ્યાત બુટલેગરના ત્યાં દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે.


SMCની ટીમે ગોમતીપુરમાં પાડી રેડ 


ગાંધીનગરથી સ્ટેટ મનોટરિંગ સેલે બુટલેગરોને પકડવા શરૂ કરેલી કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદના ગોમતીપુર વિસ્તારના કુખ્યાત બુટલેગરના ઘરે રેડ કરીને દેશી બનાવટના ઇંગ્લીશ દારૂની 2758 બોટલ અને 516 બિયરની ટીનનો જથ્થા કબજે કર્યો છે. SMCની ટીમ દ્વારા ગોમતીપુર વિસ્તારમાંથી 4.74 લાખનો દારૂ પકડવામાં આવ્યો છે.  SMCની ટીમે આરોપી વિનોદ રાણા, દિલીપ ડોડિયા તેમજ એક સગીરની ધરપકડ કરી છે. 


ઘરના ગુપ્ત ભોંયરામાં છુપાવ્યો હતો દારૂ


સ્ટેટ મનોટરિંગ સેલને બાતમી મળી હતી કે, ગોમતીપુરના ભોગીલાલની ચાલીમાં રહેતો કુખ્યાત બુટલગેર હુસેન પોતાની પાસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે અને તેના ઘરમાં જ વિદેશીદારૂ સંતાડ્યો છે. જે બાતમીના અધારે ગઈકાલે રાત્રિએ 10 વાગ્યાના અરસામાં બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. તે દરમિયાન કોઈ દારૂનો જથ્થો દેખાયો ન હતો, પરંતુ બાતમી ચોક્કસ હોવાથી બેડરૂમના પલંગ નીચે તપાસ કરતા ભોંયરુ જોવા મળ્યુ હતું. ભોંયરામાં મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMCની આ રેડમાં અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા, કેમકે આ પ્રકારે ઘરમાં ભોંયરું અને ગુપ્ત જગ્યા બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો.  આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કેટલા લોકો તેમની સાથે જોડાયેલા છે તે અંગે SMC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.