અમદાવાદના કુખ્યાત બુટલેગરના ઘર પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 4.74 લાખનો દારૂ ઝડપ્યો, 3 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-06-26 18:33:06

ગુજરાતમાં દારૂબંધી માત્ર પોલીસના ચોપડામાં જ રહી ગઈ છે. રાજ્યના દરેક નાના-મોટા શહેરો અને ગામોમાં પણ દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર પણ દારૂની બદીને જડમૂળથી દુર કરવા માટે કટિબધ્ધ છે. જો કે બુટલેગરો પોલીસ તંત્રમાં ફેલાયેલો વ્યાપક ભ્રષ્ટાચારનો ફાયદો ઉઠાવીને ધીકતો ધંધો કરી રહ્યા છે. અમદાવાદમાં આજે ફરી એકવાર સ્ટેટ મનોટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો મોટાપાયે વેપલો કરનારા કુખ્યાત બુટલેગરના ત્યાં દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે.


SMCની ટીમે ગોમતીપુરમાં પાડી રેડ 


ગાંધીનગરથી સ્ટેટ મનોટરિંગ સેલે બુટલેગરોને પકડવા શરૂ કરેલી કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદના ગોમતીપુર વિસ્તારના કુખ્યાત બુટલેગરના ઘરે રેડ કરીને દેશી બનાવટના ઇંગ્લીશ દારૂની 2758 બોટલ અને 516 બિયરની ટીનનો જથ્થા કબજે કર્યો છે. SMCની ટીમ દ્વારા ગોમતીપુર વિસ્તારમાંથી 4.74 લાખનો દારૂ પકડવામાં આવ્યો છે.  SMCની ટીમે આરોપી વિનોદ રાણા, દિલીપ ડોડિયા તેમજ એક સગીરની ધરપકડ કરી છે. 


ઘરના ગુપ્ત ભોંયરામાં છુપાવ્યો હતો દારૂ


સ્ટેટ મનોટરિંગ સેલને બાતમી મળી હતી કે, ગોમતીપુરના ભોગીલાલની ચાલીમાં રહેતો કુખ્યાત બુટલગેર હુસેન પોતાની પાસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે અને તેના ઘરમાં જ વિદેશીદારૂ સંતાડ્યો છે. જે બાતમીના અધારે ગઈકાલે રાત્રિએ 10 વાગ્યાના અરસામાં બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. તે દરમિયાન કોઈ દારૂનો જથ્થો દેખાયો ન હતો, પરંતુ બાતમી ચોક્કસ હોવાથી બેડરૂમના પલંગ નીચે તપાસ કરતા ભોંયરુ જોવા મળ્યુ હતું. ભોંયરામાં મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMCની આ રેડમાં અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા, કેમકે આ પ્રકારે ઘરમાં ભોંયરું અને ગુપ્ત જગ્યા બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો.  આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કેટલા લોકો તેમની સાથે જોડાયેલા છે તે અંગે SMC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.