અમદાવાદના કુખ્યાત બુટલેગરના ઘર પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 4.74 લાખનો દારૂ ઝડપ્યો, 3 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-06-26 18:33:06

ગુજરાતમાં દારૂબંધી માત્ર પોલીસના ચોપડામાં જ રહી ગઈ છે. રાજ્યના દરેક નાના-મોટા શહેરો અને ગામોમાં પણ દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર પણ દારૂની બદીને જડમૂળથી દુર કરવા માટે કટિબધ્ધ છે. જો કે બુટલેગરો પોલીસ તંત્રમાં ફેલાયેલો વ્યાપક ભ્રષ્ટાચારનો ફાયદો ઉઠાવીને ધીકતો ધંધો કરી રહ્યા છે. અમદાવાદમાં આજે ફરી એકવાર સ્ટેટ મનોટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો મોટાપાયે વેપલો કરનારા કુખ્યાત બુટલેગરના ત્યાં દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે.


SMCની ટીમે ગોમતીપુરમાં પાડી રેડ 


ગાંધીનગરથી સ્ટેટ મનોટરિંગ સેલે બુટલેગરોને પકડવા શરૂ કરેલી કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદના ગોમતીપુર વિસ્તારના કુખ્યાત બુટલેગરના ઘરે રેડ કરીને દેશી બનાવટના ઇંગ્લીશ દારૂની 2758 બોટલ અને 516 બિયરની ટીનનો જથ્થા કબજે કર્યો છે. SMCની ટીમ દ્વારા ગોમતીપુર વિસ્તારમાંથી 4.74 લાખનો દારૂ પકડવામાં આવ્યો છે.  SMCની ટીમે આરોપી વિનોદ રાણા, દિલીપ ડોડિયા તેમજ એક સગીરની ધરપકડ કરી છે. 


ઘરના ગુપ્ત ભોંયરામાં છુપાવ્યો હતો દારૂ


સ્ટેટ મનોટરિંગ સેલને બાતમી મળી હતી કે, ગોમતીપુરના ભોગીલાલની ચાલીમાં રહેતો કુખ્યાત બુટલગેર હુસેન પોતાની પાસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે અને તેના ઘરમાં જ વિદેશીદારૂ સંતાડ્યો છે. જે બાતમીના અધારે ગઈકાલે રાત્રિએ 10 વાગ્યાના અરસામાં બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. તે દરમિયાન કોઈ દારૂનો જથ્થો દેખાયો ન હતો, પરંતુ બાતમી ચોક્કસ હોવાથી બેડરૂમના પલંગ નીચે તપાસ કરતા ભોંયરુ જોવા મળ્યુ હતું. ભોંયરામાં મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMCની આ રેડમાં અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા, કેમકે આ પ્રકારે ઘરમાં ભોંયરું અને ગુપ્ત જગ્યા બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો.  આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કેટલા લોકો તેમની સાથે જોડાયેલા છે તે અંગે SMC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.