સંજય જોશીના નામથી ગુજરાત ભાજપમાં કોનું ગયું પદ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-11 20:01:48

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને  હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

About | Sanjay Vinayak Joshi

બોટાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હમણાં થોડાક સમય પેહલા ગઢડા તાલુકાના ભાજપ પ્રમુખની નિમણુંક થઈ હતી . પરંતુ હવે તેમણે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મસદિવસની શુભકામના પાઠવતા તેમણે  રાજીનામુ  આપી દેવા બીજેપીએ આદેશ કર્યો છે. ગઢડા તાલુકા ભાજપ પ્રમુખનું નામ છે પ્રકાશ સાકળિયા. તેમને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે  ફોન કરીને રાજીનામુ આપી દેવાની સૂચના આપી દીધી છે. જોકે પ્રકાશ સાકળિયાએ રાજીનામુ આપવાનો ઇન્કાર કર્યો છે.

સંજય જોશીનો એપ્રિલના રોજ જન્મદિવસ હતો . ગઢડા તાલુકાના ભાજપ પ્રમુખ પ્રકાશ સાકળિયાએ સંજય જોશીને ફેસબક પર ફોટાઓ મૂકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કેમ કે , તેમને વર્ષોથી સંજય જોશી સાથે સબંધો છે.

તો બીજી તરફ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જણાવ્યું છે કે , પ્રદેશ ભાજપની સૂચના અનુસાર રાજીનામાની માંગણી કરવામાં આવી છે. મામલે બને પક્ષ પોતાના વલણ પર અડગ છે. 

જયારે બોટાદ ભાજપ વર્તુળોમાં તાલુકા પ્રમુખની રાજીનામાની વાત વાયુવેગે પ્રસરતા મોંઢા એટલી વાત શરુ થઈ છે . જોકે કાર્યકરોને એક વાત ગળે ઉતરી હતી તે છે કે , ભારતીય જનતા પાર્ટીએ વ્યક્તિગત સબંધ અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જેવી વાતથી નવનિયુક્ત હોદ્દેદારનું રાજીનામુ માંગી લેવું . સમગ્ર મામલો બોટાદમાં  ચર્ચાનો વિષય બન્યો છે.

વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ પછી સંજય જોશી ત્યારે ફરી ચર્ચામાં આવ્યા હતા જયારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બીજેપીના જુના સંગઠન મહામંત્રી સંજય જોશીને સક્રિય કરવા માટે મંથન કર્યું હતું . તેમના વિશે એવું કહેવાય છે કે , ઉત્તર પ્રદેશમાં જયારે સંજય જોશીએ સંગઠનનું કામ સંભાળ્યું હતું ત્યારે બીજેપીને ખુબ મોટી સફળતા મળી હતી .તેમણે ગુજરાતમાં પણ સંગઠનનું કામ સંભાળેલું છે . વ્યવસાયે મેકેનિકલ એન્જીનીયર છે. બીજેપીમાંથી તેમનું ગુમનામીમાં જવાનું કારણ તેમની અને પીએમ મોદી વચ્ચેની ખેંચતાણ છે. જ્યારથી પીએમ નરેન્દ્ર મોદી દિલ્હી ગયા ત્યારથી સંજય જોશીનો ગુમનામીનો દોર ચાલુ થઈ ગયો છે.



આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?