શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજી યથાવત, સેન્સેક્સ 69000ને પાર; નિફ્ટીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2023-12-05 18:45:29

ભાજપની જીતની અસર મંગળવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી-50 બંને રેકોર્ડ હાઈએ પહોંચ્યા હતા. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 69,381 પોઈન્ટ્સ સાથે તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે. તે જ સમયે, નિફ્ટીએ 20,864 પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈ લેવલ બનાવ્યું છે. મંગળવારે સેન્સેક્સ 0.63 ટકા અથવા 431 પોઇન્ટ વધીને 69,296 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 0.81 ટકા અથવા 168.30 પોઈન્ટ વધીને 20,855.10 પર બંધ થયો. બજાર બંધ સમયે, નિફ્ટી પેકના 50 શેરોમાંથી, 32 શેર લીલા નિશાન પર અને 18 શેર લાલ નિશાન પર હતા.


અદાણીના શેરમાં બમ્પર તેજી


મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 17.03 ટકા અથવા રૂ. 430.80 વધીને 2960.10 પર બંધ થયો હતો. અદાણી પોર્ટનો શેર 15.15 ટકા અથવા રૂ. 133.10 વધીને રૂ. 1011.85 પર બંધ થયો હતો. અદાણી પાવરનો શેર 15.91 ટકા એટલે કે રૂ. 73.90 વધીને રૂ. 538.50 પર બંધ થયો હતો. અદાણી એનર્જીનો શેર 20 ટકા એટલે કે રૂ. 180.40ની ઉપલી સર્કિટમાં 1082.60 પર બંધ રહ્યો હતો. અદાણી ગ્રીનનો શેર 20 ટકા એટલે કે રૂ. 224.65 વધીને રૂ. 1348 પર બંધ થયો હતો. અદાણી ટોટલનો શેર 19.95 ટકા કે રૂ. 146.05 વધીને રૂ. 878.20 પર બંધ થયો હતો. તે જ સમયે, અદાણી વિલ્મરનો શેર 9.93 ટકા એટલે કે રૂ. 34.40 વધીને રૂ. 380.70 પર બંધ થયો હતો.


સેક્ટરોલ ઈન્ડેક્સની શું છે સ્થિતિ?


સેક્ટરોલ ઈન્ડેક્સની વાત કરીએ તો મંગળવારે નિફ્ટી મેટલમાં સૌથી વધુ 3.07 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 1.41 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 1.18 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 1.41 ટકા અને નિફ્ટી બેન્કમાં 1.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી એફએમસીજી, નિફ્ટી આઈટી, નિફ્ટી મીડિયા, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી હેલ્થકેરમાં ઘટાડો નોંધાયો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.