શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજી યથાવત, સેન્સેક્સ 69000ને પાર; નિફ્ટીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2023-12-05 18:45:29

ભાજપની જીતની અસર મંગળવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી-50 બંને રેકોર્ડ હાઈએ પહોંચ્યા હતા. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 69,381 પોઈન્ટ્સ સાથે તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે. તે જ સમયે, નિફ્ટીએ 20,864 પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈ લેવલ બનાવ્યું છે. મંગળવારે સેન્સેક્સ 0.63 ટકા અથવા 431 પોઇન્ટ વધીને 69,296 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 0.81 ટકા અથવા 168.30 પોઈન્ટ વધીને 20,855.10 પર બંધ થયો. બજાર બંધ સમયે, નિફ્ટી પેકના 50 શેરોમાંથી, 32 શેર લીલા નિશાન પર અને 18 શેર લાલ નિશાન પર હતા.


અદાણીના શેરમાં બમ્પર તેજી


મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 17.03 ટકા અથવા રૂ. 430.80 વધીને 2960.10 પર બંધ થયો હતો. અદાણી પોર્ટનો શેર 15.15 ટકા અથવા રૂ. 133.10 વધીને રૂ. 1011.85 પર બંધ થયો હતો. અદાણી પાવરનો શેર 15.91 ટકા એટલે કે રૂ. 73.90 વધીને રૂ. 538.50 પર બંધ થયો હતો. અદાણી એનર્જીનો શેર 20 ટકા એટલે કે રૂ. 180.40ની ઉપલી સર્કિટમાં 1082.60 પર બંધ રહ્યો હતો. અદાણી ગ્રીનનો શેર 20 ટકા એટલે કે રૂ. 224.65 વધીને રૂ. 1348 પર બંધ થયો હતો. અદાણી ટોટલનો શેર 19.95 ટકા કે રૂ. 146.05 વધીને રૂ. 878.20 પર બંધ થયો હતો. તે જ સમયે, અદાણી વિલ્મરનો શેર 9.93 ટકા એટલે કે રૂ. 34.40 વધીને રૂ. 380.70 પર બંધ થયો હતો.


સેક્ટરોલ ઈન્ડેક્સની શું છે સ્થિતિ?


સેક્ટરોલ ઈન્ડેક્સની વાત કરીએ તો મંગળવારે નિફ્ટી મેટલમાં સૌથી વધુ 3.07 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 1.41 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 1.18 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 1.41 ટકા અને નિફ્ટી બેન્કમાં 1.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી એફએમસીજી, નિફ્ટી આઈટી, નિફ્ટી મીડિયા, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી હેલ્થકેરમાં ઘટાડો નોંધાયો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.