શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજી યથાવત, સેન્સેક્સ 69000ને પાર; નિફ્ટીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2023-12-05 18:45:29

ભાજપની જીતની અસર મંગળવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી-50 બંને રેકોર્ડ હાઈએ પહોંચ્યા હતા. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 69,381 પોઈન્ટ્સ સાથે તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે. તે જ સમયે, નિફ્ટીએ 20,864 પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈ લેવલ બનાવ્યું છે. મંગળવારે સેન્સેક્સ 0.63 ટકા અથવા 431 પોઇન્ટ વધીને 69,296 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 0.81 ટકા અથવા 168.30 પોઈન્ટ વધીને 20,855.10 પર બંધ થયો. બજાર બંધ સમયે, નિફ્ટી પેકના 50 શેરોમાંથી, 32 શેર લીલા નિશાન પર અને 18 શેર લાલ નિશાન પર હતા.


અદાણીના શેરમાં બમ્પર તેજી


મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 17.03 ટકા અથવા રૂ. 430.80 વધીને 2960.10 પર બંધ થયો હતો. અદાણી પોર્ટનો શેર 15.15 ટકા અથવા રૂ. 133.10 વધીને રૂ. 1011.85 પર બંધ થયો હતો. અદાણી પાવરનો શેર 15.91 ટકા એટલે કે રૂ. 73.90 વધીને રૂ. 538.50 પર બંધ થયો હતો. અદાણી એનર્જીનો શેર 20 ટકા એટલે કે રૂ. 180.40ની ઉપલી સર્કિટમાં 1082.60 પર બંધ રહ્યો હતો. અદાણી ગ્રીનનો શેર 20 ટકા એટલે કે રૂ. 224.65 વધીને રૂ. 1348 પર બંધ થયો હતો. અદાણી ટોટલનો શેર 19.95 ટકા કે રૂ. 146.05 વધીને રૂ. 878.20 પર બંધ થયો હતો. તે જ સમયે, અદાણી વિલ્મરનો શેર 9.93 ટકા એટલે કે રૂ. 34.40 વધીને રૂ. 380.70 પર બંધ થયો હતો.


સેક્ટરોલ ઈન્ડેક્સની શું છે સ્થિતિ?


સેક્ટરોલ ઈન્ડેક્સની વાત કરીએ તો મંગળવારે નિફ્ટી મેટલમાં સૌથી વધુ 3.07 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 1.41 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 1.18 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 1.41 ટકા અને નિફ્ટી બેન્કમાં 1.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી એફએમસીજી, નિફ્ટી આઈટી, નિફ્ટી મીડિયા, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી હેલ્થકેરમાં ઘટાડો નોંધાયો હતો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.