શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 360 અને નિફ્ટી 111 પોઈન્ટ તૂટ્યો, આ છે કારણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:07:49

શેરબજારમાં છેલ્લા બે સત્રમાં તેજી જોવા મળી હતી, પરંતુ આજે સોમવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.સોમવારે સેન્સેક્સ 360.95 તુટી 57,628.95 જ્યારે નિફ્ટી 111.65 પોઈન્ટ તૂટી 16,988.40 પર બંધ રહ્યો હતો. અમેરિકામાં સિલિકોન વેલી સંકટ 9 માર્ચે સામે આવ્યું ત્યારથી, સેન્સેક્સ 3000 થી વધુ પોઈન્ટ્સ તુટી ચુક્યો છે. આ ઘટાડાના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 3.5 લાખ કરોડનું ધોવાણ થયું છે. આજે એક સમયે તો સેન્સેક્સ 800 પોઈન્ટ જ્યારે નિફ્ટી 16,900 પોઈન્ટની નીચે આવી ગયો હતો.


શેર બજાર તુટવાના આ છે મુખ્ય કારણો


1. વૈશ્વિક બેંકિંગ કટોકટી


સ્વિસ રેગ્યુલેટર્સે ક્રેડિટ સુઈસ કટોકટી વધુ ઘેરી ન બને તે માટે પ્રયાસો ભલે શરૂ કર્યા હોય, પરંતુ રોકાણકારો વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમ પર તેની સંભવિત અસર વિશે ચિંતિત છે.


2. અન્ય બજારોની અસર


એશિયન બજારોમાં વેચવાલીની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી હતી. હોંગકોંગનો હેંગસેંગ 2.5 ટકા નીચે આવ્યો છે. જ્યારે, જાપાનનો નિક્કી અને ઓસ્ટ્રેલિયાનો ASX200 પણ 1 ટકાથી વધુ તૂટ્યો છે. તેની અસર ભારતીય બજાર પર પણ પડી છે.


3. ફેડ રિઝર્વની મીટિંગ પર નજર 


અમેરિકાના ફેડ રિઝર્વના દર નક્કી કરવા માટેની સમિતિની બેઠક 21-22 તારીખના રોજ યોજાવા જઈ રહી છે. તમામની નજર બેઠકના પરિણામ પર છે.


4. વિદેશી રોકાણકારોએ કર્યું વેચાણ


આ વર્ષે મોટાભાગે FII વેચવાના મૂડમાં જોવા મળ્યા હતા. શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. 1,700 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ રીતે, FIIએ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 23,000 કરોડનું વેચાણ કરી ચુક્યા છે.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે