શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 360 અને નિફ્ટી 111 પોઈન્ટ તૂટ્યો, આ છે કારણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:07:49

શેરબજારમાં છેલ્લા બે સત્રમાં તેજી જોવા મળી હતી, પરંતુ આજે સોમવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.સોમવારે સેન્સેક્સ 360.95 તુટી 57,628.95 જ્યારે નિફ્ટી 111.65 પોઈન્ટ તૂટી 16,988.40 પર બંધ રહ્યો હતો. અમેરિકામાં સિલિકોન વેલી સંકટ 9 માર્ચે સામે આવ્યું ત્યારથી, સેન્સેક્સ 3000 થી વધુ પોઈન્ટ્સ તુટી ચુક્યો છે. આ ઘટાડાના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 3.5 લાખ કરોડનું ધોવાણ થયું છે. આજે એક સમયે તો સેન્સેક્સ 800 પોઈન્ટ જ્યારે નિફ્ટી 16,900 પોઈન્ટની નીચે આવી ગયો હતો.


શેર બજાર તુટવાના આ છે મુખ્ય કારણો


1. વૈશ્વિક બેંકિંગ કટોકટી


સ્વિસ રેગ્યુલેટર્સે ક્રેડિટ સુઈસ કટોકટી વધુ ઘેરી ન બને તે માટે પ્રયાસો ભલે શરૂ કર્યા હોય, પરંતુ રોકાણકારો વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમ પર તેની સંભવિત અસર વિશે ચિંતિત છે.


2. અન્ય બજારોની અસર


એશિયન બજારોમાં વેચવાલીની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી હતી. હોંગકોંગનો હેંગસેંગ 2.5 ટકા નીચે આવ્યો છે. જ્યારે, જાપાનનો નિક્કી અને ઓસ્ટ્રેલિયાનો ASX200 પણ 1 ટકાથી વધુ તૂટ્યો છે. તેની અસર ભારતીય બજાર પર પણ પડી છે.


3. ફેડ રિઝર્વની મીટિંગ પર નજર 


અમેરિકાના ફેડ રિઝર્વના દર નક્કી કરવા માટેની સમિતિની બેઠક 21-22 તારીખના રોજ યોજાવા જઈ રહી છે. તમામની નજર બેઠકના પરિણામ પર છે.


4. વિદેશી રોકાણકારોએ કર્યું વેચાણ


આ વર્ષે મોટાભાગે FII વેચવાના મૂડમાં જોવા મળ્યા હતા. શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. 1,700 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ રીતે, FIIએ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 23,000 કરોડનું વેચાણ કરી ચુક્યા છે.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .