શેરબજારે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ 70 હજાર અને નિફ્ટી 21,000ને પાર, જાણો તેજીનું રહસ્ય


  • Published By :
  • Published Date : 2023-12-14 22:44:27

ભારતીય શેરબજારે ગુરુવારે  ઈતિહાસ રચ્યો હતો અને સેન્સેક્સે 70 હજાર અને નિફ્ટીએ પહેલીવાર 21 હજારનો આંકડો પાર કર્યો હતો. BSEનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 929.61 પોઈન્ટ એટલે કે 1.34 ટકા વધીને 70 હજાર પોઈન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરને વટાવીને 70514.20 પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 256.35 પોઈન્ટ એટલે કે 1.23 ટકા ઉછળીને 21182.70 ના ઓલ-ટાઇમ રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો.


સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો


BSEમાં કુલ 3892 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ  થયું હતું, જેમાંથી 2064 ખરીદાયા હતા અને 1702 વેચાયા હતા જ્યારે 126 યથાવત રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઉછાળો અને 7માં ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી અને બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ફોસિસ 3.93% અને ટેક મહિન્દ્રા 3.67% વધ્યો હતો. એ જ રીતે નિફ્ટી કંપનીઓના 38  શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીની 12 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. BSE લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3.8 લાખ કરોડ વધીને રૂ. 355 લાખ કરોડ ( 4.26 ટ્રિલિયન ડોલરના)ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.


શા માટે શેર માર્કેટમાં તેજી?


શેર બજારના નિષ્ણાતોના મતે, અમેરિકાના સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના વ્યાજદરમાં ઘટાડો કરવાના સ્પષ્ટ સંદેશે આગામી દિવસોમાં સ્માર્ટ સાન્તાક્લોઝ રેલી માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તે ચૂંટણી પહેલાની રેલીને પણ ટ્રિગર કરી શકે છે, જે બજારને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. ફેડ તરફથી ગઈકાલના સંદેશનો અર્થ છે કે સખત પગલાનો તબક્કો પૂરો થઈ ગયો છે અને વર્ષ 2024માં વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો શક્ય છે. અમેરિકામાં 10-વર્ષની યીલ્ડમાં ચાર ટકાનો ઘટાડો સ્થાનિક બજારમાં મોટા પાયે મૂડીપ્રવાહ તરફ દોરી જશે.


આ વર્ષે માર્કેટ 15 ટકા વધ્યું 

 

આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2 જાન્યુઆરીએ (બજાર 1 જાન્યુઆરીએ બંધ હતું) સેન્સેક્સ 61,167ના સ્તરે હતો, જે હવે 14 ડિસેમ્બરે 70,514 પોઈન્ટ પર પહોંચી ગયો છે. એટલે કે, આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 15%થી વધુ એટલે કે 9,347 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આ વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.