શેરબજારે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ 70 હજાર અને નિફ્ટી 21,000ને પાર, જાણો તેજીનું રહસ્ય


  • Published By :
  • Published Date : 2023-12-14 22:44:27

ભારતીય શેરબજારે ગુરુવારે  ઈતિહાસ રચ્યો હતો અને સેન્સેક્સે 70 હજાર અને નિફ્ટીએ પહેલીવાર 21 હજારનો આંકડો પાર કર્યો હતો. BSEનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 929.61 પોઈન્ટ એટલે કે 1.34 ટકા વધીને 70 હજાર પોઈન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરને વટાવીને 70514.20 પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 256.35 પોઈન્ટ એટલે કે 1.23 ટકા ઉછળીને 21182.70 ના ઓલ-ટાઇમ રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો.


સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો


BSEમાં કુલ 3892 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ  થયું હતું, જેમાંથી 2064 ખરીદાયા હતા અને 1702 વેચાયા હતા જ્યારે 126 યથાવત રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઉછાળો અને 7માં ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી અને બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ફોસિસ 3.93% અને ટેક મહિન્દ્રા 3.67% વધ્યો હતો. એ જ રીતે નિફ્ટી કંપનીઓના 38  શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીની 12 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. BSE લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3.8 લાખ કરોડ વધીને રૂ. 355 લાખ કરોડ ( 4.26 ટ્રિલિયન ડોલરના)ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.


શા માટે શેર માર્કેટમાં તેજી?


શેર બજારના નિષ્ણાતોના મતે, અમેરિકાના સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના વ્યાજદરમાં ઘટાડો કરવાના સ્પષ્ટ સંદેશે આગામી દિવસોમાં સ્માર્ટ સાન્તાક્લોઝ રેલી માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તે ચૂંટણી પહેલાની રેલીને પણ ટ્રિગર કરી શકે છે, જે બજારને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. ફેડ તરફથી ગઈકાલના સંદેશનો અર્થ છે કે સખત પગલાનો તબક્કો પૂરો થઈ ગયો છે અને વર્ષ 2024માં વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો શક્ય છે. અમેરિકામાં 10-વર્ષની યીલ્ડમાં ચાર ટકાનો ઘટાડો સ્થાનિક બજારમાં મોટા પાયે મૂડીપ્રવાહ તરફ દોરી જશે.


આ વર્ષે માર્કેટ 15 ટકા વધ્યું 

 

આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2 જાન્યુઆરીએ (બજાર 1 જાન્યુઆરીએ બંધ હતું) સેન્સેક્સ 61,167ના સ્તરે હતો, જે હવે 14 ડિસેમ્બરે 70,514 પોઈન્ટ પર પહોંચી ગયો છે. એટલે કે, આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 15%થી વધુ એટલે કે 9,347 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આ વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.