વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે આજે સેન્સેક્સમાં 491 અને નિફ્ટીમાં 126 પોઇન્ટનો ઉછાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 16:20:40

વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો છે. દુનિયાભરની રેટિંગ એજન્સીઓ મહામંદીની આશંકા વ્યક્ત કરી રહી છે ત્યારે ભારતના શેરબજારમાં જોવા મળતી ફુલગુલાબી તેજી શંકા ઉપજાવે છે. નિષ્ણાતો પણ રોકાણકારોને આ છેતરામણી તેજીથી દુર રહેવાની સલાહ આપી રહ્યા છે.


સેંન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો

 

આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 490થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેના કારણે સેન્સેક્સ ફરી 58 હજારને પાર થયો છે. નિફ્ટીમાં પણ 126 પોઇન્ટનો ઉછાળો આવ્યો. આજે સેન્સેક્સ 491.01 પોઇન્ટના વધારા સાથે 58410.98 પર અને નિફ્ટી 126.1 પોઇન્ટના વધારા સાથે 17311.80 પર બંધ રહ્યા. 


ક્યા સેક્ટરમાં તેજી-મંદી જોવા મળી?


શરબજારમાં આજે મેટલ અને રિયલ્ટી શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. જોકે બેન્કિંગ સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર આજે નિફ્ટીના સૌથી વધુ વધેલા શેરોની યાદીમાં ટોચ પર હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપના શેરોમાં પણ ખરીદારી જોવા મળતા તેમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી 50ના 36 શેરો લીલા નિશાન પર જ્યારે 13 શેરો લાલ નિશાન પર બંધ થયા.


બજારમાં આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એનર્જી, ફાર્મા, એમએફસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.