વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે આજે સેન્સેક્સમાં 491 અને નિફ્ટીમાં 126 પોઇન્ટનો ઉછાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 16:20:40

વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો છે. દુનિયાભરની રેટિંગ એજન્સીઓ મહામંદીની આશંકા વ્યક્ત કરી રહી છે ત્યારે ભારતના શેરબજારમાં જોવા મળતી ફુલગુલાબી તેજી શંકા ઉપજાવે છે. નિષ્ણાતો પણ રોકાણકારોને આ છેતરામણી તેજીથી દુર રહેવાની સલાહ આપી રહ્યા છે.


સેંન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો

 

આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 490થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેના કારણે સેન્સેક્સ ફરી 58 હજારને પાર થયો છે. નિફ્ટીમાં પણ 126 પોઇન્ટનો ઉછાળો આવ્યો. આજે સેન્સેક્સ 491.01 પોઇન્ટના વધારા સાથે 58410.98 પર અને નિફ્ટી 126.1 પોઇન્ટના વધારા સાથે 17311.80 પર બંધ રહ્યા. 


ક્યા સેક્ટરમાં તેજી-મંદી જોવા મળી?


શરબજારમાં આજે મેટલ અને રિયલ્ટી શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. જોકે બેન્કિંગ સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર આજે નિફ્ટીના સૌથી વધુ વધેલા શેરોની યાદીમાં ટોચ પર હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપના શેરોમાં પણ ખરીદારી જોવા મળતા તેમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી 50ના 36 શેરો લીલા નિશાન પર જ્યારે 13 શેરો લાલ નિશાન પર બંધ થયા.


બજારમાં આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એનર્જી, ફાર્મા, એમએફસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .