વેશ્વિક મંદીના ભણકારા: સેન્સેક્સ -953.70 અને નિફ્ટી -311 પોઈન્ટ તૂટ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 16:24:42

વેશ્વિક મંદીની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આજે સપ્તાહના પહેલા દિવસે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો છે.  સવારથી જ રેડ ઝોનમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. આજે સેન્સેક્સ અને નિફ્ટી તેમના મહત્વના સ્તરોથી તૂટી ગયા અને બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી હતી. આજે -953.70 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 57,145.22 પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ -311 પોઈન્ટના ઘટાડા સાથે 17016.30 પર બંધ રહ્યો છે.


4 દિવસમાં 14 લાખ કરોડનું નુકસાન!


મુંબઈ સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. 276.65 લાખ કરોડ હતું, જે સોમવારે ટ્રેડિંગ શરૂ થયાના થોડા કલાકોમાં ઘટીને રૂ. 269.86 લાખ કરોડ થઈ ગયું હતું. એટલે કે રોકાણકારોને લગભગ 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે 20 સપ્ટેમ્બર, 2022 ના રોજ, બજાર છેલ્લી વખત ઝડપી ગતિએ બંધ થયું હતું, તે દિવસે માર્કેટ કેપ 283.32 લાખ કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં 13.50 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 



નિષ્ણાતો શું કહે છે?


શેર બજારમાં જોરદાર કડાકા પાછળ નિષ્ણાતો વૈશ્વિક મંદીના ભયને જવાબાદાર માને છે. "વિશ્વભરની બેંકો જે દરે વ્યાજદરમાં વધારો કરી રહી છે તેનાથી રોકાણકારોની ચિંતા વધી છે, આ મંદી ઘણા દેશોની અર્થવ્યવસ્થાઓને મંદીમાં ધકેલી શકે છે. ભારતમાં રિઝર્વ બેંક ગવર્નરની નાણાકીય નીતિની બેઠક પહેલા બેંકિંગ, રિયલ એસ્ટેટ અને ઓટો જેવા રેટ-સંવેદનશીલ શેરોમાં તીવ્ર ઘટાડો વધારો જોવા મળ્યો હતો. કારણ કે વ્યાજ દરમાં વધારો આગામી સમયમાં માંગને અસર કરે તેવી શક્યતા છે.



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.