શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 847 અને નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઉછાળો, માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2024-01-12 17:25:55

ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક મહિનાથી ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે, નિફ્ટી અને સેન્સેક્સ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે પણ બીએસઈ સેન્સેક્સ 847 તથા નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. આ સાથે જ સેન્સેક્સ 72568 તથા નિફ્ટી 21894ના લેવલ પર બંધ રહેવામાં સફળ રહ્યા છે. આજે ઈન્ફોસીસ અને ટીસીએસ સહિતની આઈટી કંપનીઓમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. જ્યારે સિપ્લા, એપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું પર્ફોરમન્સ નબળું રહ્યું છે.  


આઈ ટી સેક્ટરમાં બંપર તેજી જોવા મળી


આજની તેજીની આગેવાની આઈ ટી સેક્ટરના શેરોએ લીધી છે, આઈટી શેરોમાં બંપર તેજી જોવા મળી છે. ઈન્ફોસિસનો શેર 8 ટકા, ટેક મહિન્દ્રા 5 ટકા, એલટીઆઈ માઈન્ડ ટ્રીના શેરોમાં 4.65 ટકા જેટલા ઉછળ્યા છે. શુક્રવારે શેર બજારમાં નિફ્ટી મિડ કેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં પણ જબરદસ્ત તેજી નોંધાઈ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે