શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 847 અને નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઉછાળો, માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2024-01-12 17:25:55

ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક મહિનાથી ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે, નિફ્ટી અને સેન્સેક્સ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે પણ બીએસઈ સેન્સેક્સ 847 તથા નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. આ સાથે જ સેન્સેક્સ 72568 તથા નિફ્ટી 21894ના લેવલ પર બંધ રહેવામાં સફળ રહ્યા છે. આજે ઈન્ફોસીસ અને ટીસીએસ સહિતની આઈટી કંપનીઓમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. જ્યારે સિપ્લા, એપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું પર્ફોરમન્સ નબળું રહ્યું છે.  


આઈ ટી સેક્ટરમાં બંપર તેજી જોવા મળી


આજની તેજીની આગેવાની આઈ ટી સેક્ટરના શેરોએ લીધી છે, આઈટી શેરોમાં બંપર તેજી જોવા મળી છે. ઈન્ફોસિસનો શેર 8 ટકા, ટેક મહિન્દ્રા 5 ટકા, એલટીઆઈ માઈન્ડ ટ્રીના શેરોમાં 4.65 ટકા જેટલા ઉછળ્યા છે. શુક્રવારે શેર બજારમાં નિફ્ટી મિડ કેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં પણ જબરદસ્ત તેજી નોંધાઈ છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.