શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 847 અને નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઉછાળો, માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2024-01-12 17:25:55

ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક મહિનાથી ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે, નિફ્ટી અને સેન્સેક્સ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે પણ બીએસઈ સેન્સેક્સ 847 તથા નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. આ સાથે જ સેન્સેક્સ 72568 તથા નિફ્ટી 21894ના લેવલ પર બંધ રહેવામાં સફળ રહ્યા છે. આજે ઈન્ફોસીસ અને ટીસીએસ સહિતની આઈટી કંપનીઓમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. જ્યારે સિપ્લા, એપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું પર્ફોરમન્સ નબળું રહ્યું છે.  


આઈ ટી સેક્ટરમાં બંપર તેજી જોવા મળી


આજની તેજીની આગેવાની આઈ ટી સેક્ટરના શેરોએ લીધી છે, આઈટી શેરોમાં બંપર તેજી જોવા મળી છે. ઈન્ફોસિસનો શેર 8 ટકા, ટેક મહિન્દ્રા 5 ટકા, એલટીઆઈ માઈન્ડ ટ્રીના શેરોમાં 4.65 ટકા જેટલા ઉછળ્યા છે. શુક્રવારે શેર બજારમાં નિફ્ટી મિડ કેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં પણ જબરદસ્ત તેજી નોંધાઈ છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.