શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર, સેન્સેક્સ 970 અને નિફ્ટી 274 પોઈન્ટ ઉછળ્યો, મેટલ શેરો ઝળક્યા


  • Published By :
  • Published Date : 2023-12-15 18:00:30

અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વએ આગામી વર્ષે વ્યાજ દરોમાં કાપ મુકવાના સંકેત આપ્યા છે. આ જ કારણે સમગ્ર વિશ્વના શેર બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ભારતમાં પણ તેજીનો આંખલો ભૂંરાયો થયો છે. વિદેશી બજારોમાંથી આવી રહેલા પોઝીટીવ સંકેતોના દમ પર સેન્સેક્સ અને નિફ્ટી આ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. તેમાં પણ મેટલ શેરોમાં છેલ્લા એક મહિનામાં 25 ટકા સુધીની તેજી આવી છે, રોકાણકારોએ છેલ્લા પાંચ દિવસમાં 8.55 લાખ કરોડની કમાણી કરી છે.  


શેર બજાર કેટલું ઉછળ્યું?


ભારતીય શેર બજારમાં આજે પણ ફુલગુલાબી તેજી જોવા મળી હતી. BSEનો સેન્સેક્સ 970 પોઈન્ટ એટલે કે 1.37 ટકાની તેજી સાથે 71,484 પર પહોંચ્યો છે. જ્યારે NSEનો નિફ્ટી 274 પોઈન્ટ એટલે કે 1.29 ટકાની તેજી સાથે 21,456 પર બંધ રહ્યો હતો. બેંકિંગ, ફાઈનાન્સિયલ, મેટલ, અને આઈટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. BSEની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ શુક્રવારે 2.76 લાખ કરોડ રૂપિયાથી વધીને 357.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. શેર બજારમાં આ સપ્તાહે 8.55 લાખ કરોડ રૂપિયાની તેજી જોવા મળી છે.




આ શેરો 5 થી 6 ટકા વધ્યા 


સેન્સેક્સ શેરોમાં સૌથી વધુ ઉછાળો એચસીએલ ટેક, ટીસીએસ અને ઈન્ફોસીસ હતો. આ શેર 5 થી 6 ટકા વધ્યા હતા. એસબીઆઈ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, એનટીપીસી અને વિપ્રોના શેર પણ વધ્યા હતા. બીજી તરફ નેસ્લે, ભારતી એરટેલ, મારુતિ અને આઈટીસીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટોરલ મોરચે, નિફ્ટી આઇટી 4.5 ટકા જ્યારે નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસયુ બેન્ક બે ટકાથી વધુ વધ્યા હતા. જોકે, નિફ્ટી ઓટો, એફએમસીજી, મીડિયા અને રિયલ્ટીમાં ઘટાડો નોંધાયો હતો.



આ મેટલ શેરોમાં જબરદસ્ત રિટર્ન  


એક મહિનામાં મેટલ શેરોએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે, તેમાં પણ SAIL કંપનીના શેરોએ મેટલ પેકમાં સૌથી વધુ વળતર આપ્યું છે. મેટલ  શેરોમાં 25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે ઉપરાંત જિંદાલ સ્ટેનલેસ, હિન્દુસ્તાન કોપર, JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ અને પાવરે પણ સારું વળતર આપ્યું છે. નેશનલ એલ્યુમિનિયમ કંપની, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દાલ્કો જેવા શેરોએ પોઝિટિવ રિટર્ન આપ્યું છે, પરંતુ નિફ્ટીમાં તેમનો દેખાવ નબળો રહ્યો હતો. બીજી તરફ, રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સે નેગેટિવ વળતર આપ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.