નબળા વૈશ્વિક સંકેતોના કારણે સેન્સેક્સ 861 અને નિફ્ટીમાં 246 પોઈન્ટનો કડાકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 17:14:03

શેર બજાર માટે આજનો દિવસ બ્લેક મન્ડે સાબિત થયો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે જ બીએસઈ સેન્સેક્સ 861.25 (1.46%) પોઈન્ટ તુટીને 57,972.62 પર જ્યારે એનએસઈનો નિફ્ટી 246 (1.40%) તુટીને 17,312.90 પર બંધ રહ્યો. આજે એફએમસીજીને બાદ  કરતા તમામ સેક્ટરના શેરોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું.


સવારે શેર બજાર ખુલતા જ 30 શેરોનો સેન્સેક્સ 1300 પોઈન્ટ (2.23 ટકા) તુટી ગયો હતો. નિફ્ટી પણ  385  અંક ગગડ્યો હતો. આ સમયે સેન્સેક્સની માત્ર બે જ કંપની નેસ્લે અને હિંદુસ્તાન યૂનીલીવર લીલા નિશાન પર જોવા મળી હતી. 


શા માટે શેર માર્કેટમાં થયો કડાકો?


અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના ભાષણ બાદ વૈશ્વિક બજારોમાં મંદીની આશંકા પ્રબળ બની છે. જેરોમના આ ભાષણની અસર ભારતીય શેર  બજાર પર પણ જોવા મળી. પોવેલે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે 'અમેરિકાની ફેડરલ રિઝર્વ તેની વ્યાજ દર વધારવાની નીતિને વળગી રહેશે. જ્યાં સુધી મોંઘવારી કાબુમાં ન આવે ત્યાં સુધી આ નીતિ ચાલુ રહેશે. તેમની આ નીતિથી દેશની આર્થિક વૃધ્ધીને ધક્કો લાગે તો પણ નાણાકિય નીતિમાં ઢીલાશ રાખવામાં આવશે નહીં.' વિશ્વના અન્ય શેરબજારો જેવા કે જર્મની અને બ્રિટનના સ્ટોક એક્સચેન્જ પણ મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.