નબળા વૈશ્વિક સંકેતોના કારણે સેન્સેક્સ 861 અને નિફ્ટીમાં 246 પોઈન્ટનો કડાકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 17:14:03

શેર બજાર માટે આજનો દિવસ બ્લેક મન્ડે સાબિત થયો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે જ બીએસઈ સેન્સેક્સ 861.25 (1.46%) પોઈન્ટ તુટીને 57,972.62 પર જ્યારે એનએસઈનો નિફ્ટી 246 (1.40%) તુટીને 17,312.90 પર બંધ રહ્યો. આજે એફએમસીજીને બાદ  કરતા તમામ સેક્ટરના શેરોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું.


સવારે શેર બજાર ખુલતા જ 30 શેરોનો સેન્સેક્સ 1300 પોઈન્ટ (2.23 ટકા) તુટી ગયો હતો. નિફ્ટી પણ  385  અંક ગગડ્યો હતો. આ સમયે સેન્સેક્સની માત્ર બે જ કંપની નેસ્લે અને હિંદુસ્તાન યૂનીલીવર લીલા નિશાન પર જોવા મળી હતી. 


શા માટે શેર માર્કેટમાં થયો કડાકો?


અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના ભાષણ બાદ વૈશ્વિક બજારોમાં મંદીની આશંકા પ્રબળ બની છે. જેરોમના આ ભાષણની અસર ભારતીય શેર  બજાર પર પણ જોવા મળી. પોવેલે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે 'અમેરિકાની ફેડરલ રિઝર્વ તેની વ્યાજ દર વધારવાની નીતિને વળગી રહેશે. જ્યાં સુધી મોંઘવારી કાબુમાં ન આવે ત્યાં સુધી આ નીતિ ચાલુ રહેશે. તેમની આ નીતિથી દેશની આર્થિક વૃધ્ધીને ધક્કો લાગે તો પણ નાણાકિય નીતિમાં ઢીલાશ રાખવામાં આવશે નહીં.' વિશ્વના અન્ય શેરબજારો જેવા કે જર્મની અને બ્રિટનના સ્ટોક એક્સચેન્જ પણ મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.