નબળા વૈશ્વિક સંકેતોના કારણે સેન્સેક્સ 861 અને નિફ્ટીમાં 246 પોઈન્ટનો કડાકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 17:14:03

શેર બજાર માટે આજનો દિવસ બ્લેક મન્ડે સાબિત થયો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે જ બીએસઈ સેન્સેક્સ 861.25 (1.46%) પોઈન્ટ તુટીને 57,972.62 પર જ્યારે એનએસઈનો નિફ્ટી 246 (1.40%) તુટીને 17,312.90 પર બંધ રહ્યો. આજે એફએમસીજીને બાદ  કરતા તમામ સેક્ટરના શેરોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું.


સવારે શેર બજાર ખુલતા જ 30 શેરોનો સેન્સેક્સ 1300 પોઈન્ટ (2.23 ટકા) તુટી ગયો હતો. નિફ્ટી પણ  385  અંક ગગડ્યો હતો. આ સમયે સેન્સેક્સની માત્ર બે જ કંપની નેસ્લે અને હિંદુસ્તાન યૂનીલીવર લીલા નિશાન પર જોવા મળી હતી. 


શા માટે શેર માર્કેટમાં થયો કડાકો?


અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના ભાષણ બાદ વૈશ્વિક બજારોમાં મંદીની આશંકા પ્રબળ બની છે. જેરોમના આ ભાષણની અસર ભારતીય શેર  બજાર પર પણ જોવા મળી. પોવેલે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે 'અમેરિકાની ફેડરલ રિઝર્વ તેની વ્યાજ દર વધારવાની નીતિને વળગી રહેશે. જ્યાં સુધી મોંઘવારી કાબુમાં ન આવે ત્યાં સુધી આ નીતિ ચાલુ રહેશે. તેમની આ નીતિથી દેશની આર્થિક વૃધ્ધીને ધક્કો લાગે તો પણ નાણાકિય નીતિમાં ઢીલાશ રાખવામાં આવશે નહીં.' વિશ્વના અન્ય શેરબજારો જેવા કે જર્મની અને બ્રિટનના સ્ટોક એક્સચેન્જ પણ મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.