વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ, ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં SRP તૈનાત


  • Published By :
  • Published Date : 2023-03-30 15:40:13

સમગ્ર રાજ્યમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મજયંતિ રામનવમીની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. વિવિધ શહેરો અને ગામોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જો કે રામનવમીના આ પવિત્ર તહેવારે રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયાસો પણ થતા જોવા મળી રહ્યા છે. જેમ કે  વડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તારમાંથી રામજીની સવારી પસાર થતી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. 


ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો


ડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તાર કોટલાક અસામાજીક તત્વોએ ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમાર કર્યો હતો. શોભાયાત્રા મસ્જિદ પાસેથી પસાર થતી હતી ત્યારે જ પથ્થરમારો થતાં માહોલ ગરમાયો હતો. પથ્થરમારાના સમાચાર મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. તોફાની તત્વોએ ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન પહોચાડ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, શોભાયાત્રા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળી તે વખતે તેના પર પથ્થરમારો થયો હતો. જે બાદ એસઆરપીની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.