વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ, ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં SRP તૈનાત


  • Published By :
  • Published Date : 2023-03-30 15:40:13

સમગ્ર રાજ્યમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મજયંતિ રામનવમીની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. વિવિધ શહેરો અને ગામોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જો કે રામનવમીના આ પવિત્ર તહેવારે રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયાસો પણ થતા જોવા મળી રહ્યા છે. જેમ કે  વડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તારમાંથી રામજીની સવારી પસાર થતી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. 


ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો


ડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તાર કોટલાક અસામાજીક તત્વોએ ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમાર કર્યો હતો. શોભાયાત્રા મસ્જિદ પાસેથી પસાર થતી હતી ત્યારે જ પથ્થરમારો થતાં માહોલ ગરમાયો હતો. પથ્થરમારાના સમાચાર મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. તોફાની તત્વોએ ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન પહોચાડ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, શોભાયાત્રા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળી તે વખતે તેના પર પથ્થરમારો થયો હતો. જે બાદ એસઆરપીની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.