વડોદરામાં દર્દીના પિત્તાશયમાંથી તબીબોએ લેપ્રોસ્કોપીક સર્જરીથી 1628 પથરી કાઢી, ડોક્ટર પણ દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-07-28 23:26:00

શરીરમાં પથરીની ઘણા લોકોને હોય છે, પથરીના કારણે અસહ્ય પીડા થાય છે. જો  કે ઓપરેશનથી પેટમાં રહેલી પથરીને દુર કરી શકાય છે. વડોદરમાં તબીબોએ ઑપરેશન કરીને એક યુવકના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરી કાઢી હતી. વડોદરાના નવા યાર્ડમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતાં મહંમદ ખલીક પઠાણ (35) પેટમાં ગેસ અને દુખાવાની ફરિયાદ બાદ સારવાર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સોનોગ્રાફી રિપોર્ટ બાદ પથરી હોવાનું નિદાન થયું હતુ. જે બાદ લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા તેના પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપીક સર્જરીથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આજે યુવક પર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દર્દીના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરીઓ દૂર કરવામાં આવી હતી. માનવ શરીરમાં પથરીઓનો આટલો મોટો જથ્થો જોઈને તબીબો પણ દંગ રહી ગયા હતા.


બે કલાક ચાલી સર્જરી


વડોદરામાં રહેતા 35 વર્ષીય દર્દી મોહમ્મદ પઠાણને પેટમાં અસહ્ય પીડા થતી હોવાથી નિઝામપુરામાં આવેલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિ સર્જરી કરાવી હતી.  જે બાદ દર્દી મોહમ્મદ પઠાણની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી, જેમાં ખબર પડી કે  તેને પિતાશયની પથરીનો દુઃખાવો છે. ત્યાર બાદ તેની સીટી સ્કેન મારફતે તપાસ કરવામાં આવી હતી. ગત રોજ લેપ્રોસ્કોપિ સર્જરી સર્જરી કરવામાં આવી હતી. લેપ્રોસ્કોપિ સર્જરી બાદ ર્ડાક્ટરે તે વ્યક્તિનાં શરીરમાંથી 1628 પથરી નીકળી હતી. ત્યારે લેપ્રોસ્કોપિક સર્જન ર્ડા. લલિત મછાર, ર્ડા. જીતેન્દ્ર મિસ્ત્રી અને ર્ડા. તુષાર ચોક્સીએ સફળ ઓપરેશન કર્યું હતું. લેપ્રોસ્કોપિક સર્જરી થકી દૂર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને 3 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જયારે લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં તબીબોને 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મોહમ્મદ પઠાણની તબિયત સુધારા પર અને તંદુરસ્ત છે. જ્યારે ડોક્ટર લલિત મછારે ખાસ કરીને યુવાનોને શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા માટે સૂચન કર્યું હતું.

 

શા માટે થાય છે પથરી?


જે લોકો આખા દિવસમાં જરૂરિયાત કરતા ઓછું પાણી પીવે છે તેમને કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. કિડની સ્ટોનની સમસ્યાથી બચવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું  જોઈએ. જો લોકો વધુ પડતું મીઠું અને મીઠાઈ ખાવાથી પણ કિડનીમાં પથરી થઈ શકે છે. રોગો અને કિડનીની પથરીથી બચવા માટે મીઠું અને મીઠાઈઓ ઓછી ખાવી જોઈએ. માંસાહારી લોકોને પણ કિડની સ્ટોનનું થઈ શકે છે. કેલ્શિયમ-પ્રોટીન અસંતુલનને કારણે પણ કિડનીમાં પથરી થાય છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.