વડોદરામાં દર્દીના પિત્તાશયમાંથી તબીબોએ લેપ્રોસ્કોપીક સર્જરીથી 1628 પથરી કાઢી, ડોક્ટર પણ દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-07-28 23:26:00

શરીરમાં પથરીની ઘણા લોકોને હોય છે, પથરીના કારણે અસહ્ય પીડા થાય છે. જો  કે ઓપરેશનથી પેટમાં રહેલી પથરીને દુર કરી શકાય છે. વડોદરમાં તબીબોએ ઑપરેશન કરીને એક યુવકના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરી કાઢી હતી. વડોદરાના નવા યાર્ડમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતાં મહંમદ ખલીક પઠાણ (35) પેટમાં ગેસ અને દુખાવાની ફરિયાદ બાદ સારવાર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સોનોગ્રાફી રિપોર્ટ બાદ પથરી હોવાનું નિદાન થયું હતુ. જે બાદ લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા તેના પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપીક સર્જરીથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આજે યુવક પર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દર્દીના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરીઓ દૂર કરવામાં આવી હતી. માનવ શરીરમાં પથરીઓનો આટલો મોટો જથ્થો જોઈને તબીબો પણ દંગ રહી ગયા હતા.


બે કલાક ચાલી સર્જરી


વડોદરામાં રહેતા 35 વર્ષીય દર્દી મોહમ્મદ પઠાણને પેટમાં અસહ્ય પીડા થતી હોવાથી નિઝામપુરામાં આવેલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિ સર્જરી કરાવી હતી.  જે બાદ દર્દી મોહમ્મદ પઠાણની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી, જેમાં ખબર પડી કે  તેને પિતાશયની પથરીનો દુઃખાવો છે. ત્યાર બાદ તેની સીટી સ્કેન મારફતે તપાસ કરવામાં આવી હતી. ગત રોજ લેપ્રોસ્કોપિ સર્જરી સર્જરી કરવામાં આવી હતી. લેપ્રોસ્કોપિ સર્જરી બાદ ર્ડાક્ટરે તે વ્યક્તિનાં શરીરમાંથી 1628 પથરી નીકળી હતી. ત્યારે લેપ્રોસ્કોપિક સર્જન ર્ડા. લલિત મછાર, ર્ડા. જીતેન્દ્ર મિસ્ત્રી અને ર્ડા. તુષાર ચોક્સીએ સફળ ઓપરેશન કર્યું હતું. લેપ્રોસ્કોપિક સર્જરી થકી દૂર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને 3 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જયારે લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં તબીબોને 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મોહમ્મદ પઠાણની તબિયત સુધારા પર અને તંદુરસ્ત છે. જ્યારે ડોક્ટર લલિત મછારે ખાસ કરીને યુવાનોને શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા માટે સૂચન કર્યું હતું.

 

શા માટે થાય છે પથરી?


જે લોકો આખા દિવસમાં જરૂરિયાત કરતા ઓછું પાણી પીવે છે તેમને કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. કિડની સ્ટોનની સમસ્યાથી બચવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું  જોઈએ. જો લોકો વધુ પડતું મીઠું અને મીઠાઈ ખાવાથી પણ કિડનીમાં પથરી થઈ શકે છે. રોગો અને કિડનીની પથરીથી બચવા માટે મીઠું અને મીઠાઈઓ ઓછી ખાવી જોઈએ. માંસાહારી લોકોને પણ કિડની સ્ટોનનું થઈ શકે છે. કેલ્શિયમ-પ્રોટીન અસંતુલનને કારણે પણ કિડનીમાં પથરી થાય છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.