વડોદરામાં દર્દીના પિત્તાશયમાંથી તબીબોએ લેપ્રોસ્કોપીક સર્જરીથી 1628 પથરી કાઢી, ડોક્ટર પણ દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-07-28 23:26:00

શરીરમાં પથરીની ઘણા લોકોને હોય છે, પથરીના કારણે અસહ્ય પીડા થાય છે. જો  કે ઓપરેશનથી પેટમાં રહેલી પથરીને દુર કરી શકાય છે. વડોદરમાં તબીબોએ ઑપરેશન કરીને એક યુવકના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરી કાઢી હતી. વડોદરાના નવા યાર્ડમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતાં મહંમદ ખલીક પઠાણ (35) પેટમાં ગેસ અને દુખાવાની ફરિયાદ બાદ સારવાર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સોનોગ્રાફી રિપોર્ટ બાદ પથરી હોવાનું નિદાન થયું હતુ. જે બાદ લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા તેના પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપીક સર્જરીથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આજે યુવક પર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દર્દીના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરીઓ દૂર કરવામાં આવી હતી. માનવ શરીરમાં પથરીઓનો આટલો મોટો જથ્થો જોઈને તબીબો પણ દંગ રહી ગયા હતા.


બે કલાક ચાલી સર્જરી


વડોદરામાં રહેતા 35 વર્ષીય દર્દી મોહમ્મદ પઠાણને પેટમાં અસહ્ય પીડા થતી હોવાથી નિઝામપુરામાં આવેલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિ સર્જરી કરાવી હતી.  જે બાદ દર્દી મોહમ્મદ પઠાણની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી, જેમાં ખબર પડી કે  તેને પિતાશયની પથરીનો દુઃખાવો છે. ત્યાર બાદ તેની સીટી સ્કેન મારફતે તપાસ કરવામાં આવી હતી. ગત રોજ લેપ્રોસ્કોપિ સર્જરી સર્જરી કરવામાં આવી હતી. લેપ્રોસ્કોપિ સર્જરી બાદ ર્ડાક્ટરે તે વ્યક્તિનાં શરીરમાંથી 1628 પથરી નીકળી હતી. ત્યારે લેપ્રોસ્કોપિક સર્જન ર્ડા. લલિત મછાર, ર્ડા. જીતેન્દ્ર મિસ્ત્રી અને ર્ડા. તુષાર ચોક્સીએ સફળ ઓપરેશન કર્યું હતું. લેપ્રોસ્કોપિક સર્જરી થકી દૂર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને 3 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જયારે લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં તબીબોને 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મોહમ્મદ પઠાણની તબિયત સુધારા પર અને તંદુરસ્ત છે. જ્યારે ડોક્ટર લલિત મછારે ખાસ કરીને યુવાનોને શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા માટે સૂચન કર્યું હતું.

 

શા માટે થાય છે પથરી?


જે લોકો આખા દિવસમાં જરૂરિયાત કરતા ઓછું પાણી પીવે છે તેમને કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. કિડની સ્ટોનની સમસ્યાથી બચવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું  જોઈએ. જો લોકો વધુ પડતું મીઠું અને મીઠાઈ ખાવાથી પણ કિડનીમાં પથરી થઈ શકે છે. રોગો અને કિડનીની પથરીથી બચવા માટે મીઠું અને મીઠાઈઓ ઓછી ખાવી જોઈએ. માંસાહારી લોકોને પણ કિડની સ્ટોનનું થઈ શકે છે. કેલ્શિયમ-પ્રોટીન અસંતુલનને કારણે પણ કિડનીમાં પથરી થાય છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.