BJPમાં અસંતોષની આંધી! Ranjan Bhatt, સાબરકાંઠાનાં ઉમેદવાર Bhikhaji Thakorએ ચૂંટણી લડવાની ના પાડી! આ બે બેઠક પર સૌ કોઈની નજર..


  • Published By :
  • Published Date : 2024-03-23 17:14:19

ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબધ પાર્ટી ભાજપના કાર્યકર્તાઓ નિષ્ઠાવાન છે અને પક્ષ માટે ખડે પગે ઊભા રહે છે આવું જાહેર મંચ પરથી ભાજપના નેતાઓને આપણે ઘણીવાર આ કહેતા સાંભળ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી આ કાર્યકર્તાઓ અંદરખાને નારાજ દેખાઈ રહ્યા છે કોઈની કોઈ વસ્તુતો એવી છે જેના કારણે આપણે પોસ્ટર જોઈ છે પત્રિકા કાંડ જોયું છે અને નારાજગીના કારણે રાજીનામું આપતા એમએલએ પણ જોયા છે. 



રંજનબેન ભટ્ટ સામે ભભૂકી ઉઠ્યો કાર્યકર્તાઓનો રોષ!

થોડા સમય પહેલા કોંગ્રેસના આંતરિક વિખવાદ અને કકળાટની વાત આખું ગુજરાત કરતું હતું પણ આ ગુજરાતનું નવું ભાજપ છે જેમાં દર થોડા દિવસે કંઈક તો એવું થઈ જાય છે કે અંદરનો અણગમો અને અંદરનો કકળાટ સામે આવી જાય છે એ પછી જ્યોતિબેન જ્વાળા બનીને બહાર આવે કે પછી કેતન ઇનામદાર રાજીનામાની વાત કરે. પણ હવે સ્થિતિ થોડી વધુ બગડી પણ ગઈ છે કારણ કે વાતો એવી થઈ રહી છે કે સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, વડોદરામાં જે ઉમેદવારોના નામ જાહેર થયા છે એના કારણે હવે ભાજપમાં નવો  વિવાદ થઈ શકે છે. બે બેઠકો પર તો થઈ ગયો!


જ્યોતિ પંડ્યાએ મીડિયા સમક્ષ કરી હતી વાત 

સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની. વડોદરામાં તો જ્યારથી ઉમેદવાર તરીકે રંજનબેનના નામની જાહેરાત કરવામાં આવી. ત્યારથી કાર્યકર્તાઓ નારાજ દેખાઈ રહ્યા હતા. અને એ વાત ત્યારે વધારે દ્રઢ બની જ્યારે જ્યોતિ પંડ્યા મીડિયા સમક્ષ આવ્યા અને રંજનબેનને ઉમેદવારી મળી એના વિશે વાત કહી. તે બાદ રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ થઈ જેમાં મોટા મોટા શબ્દોમાં લખેલું હતું કે મોદી તુજસે બેર નહીં પણ રંજન તેરી ખેર નહીં હવે સૌથી પહેલા તો આ પોસ્ટર વાંચીને મગજમાં એ જ ક્લિક થાય ત્યાં કોઈ અંદરના માણસે જ લગાવ્યું છે કારણ કે આ રાજસ્થાનમાં પણ આપણે જોયું છે.


કેતન ઈનામદારનો આંતરાત્મા જાગ્યો પરંતુ તે પાછો સૂઈ ગયો!

હવે વાત ધારાસભ્ય કેતન ઈનામદાર સુધી પણ પહોંચાડીએ એ પણ પાછા નારાજ થયા નારાજ થવાનું કારણ શું હતું તો કોંગ્રેસી નેતાને પદ મળ્યું એ વસ્તુ એ જીરવી ન શક્યા આમ તો રાતે એમનો અંતર આત્મા જાગ્યો કે કેતનભાઇ આ ખોટું થઈ રહ્યું છે.. આમાં તમારું માન સન્માન નથી સચવાતું પણ પાછું બપોરે મીટીંગો થઈ પછી, એમના અંતર આત્માએ કહ્યું કે કેતનભાઇ બસ હવે વધારે અંતરાત્માનું ન સંભળાય! ખેર નેતાઓના અંતરાત્મા તો જાગતા રહેતા હોય છે અને જાગ્યા બાદ થોડા સમયની અંદર સૂઈ પણ જાય છે. આ બધા વિવાદો વચ્ચે આજે રંજનબેન દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે તે ચૂંટણી નથી લડવાના. તેમણે ચૂંટણી લડવામાંથી પીછેહઠ કરી.  


બનાસકાંઠામાં ભાજપ ઉતારશે કોઈ સ્થાનિક ચહેરો!

વાત હવે બનાસના બેનની કરવી છે કારણ કે ત્યાં જબરદસ્ત જામી છે. બનાસકાંઠામાં ભાજપે શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપી છે જે બનાસ ડેરીના સહ સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે. પરિવાર સંઘ સાથે જોડાયેલો છે છતાં ભાજપના જ નેતાઓ તેમના નામથી સંતુષ્ટ નથી. એટલે હમણાં જ થોડા દિવસ પહેલાં એવી વાતો પણ આવી હતી કે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને બદલી કોઈ સ્થાનિક ચહેરો ત્યાં ભાજપ મૂકી શકે છે. બનાસમાં ચિત્ર બદલાય છે કે નહીં એ ખબર નથી તેને આપણે સમય પર છોડીએ.


ધવલ પટેલ સામે પણ ઉઠ્યો વિરોધનો સૂર!

હવે દક્ષિણ ગુજરાત તરફ આવીએ વલસાડની વાત કરીએ તો વલસાડમાં ભાજપે યુવા ચહેરા તરીકે ધવલ પટેલને ટિકિટ આપી. પણ તેમની સામે પત્રિકાઓનો દોર શરૂ થયો. પાર્ટીના જ લોકોએ છપાવેલી પત્રિકામાં પ્રદેશ કક્ષાએ રજૂઆત કરાઈ કે ઓઈબીના રિપોર્ટ પણ જોઈ લો ધવલ પટેલ નિષ્ફળ નેતા છે અને તેમના જ વિસ્તારમાં સરપંચો પણ તેમની વિરુદ્ધ છે. જેમ જેમ હવે દિવસો વીતતા જઈ રહ્યા છે એમ ભાજપના નારાજ નેતાઓ બહાર આવી રહ્યા છે. 


કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે ભાજપ!

અચાનકથી આ બધી નારાજગી બહાર આવવાનું એક બીજું કારણ પણ મનાઈ રહ્યું છે કે જે ભાજપ એવું કહેતું હતું કે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાની છે એ ભાજપ અત્યારે કોંગ્રેસ યુક્ત બનતી જઈ રહી છે પાયાના કાર્યકર્તાને ડર છે કે કૉંગ્રેસ માંથી આવેલા નેતાઓને પદ મળશે અને એવા અનેક ઉદાહરણો પણ આપણી પાસે છે. હવે ભૂતકાળમાં થોડું ડોકીયું કરી આવીએ તો સુરતના પત્રિકા કાંડે રાજનીતિમાં હલચલ મચાવી હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રીઓ તેમજ ધારાસભ્યો સહિત પાટીલ જુથના આગેવાનો પર અનેક આક્ષેપો કરતી પત્રિકા અને પેનડ્રાઈવ ભાજપના જ આગેવાનોને મોકલવામાં આવી હતી. તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર તરીકે ભાજપે ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમણે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. 


શું ભાજપ બદલશે આ બે સીટોના ઉમેદવાર? 

મહત્વનું છે કે ઉપર જે નામોની ચર્ચા થઈ તેમાંથી બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે પીછેહઠ કરી લીધી છે. અને હવે જોવું રહ્યું કે બનાસકાંઠા તેમજ વલસાડ બેઠક પર કંઈ નવા જૂની થાય છે કે પછી ઉમેદવારો એ જ રહે છે! સૌ કોઈની ભાજપના જ નેતાઓ હતા હવે એવું કહી શકાય કે આ નવું ભાજપ છે તમારે આ નવા ભાજપ વિશે કેહવું છે તે અમને કૉમેન્ટમાં જણાવો.



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.