BJPમાં અસંતોષની આંધી! Ranjan Bhatt, સાબરકાંઠાનાં ઉમેદવાર Bhikhaji Thakorએ ચૂંટણી લડવાની ના પાડી! આ બે બેઠક પર સૌ કોઈની નજર..


  • Published By :
  • Published Date : 2024-03-23 17:14:19

ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબધ પાર્ટી ભાજપના કાર્યકર્તાઓ નિષ્ઠાવાન છે અને પક્ષ માટે ખડે પગે ઊભા રહે છે આવું જાહેર મંચ પરથી ભાજપના નેતાઓને આપણે ઘણીવાર આ કહેતા સાંભળ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી આ કાર્યકર્તાઓ અંદરખાને નારાજ દેખાઈ રહ્યા છે કોઈની કોઈ વસ્તુતો એવી છે જેના કારણે આપણે પોસ્ટર જોઈ છે પત્રિકા કાંડ જોયું છે અને નારાજગીના કારણે રાજીનામું આપતા એમએલએ પણ જોયા છે. 



રંજનબેન ભટ્ટ સામે ભભૂકી ઉઠ્યો કાર્યકર્તાઓનો રોષ!

થોડા સમય પહેલા કોંગ્રેસના આંતરિક વિખવાદ અને કકળાટની વાત આખું ગુજરાત કરતું હતું પણ આ ગુજરાતનું નવું ભાજપ છે જેમાં દર થોડા દિવસે કંઈક તો એવું થઈ જાય છે કે અંદરનો અણગમો અને અંદરનો કકળાટ સામે આવી જાય છે એ પછી જ્યોતિબેન જ્વાળા બનીને બહાર આવે કે પછી કેતન ઇનામદાર રાજીનામાની વાત કરે. પણ હવે સ્થિતિ થોડી વધુ બગડી પણ ગઈ છે કારણ કે વાતો એવી થઈ રહી છે કે સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, વડોદરામાં જે ઉમેદવારોના નામ જાહેર થયા છે એના કારણે હવે ભાજપમાં નવો  વિવાદ થઈ શકે છે. બે બેઠકો પર તો થઈ ગયો!


જ્યોતિ પંડ્યાએ મીડિયા સમક્ષ કરી હતી વાત 

સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની. વડોદરામાં તો જ્યારથી ઉમેદવાર તરીકે રંજનબેનના નામની જાહેરાત કરવામાં આવી. ત્યારથી કાર્યકર્તાઓ નારાજ દેખાઈ રહ્યા હતા. અને એ વાત ત્યારે વધારે દ્રઢ બની જ્યારે જ્યોતિ પંડ્યા મીડિયા સમક્ષ આવ્યા અને રંજનબેનને ઉમેદવારી મળી એના વિશે વાત કહી. તે બાદ રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ થઈ જેમાં મોટા મોટા શબ્દોમાં લખેલું હતું કે મોદી તુજસે બેર નહીં પણ રંજન તેરી ખેર નહીં હવે સૌથી પહેલા તો આ પોસ્ટર વાંચીને મગજમાં એ જ ક્લિક થાય ત્યાં કોઈ અંદરના માણસે જ લગાવ્યું છે કારણ કે આ રાજસ્થાનમાં પણ આપણે જોયું છે.


કેતન ઈનામદારનો આંતરાત્મા જાગ્યો પરંતુ તે પાછો સૂઈ ગયો!

હવે વાત ધારાસભ્ય કેતન ઈનામદાર સુધી પણ પહોંચાડીએ એ પણ પાછા નારાજ થયા નારાજ થવાનું કારણ શું હતું તો કોંગ્રેસી નેતાને પદ મળ્યું એ વસ્તુ એ જીરવી ન શક્યા આમ તો રાતે એમનો અંતર આત્મા જાગ્યો કે કેતનભાઇ આ ખોટું થઈ રહ્યું છે.. આમાં તમારું માન સન્માન નથી સચવાતું પણ પાછું બપોરે મીટીંગો થઈ પછી, એમના અંતર આત્માએ કહ્યું કે કેતનભાઇ બસ હવે વધારે અંતરાત્માનું ન સંભળાય! ખેર નેતાઓના અંતરાત્મા તો જાગતા રહેતા હોય છે અને જાગ્યા બાદ થોડા સમયની અંદર સૂઈ પણ જાય છે. આ બધા વિવાદો વચ્ચે આજે રંજનબેન દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે તે ચૂંટણી નથી લડવાના. તેમણે ચૂંટણી લડવામાંથી પીછેહઠ કરી.  


બનાસકાંઠામાં ભાજપ ઉતારશે કોઈ સ્થાનિક ચહેરો!

વાત હવે બનાસના બેનની કરવી છે કારણ કે ત્યાં જબરદસ્ત જામી છે. બનાસકાંઠામાં ભાજપે શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપી છે જે બનાસ ડેરીના સહ સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે. પરિવાર સંઘ સાથે જોડાયેલો છે છતાં ભાજપના જ નેતાઓ તેમના નામથી સંતુષ્ટ નથી. એટલે હમણાં જ થોડા દિવસ પહેલાં એવી વાતો પણ આવી હતી કે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને બદલી કોઈ સ્થાનિક ચહેરો ત્યાં ભાજપ મૂકી શકે છે. બનાસમાં ચિત્ર બદલાય છે કે નહીં એ ખબર નથી તેને આપણે સમય પર છોડીએ.


ધવલ પટેલ સામે પણ ઉઠ્યો વિરોધનો સૂર!

હવે દક્ષિણ ગુજરાત તરફ આવીએ વલસાડની વાત કરીએ તો વલસાડમાં ભાજપે યુવા ચહેરા તરીકે ધવલ પટેલને ટિકિટ આપી. પણ તેમની સામે પત્રિકાઓનો દોર શરૂ થયો. પાર્ટીના જ લોકોએ છપાવેલી પત્રિકામાં પ્રદેશ કક્ષાએ રજૂઆત કરાઈ કે ઓઈબીના રિપોર્ટ પણ જોઈ લો ધવલ પટેલ નિષ્ફળ નેતા છે અને તેમના જ વિસ્તારમાં સરપંચો પણ તેમની વિરુદ્ધ છે. જેમ જેમ હવે દિવસો વીતતા જઈ રહ્યા છે એમ ભાજપના નારાજ નેતાઓ બહાર આવી રહ્યા છે. 


કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે ભાજપ!

અચાનકથી આ બધી નારાજગી બહાર આવવાનું એક બીજું કારણ પણ મનાઈ રહ્યું છે કે જે ભાજપ એવું કહેતું હતું કે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાની છે એ ભાજપ અત્યારે કોંગ્રેસ યુક્ત બનતી જઈ રહી છે પાયાના કાર્યકર્તાને ડર છે કે કૉંગ્રેસ માંથી આવેલા નેતાઓને પદ મળશે અને એવા અનેક ઉદાહરણો પણ આપણી પાસે છે. હવે ભૂતકાળમાં થોડું ડોકીયું કરી આવીએ તો સુરતના પત્રિકા કાંડે રાજનીતિમાં હલચલ મચાવી હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રીઓ તેમજ ધારાસભ્યો સહિત પાટીલ જુથના આગેવાનો પર અનેક આક્ષેપો કરતી પત્રિકા અને પેનડ્રાઈવ ભાજપના જ આગેવાનોને મોકલવામાં આવી હતી. તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર તરીકે ભાજપે ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમણે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. 


શું ભાજપ બદલશે આ બે સીટોના ઉમેદવાર? 

મહત્વનું છે કે ઉપર જે નામોની ચર્ચા થઈ તેમાંથી બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે પીછેહઠ કરી લીધી છે. અને હવે જોવું રહ્યું કે બનાસકાંઠા તેમજ વલસાડ બેઠક પર કંઈ નવા જૂની થાય છે કે પછી ઉમેદવારો એ જ રહે છે! સૌ કોઈની ભાજપના જ નેતાઓ હતા હવે એવું કહી શકાય કે આ નવું ભાજપ છે તમારે આ નવા ભાજપ વિશે કેહવું છે તે અમને કૉમેન્ટમાં જણાવો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.