Gujaratમાં વરસાદની તોફાની બેટિંગ, અનેક ગામો બેટમાં ફેરવાયા, જાણો આગામી દિવસોમાં ક્યાં માટે અપાયું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-07-24 09:56:18

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગુજરાતના થોડા ભાગોને છોડીને મુખ્યત્વે ભાગોમાં વરસાદે પધરામણી કરી લીધી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ હોય.. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર અનેક વિસ્તારો માટે આજે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




આવતી કાલે કેવું રહેશે વાતાવરણ?

તે સિવાય કચ્છ, રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રગર, મોરબી, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, સુરત, નવસારી, વલસાજ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ 

જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ માટે 25 તારીખે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



206 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો વરસાદ 

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જ્યારે અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર,નર્મદા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.  




આ વખતની ગરમીએ ભુક્કા બોલાવ્યા!

આ વખતનો ઉનાળો કપરો રહ્યો હતો. ઉનાળાએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.. તાપમાન સતત વધી રહ્યું હતું, જેને કારણે લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા.. ક્યારે વરસાદ આવે અને ગરમીમાંથી મુક્તિ મળે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. આ વખતે વરસાદની પધરામણી ટાઈમ કરતા ચાર દિવસ પહેલા થઈ. જેને કારણે લોકોને આશા બંધાઈ કે ગરમીથી જલ્દી રાહત મળશે પરંતુ ચોમાસું નબળું પડી ગયું. 



ભારે વરસાદથી લોકો કંટાળ્યા

રાજ્યના અનેક ભાગોમાં એટલો બધો વરસાદ વરસ્યો છે કે લોકો જાણે વરસાદથી કંટાળી ગયા હોય તેવું લાગે.. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જે જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે.. જ્યાં વધારે વરસાદ પડી રહ્યો છે ત્યાંના લોકો વરસાદથી કંટાળ્યા હશે અને જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાંના લોકો બફારાથી કંટાળ્યા હશે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.