Gujaratમાં વરસાદની તોફાની બેટિંગ, અનેક ગામો બેટમાં ફેરવાયા, જાણો આગામી દિવસોમાં ક્યાં માટે અપાયું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-07-24 09:56:18

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગુજરાતના થોડા ભાગોને છોડીને મુખ્યત્વે ભાગોમાં વરસાદે પધરામણી કરી લીધી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ હોય.. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર અનેક વિસ્તારો માટે આજે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




આવતી કાલે કેવું રહેશે વાતાવરણ?

તે સિવાય કચ્છ, રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રગર, મોરબી, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, સુરત, નવસારી, વલસાજ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ 

જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ માટે 25 તારીખે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



206 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો વરસાદ 

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જ્યારે અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર,નર્મદા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.  




આ વખતની ગરમીએ ભુક્કા બોલાવ્યા!

આ વખતનો ઉનાળો કપરો રહ્યો હતો. ઉનાળાએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.. તાપમાન સતત વધી રહ્યું હતું, જેને કારણે લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા.. ક્યારે વરસાદ આવે અને ગરમીમાંથી મુક્તિ મળે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. આ વખતે વરસાદની પધરામણી ટાઈમ કરતા ચાર દિવસ પહેલા થઈ. જેને કારણે લોકોને આશા બંધાઈ કે ગરમીથી જલ્દી રાહત મળશે પરંતુ ચોમાસું નબળું પડી ગયું. 



ભારે વરસાદથી લોકો કંટાળ્યા

રાજ્યના અનેક ભાગોમાં એટલો બધો વરસાદ વરસ્યો છે કે લોકો જાણે વરસાદથી કંટાળી ગયા હોય તેવું લાગે.. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જે જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે.. જ્યાં વધારે વરસાદ પડી રહ્યો છે ત્યાંના લોકો વરસાદથી કંટાળ્યા હશે અને જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાંના લોકો બફારાથી કંટાળ્યા હશે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો. 



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.