Gujaratમાં વરસાદની તોફાની બેટિંગ, અનેક ગામો બેટમાં ફેરવાયા, જાણો આગામી દિવસોમાં ક્યાં માટે અપાયું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-07-24 09:56:18

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગુજરાતના થોડા ભાગોને છોડીને મુખ્યત્વે ભાગોમાં વરસાદે પધરામણી કરી લીધી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ હોય.. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર અનેક વિસ્તારો માટે આજે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




આવતી કાલે કેવું રહેશે વાતાવરણ?

તે સિવાય કચ્છ, રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રગર, મોરબી, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, સુરત, નવસારી, વલસાજ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ 

જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ માટે 25 તારીખે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



206 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો વરસાદ 

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જ્યારે અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર,નર્મદા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.  




આ વખતની ગરમીએ ભુક્કા બોલાવ્યા!

આ વખતનો ઉનાળો કપરો રહ્યો હતો. ઉનાળાએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.. તાપમાન સતત વધી રહ્યું હતું, જેને કારણે લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા.. ક્યારે વરસાદ આવે અને ગરમીમાંથી મુક્તિ મળે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. આ વખતે વરસાદની પધરામણી ટાઈમ કરતા ચાર દિવસ પહેલા થઈ. જેને કારણે લોકોને આશા બંધાઈ કે ગરમીથી જલ્દી રાહત મળશે પરંતુ ચોમાસું નબળું પડી ગયું. 



ભારે વરસાદથી લોકો કંટાળ્યા

રાજ્યના અનેક ભાગોમાં એટલો બધો વરસાદ વરસ્યો છે કે લોકો જાણે વરસાદથી કંટાળી ગયા હોય તેવું લાગે.. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જે જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે.. જ્યાં વધારે વરસાદ પડી રહ્યો છે ત્યાંના લોકો વરસાદથી કંટાળ્યા હશે અને જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાંના લોકો બફારાથી કંટાળ્યા હશે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો. 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.