Gujaratમાં વરસાદની તોફાની બેટિંગ, અનેક ગામો બેટમાં ફેરવાયા, જાણો આગામી દિવસોમાં ક્યાં માટે અપાયું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-07-24 09:56:18

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગુજરાતના થોડા ભાગોને છોડીને મુખ્યત્વે ભાગોમાં વરસાદે પધરામણી કરી લીધી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ હોય.. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર અનેક વિસ્તારો માટે આજે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




આવતી કાલે કેવું રહેશે વાતાવરણ?

તે સિવાય કચ્છ, રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રગર, મોરબી, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, સુરત, નવસારી, વલસાજ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ 

જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ માટે 25 તારીખે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



206 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો વરસાદ 

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જ્યારે અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર,નર્મદા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.  




આ વખતની ગરમીએ ભુક્કા બોલાવ્યા!

આ વખતનો ઉનાળો કપરો રહ્યો હતો. ઉનાળાએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.. તાપમાન સતત વધી રહ્યું હતું, જેને કારણે લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા.. ક્યારે વરસાદ આવે અને ગરમીમાંથી મુક્તિ મળે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. આ વખતે વરસાદની પધરામણી ટાઈમ કરતા ચાર દિવસ પહેલા થઈ. જેને કારણે લોકોને આશા બંધાઈ કે ગરમીથી જલ્દી રાહત મળશે પરંતુ ચોમાસું નબળું પડી ગયું. 



ભારે વરસાદથી લોકો કંટાળ્યા

રાજ્યના અનેક ભાગોમાં એટલો બધો વરસાદ વરસ્યો છે કે લોકો જાણે વરસાદથી કંટાળી ગયા હોય તેવું લાગે.. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જે જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે.. જ્યાં વધારે વરસાદ પડી રહ્યો છે ત્યાંના લોકો વરસાદથી કંટાળ્યા હશે અને જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાંના લોકો બફારાથી કંટાળ્યા હશે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."