રખડતા પશુઓને પકડવામાં તો આવે છે, પરંતુ ઢોરવાસમાં આવી હાલતમાં રખાય છે! વીડિયો જોઈ દિલ કાંપી ઉઠશે


  • Published By :
  • Published Date : 2023-09-08 14:47:21

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. રખડતા ઢોરનો શિકાર લોકો પ્રતિદિન બની રહ્યા છે. હાઈકોર્ટની કડક ફટકાર બાદ રસ્તા પર ફરતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા પરથી લોકોને રખડતા પશુના ત્રાસથી રાહત મળે તે માટે એએમસી દ્વારા રખડતા પશુઓને પકડવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આ ઝુંબેશ શરૂ થઈ છે. મોટા પ્રમાણમાં ઢોરને પકડી લેવામાં આવ્યા છે. આંકડાઓ પણ સામે આવ્યા હતા ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં જે રીતે પશુઓને રાખવામાં આવ્યા છે તે દ્રશ્યો જોઈને આપણને પશુઓની ચિંતા થવા લાગશે. ઢોરવાસમાં એટલા બધા પશુઓને રાખવામાં આવ્યા છે કે પશુઓ શ્વાસ પણ નથી લઈ શક્તા. 

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્ટિવ થયું  

રસ્તા પરથી જ્યારે માણસ પસાર થાય ત્યારે સૌથી વધારે જો સમસ્યાનો સામનો તેમને કરવો પડે તો તે છે રખડતા ઢોરનો. ખરાબ રસ્તાની વાત અમે નથી કરી રહ્યા. રખડતા ઢોરનો ત્રાસ, રખડતા પશુ દ્વારા કરવામાં આવતા હુમલાઓને કારણે રાહદારીઓને તેમજ વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તા પર શાંત લાગતા પશુઓ અચાનક દોડવા લાગે છે, એક બીજા સાથે લડવા લાગે છે, જેને કારણે રાહદારીઓના જીવન પર સંકટ તોડાતું રહ્યું છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 


વીડિયો સામે આવ્યો છે જે જોઈને ગાયોની દયા આવશે 

રસ્તા પર જ્યારે રખડતા ઢોરને પકડવાની કામગીરી થતી હોય ત્યારે પશુપાલકો પોતાના ઢોરને એ રીતે દોડાવે છે જેને કારણે રાહદારીઓના જીવન પર વધુ સંકટ તોડાતું હોય છે. જ્યારે તંત્રની ટીમ ઢોરને પકડવા માટે જતી હોય અને ટીમ પહોંચે તેની પહેલા જ રખડતા પશુઓને ત્યાંથી હટાવી લેવામાં આવે છે. રસ્તા પરથી રખડતા ઢોર હટાવાઈ રહ્યા છે પરંતુ પકડીને જે સ્થિતિમાં રાખવામાં આવે છે તે અત્યંત દયનિય છે. 


કોંગ્રેસ દ્વારા શેર કરાયો છે વીડિયો 

એક વીડિયો સામે આવ્યો છે જે બહેરામપુરાનો હોવાનું સામે આવ્યું છે. ક્ષમતા કરતા વધારે પશુઓને રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગાયોને ખીચોખીચ ભરવામાં આવી છે. હલનચલનની પણ જગ્યા પશુ માટે રાખવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


ઢોરવાસમાં ક્ષમતા કરતા વધારે રખાયા છે ઢોર!

મહત્વનું છે કે રસ્તા પરથી રખડતા પશુઓને અવશ્ય હટાવવામાં આવે, હટાવા જોઈએ પરંતુ ગાયોને પણ જીવનનો અધિકાર છે. ગાયોને પકડો પરંતુ તેમને પણ જેટલી જગ્યા જોઈતી હોય તે આપો. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ જ્યારે ગાય માતા સાથે આવું વર્તન થાય તે યોગ્ય નથી તેવું લોકોનું કહેવું છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.