રખડતા પશુઓને પકડવામાં તો આવે છે, પરંતુ ઢોરવાસમાં આવી હાલતમાં રખાય છે! વીડિયો જોઈ દિલ કાંપી ઉઠશે


  • Published By :
  • Published Date : 2023-09-08 14:47:21

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. રખડતા ઢોરનો શિકાર લોકો પ્રતિદિન બની રહ્યા છે. હાઈકોર્ટની કડક ફટકાર બાદ રસ્તા પર ફરતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા પરથી લોકોને રખડતા પશુના ત્રાસથી રાહત મળે તે માટે એએમસી દ્વારા રખડતા પશુઓને પકડવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આ ઝુંબેશ શરૂ થઈ છે. મોટા પ્રમાણમાં ઢોરને પકડી લેવામાં આવ્યા છે. આંકડાઓ પણ સામે આવ્યા હતા ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં જે રીતે પશુઓને રાખવામાં આવ્યા છે તે દ્રશ્યો જોઈને આપણને પશુઓની ચિંતા થવા લાગશે. ઢોરવાસમાં એટલા બધા પશુઓને રાખવામાં આવ્યા છે કે પશુઓ શ્વાસ પણ નથી લઈ શક્તા. 

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્ટિવ થયું  

રસ્તા પરથી જ્યારે માણસ પસાર થાય ત્યારે સૌથી વધારે જો સમસ્યાનો સામનો તેમને કરવો પડે તો તે છે રખડતા ઢોરનો. ખરાબ રસ્તાની વાત અમે નથી કરી રહ્યા. રખડતા ઢોરનો ત્રાસ, રખડતા પશુ દ્વારા કરવામાં આવતા હુમલાઓને કારણે રાહદારીઓને તેમજ વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તા પર શાંત લાગતા પશુઓ અચાનક દોડવા લાગે છે, એક બીજા સાથે લડવા લાગે છે, જેને કારણે રાહદારીઓના જીવન પર સંકટ તોડાતું રહ્યું છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 


વીડિયો સામે આવ્યો છે જે જોઈને ગાયોની દયા આવશે 

રસ્તા પર જ્યારે રખડતા ઢોરને પકડવાની કામગીરી થતી હોય ત્યારે પશુપાલકો પોતાના ઢોરને એ રીતે દોડાવે છે જેને કારણે રાહદારીઓના જીવન પર વધુ સંકટ તોડાતું હોય છે. જ્યારે તંત્રની ટીમ ઢોરને પકડવા માટે જતી હોય અને ટીમ પહોંચે તેની પહેલા જ રખડતા પશુઓને ત્યાંથી હટાવી લેવામાં આવે છે. રસ્તા પરથી રખડતા ઢોર હટાવાઈ રહ્યા છે પરંતુ પકડીને જે સ્થિતિમાં રાખવામાં આવે છે તે અત્યંત દયનિય છે. 


કોંગ્રેસ દ્વારા શેર કરાયો છે વીડિયો 

એક વીડિયો સામે આવ્યો છે જે બહેરામપુરાનો હોવાનું સામે આવ્યું છે. ક્ષમતા કરતા વધારે પશુઓને રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગાયોને ખીચોખીચ ભરવામાં આવી છે. હલનચલનની પણ જગ્યા પશુ માટે રાખવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


ઢોરવાસમાં ક્ષમતા કરતા વધારે રખાયા છે ઢોર!

મહત્વનું છે કે રસ્તા પરથી રખડતા પશુઓને અવશ્ય હટાવવામાં આવે, હટાવા જોઈએ પરંતુ ગાયોને પણ જીવનનો અધિકાર છે. ગાયોને પકડો પરંતુ તેમને પણ જેટલી જગ્યા જોઈતી હોય તે આપો. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ જ્યારે ગાય માતા સાથે આવું વર્તન થાય તે યોગ્ય નથી તેવું લોકોનું કહેવું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.