રખડતા પશુઓને પકડવામાં તો આવે છે, પરંતુ ઢોરવાસમાં આવી હાલતમાં રખાય છે! વીડિયો જોઈ દિલ કાંપી ઉઠશે


  • Published By :
  • Published Date : 2023-09-08 14:47:21

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. રખડતા ઢોરનો શિકાર લોકો પ્રતિદિન બની રહ્યા છે. હાઈકોર્ટની કડક ફટકાર બાદ રસ્તા પર ફરતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા પરથી લોકોને રખડતા પશુના ત્રાસથી રાહત મળે તે માટે એએમસી દ્વારા રખડતા પશુઓને પકડવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આ ઝુંબેશ શરૂ થઈ છે. મોટા પ્રમાણમાં ઢોરને પકડી લેવામાં આવ્યા છે. આંકડાઓ પણ સામે આવ્યા હતા ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં જે રીતે પશુઓને રાખવામાં આવ્યા છે તે દ્રશ્યો જોઈને આપણને પશુઓની ચિંતા થવા લાગશે. ઢોરવાસમાં એટલા બધા પશુઓને રાખવામાં આવ્યા છે કે પશુઓ શ્વાસ પણ નથી લઈ શક્તા. 

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્ટિવ થયું  

રસ્તા પરથી જ્યારે માણસ પસાર થાય ત્યારે સૌથી વધારે જો સમસ્યાનો સામનો તેમને કરવો પડે તો તે છે રખડતા ઢોરનો. ખરાબ રસ્તાની વાત અમે નથી કરી રહ્યા. રખડતા ઢોરનો ત્રાસ, રખડતા પશુ દ્વારા કરવામાં આવતા હુમલાઓને કારણે રાહદારીઓને તેમજ વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તા પર શાંત લાગતા પશુઓ અચાનક દોડવા લાગે છે, એક બીજા સાથે લડવા લાગે છે, જેને કારણે રાહદારીઓના જીવન પર સંકટ તોડાતું રહ્યું છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 


વીડિયો સામે આવ્યો છે જે જોઈને ગાયોની દયા આવશે 

રસ્તા પર જ્યારે રખડતા ઢોરને પકડવાની કામગીરી થતી હોય ત્યારે પશુપાલકો પોતાના ઢોરને એ રીતે દોડાવે છે જેને કારણે રાહદારીઓના જીવન પર વધુ સંકટ તોડાતું હોય છે. જ્યારે તંત્રની ટીમ ઢોરને પકડવા માટે જતી હોય અને ટીમ પહોંચે તેની પહેલા જ રખડતા પશુઓને ત્યાંથી હટાવી લેવામાં આવે છે. રસ્તા પરથી રખડતા ઢોર હટાવાઈ રહ્યા છે પરંતુ પકડીને જે સ્થિતિમાં રાખવામાં આવે છે તે અત્યંત દયનિય છે. 


કોંગ્રેસ દ્વારા શેર કરાયો છે વીડિયો 

એક વીડિયો સામે આવ્યો છે જે બહેરામપુરાનો હોવાનું સામે આવ્યું છે. ક્ષમતા કરતા વધારે પશુઓને રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગાયોને ખીચોખીચ ભરવામાં આવી છે. હલનચલનની પણ જગ્યા પશુ માટે રાખવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


ઢોરવાસમાં ક્ષમતા કરતા વધારે રખાયા છે ઢોર!

મહત્વનું છે કે રસ્તા પરથી રખડતા પશુઓને અવશ્ય હટાવવામાં આવે, હટાવા જોઈએ પરંતુ ગાયોને પણ જીવનનો અધિકાર છે. ગાયોને પકડો પરંતુ તેમને પણ જેટલી જગ્યા જોઈતી હોય તે આપો. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ જ્યારે ગાય માતા સાથે આવું વર્તન થાય તે યોગ્ય નથી તેવું લોકોનું કહેવું છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.