ચૂંટણી બની મજબુરી! રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પાછું મોકલ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 19:11:48

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ચૂંટણી ટાણે રાજ્યની ભાજપ સરકારને માલધારીઓની નારાજગી પરવડે નહી તેથી સરકારે કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.


 રાજ્યપાલે વિચારણા માટે બિલ પરત મોકલ્યું


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બીલ પુનઃવિચારણા માટે મોકલ્યું છે જેનો સીધો મતલબ છે કે વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે. મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે તેમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ થઈ શકે છે. માલધારી સમાજમાં રોષ જોતાં સરકાર દ્વારા બીલ પરત ખેંચવા માટે બાંહેધરી અપાઇ હતી. જો કે ઘણા મહિનાઓ વિત્યા છતાં પણ કોઈ નિવેડો ન આવતા શેરથા ખાતે યોજાયેલા માલધારી મહાસંમેલનમાં 11 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.



શેરથામાં યોજાયેલા મહાસંમલેનમાં કાયદાનો ઉગ્ર વિરોધ થયો હતો


રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો હતો. ગઈ કાલે રવિવારે જ માલધારી સમાજનું મહાસંમલેન શેરથા ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં સરકારના ઢોર નિયંત્રણ બિલને લઈ રોષ જોવા મળ્યો હતો. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, અમે કેટલાય સમયથી અમારા 14 મુદ્દાની માગ કરતા હતા. તેવામાં સરકાર ઢોર નિયંત્રણ બિલ લઈને આવી જેનાથી એવું લાગી રહ્યુ છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય. મહત્વનું છે કે કાયદો વિધાનસભામાં પસાર થયાના થોડા દિવસમાં તેને લાગુ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યો હતો. અડાલજ પાસેના શેરથા ખાતે યોજાયેલા માલધારી વેદના મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ સભામાં ભાગ લીધો હતો. 


રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈને સરકાર ધર્મ સંકટમાં મૂકાઈ 


ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ સરકારે વિધાનસભામાં બિલ પસાર કરીને ઢોર નિયંત્રણ કાયદો બનાવ્યો હતો. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં ઢોર રાખનારાઓને માટે લાઈસન્સ લેવું તેમજ પ્રાણીઓને ટેગ કરાવવું ફરજિયાત બનાવાયું હતું. જે વ્યક્તિ આ કાયદાનો ભંગ કરે તેને જેલની સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી હતી. જોકે, તેની સામે માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની ભાજપ સરકાર માલધારી સમાજને નાખૂશ કરીને જોખમ વહોરવા માગતી નથી અને એટલા માટે હવે સરકારને આ બંને કાયદામાં પીછેહઠ કરવા મજબૂર બનવું પડ્યું છે.


સરકારે પસાર કરેલા આ કાયદા હેઠળ 8 મહાનગરો અને 156 નાના શહેરોને આવરી લેવાયા હતા. આ તમામ શહેરોમાં ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત બનાવાયું હતું અને લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાનું પણ ફરજિયાત હતું. કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની જેલ અને 10 હજાર રુપિયાનો દંડ અથવા બંનેની જોગવાઈ પણ હતી.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"