ચૂંટણી બની મજબુરી! રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પાછું મોકલ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 19:11:48

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ચૂંટણી ટાણે રાજ્યની ભાજપ સરકારને માલધારીઓની નારાજગી પરવડે નહી તેથી સરકારે કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.


 રાજ્યપાલે વિચારણા માટે બિલ પરત મોકલ્યું


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બીલ પુનઃવિચારણા માટે મોકલ્યું છે જેનો સીધો મતલબ છે કે વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે. મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે તેમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ થઈ શકે છે. માલધારી સમાજમાં રોષ જોતાં સરકાર દ્વારા બીલ પરત ખેંચવા માટે બાંહેધરી અપાઇ હતી. જો કે ઘણા મહિનાઓ વિત્યા છતાં પણ કોઈ નિવેડો ન આવતા શેરથા ખાતે યોજાયેલા માલધારી મહાસંમેલનમાં 11 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.



શેરથામાં યોજાયેલા મહાસંમલેનમાં કાયદાનો ઉગ્ર વિરોધ થયો હતો


રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો હતો. ગઈ કાલે રવિવારે જ માલધારી સમાજનું મહાસંમલેન શેરથા ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં સરકારના ઢોર નિયંત્રણ બિલને લઈ રોષ જોવા મળ્યો હતો. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, અમે કેટલાય સમયથી અમારા 14 મુદ્દાની માગ કરતા હતા. તેવામાં સરકાર ઢોર નિયંત્રણ બિલ લઈને આવી જેનાથી એવું લાગી રહ્યુ છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય. મહત્વનું છે કે કાયદો વિધાનસભામાં પસાર થયાના થોડા દિવસમાં તેને લાગુ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યો હતો. અડાલજ પાસેના શેરથા ખાતે યોજાયેલા માલધારી વેદના મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ સભામાં ભાગ લીધો હતો. 


રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈને સરકાર ધર્મ સંકટમાં મૂકાઈ 


ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ સરકારે વિધાનસભામાં બિલ પસાર કરીને ઢોર નિયંત્રણ કાયદો બનાવ્યો હતો. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં ઢોર રાખનારાઓને માટે લાઈસન્સ લેવું તેમજ પ્રાણીઓને ટેગ કરાવવું ફરજિયાત બનાવાયું હતું. જે વ્યક્તિ આ કાયદાનો ભંગ કરે તેને જેલની સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી હતી. જોકે, તેની સામે માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની ભાજપ સરકાર માલધારી સમાજને નાખૂશ કરીને જોખમ વહોરવા માગતી નથી અને એટલા માટે હવે સરકારને આ બંને કાયદામાં પીછેહઠ કરવા મજબૂર બનવું પડ્યું છે.


સરકારે પસાર કરેલા આ કાયદા હેઠળ 8 મહાનગરો અને 156 નાના શહેરોને આવરી લેવાયા હતા. આ તમામ શહેરોમાં ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત બનાવાયું હતું અને લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાનું પણ ફરજિયાત હતું. કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની જેલ અને 10 હજાર રુપિયાનો દંડ અથવા બંનેની જોગવાઈ પણ હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.