ચૂંટણી બની મજબુરી! રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પાછું મોકલ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 19:11:48

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ચૂંટણી ટાણે રાજ્યની ભાજપ સરકારને માલધારીઓની નારાજગી પરવડે નહી તેથી સરકારે કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.


 રાજ્યપાલે વિચારણા માટે બિલ પરત મોકલ્યું


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બીલ પુનઃવિચારણા માટે મોકલ્યું છે જેનો સીધો મતલબ છે કે વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે. મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે તેમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ થઈ શકે છે. માલધારી સમાજમાં રોષ જોતાં સરકાર દ્વારા બીલ પરત ખેંચવા માટે બાંહેધરી અપાઇ હતી. જો કે ઘણા મહિનાઓ વિત્યા છતાં પણ કોઈ નિવેડો ન આવતા શેરથા ખાતે યોજાયેલા માલધારી મહાસંમેલનમાં 11 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.



શેરથામાં યોજાયેલા મહાસંમલેનમાં કાયદાનો ઉગ્ર વિરોધ થયો હતો


રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો હતો. ગઈ કાલે રવિવારે જ માલધારી સમાજનું મહાસંમલેન શેરથા ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં સરકારના ઢોર નિયંત્રણ બિલને લઈ રોષ જોવા મળ્યો હતો. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, અમે કેટલાય સમયથી અમારા 14 મુદ્દાની માગ કરતા હતા. તેવામાં સરકાર ઢોર નિયંત્રણ બિલ લઈને આવી જેનાથી એવું લાગી રહ્યુ છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય. મહત્વનું છે કે કાયદો વિધાનસભામાં પસાર થયાના થોડા દિવસમાં તેને લાગુ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યો હતો. અડાલજ પાસેના શેરથા ખાતે યોજાયેલા માલધારી વેદના મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ સભામાં ભાગ લીધો હતો. 


રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈને સરકાર ધર્મ સંકટમાં મૂકાઈ 


ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ સરકારે વિધાનસભામાં બિલ પસાર કરીને ઢોર નિયંત્રણ કાયદો બનાવ્યો હતો. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં ઢોર રાખનારાઓને માટે લાઈસન્સ લેવું તેમજ પ્રાણીઓને ટેગ કરાવવું ફરજિયાત બનાવાયું હતું. જે વ્યક્તિ આ કાયદાનો ભંગ કરે તેને જેલની સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી હતી. જોકે, તેની સામે માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની ભાજપ સરકાર માલધારી સમાજને નાખૂશ કરીને જોખમ વહોરવા માગતી નથી અને એટલા માટે હવે સરકારને આ બંને કાયદામાં પીછેહઠ કરવા મજબૂર બનવું પડ્યું છે.


સરકારે પસાર કરેલા આ કાયદા હેઠળ 8 મહાનગરો અને 156 નાના શહેરોને આવરી લેવાયા હતા. આ તમામ શહેરોમાં ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત બનાવાયું હતું અને લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાનું પણ ફરજિયાત હતું. કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની જેલ અને 10 હજાર રુપિયાનો દંડ અથવા બંનેની જોગવાઈ પણ હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.