રખડતા ઢોરનો આતંક યથાવત, વાંકાનેરના દીવાનપરામાં રખડતા ઢોરે વૃદ્ધાને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા


  • Published By :
  • Published Date : 2023-07-25 14:32:59

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે, અત્યાર સુધીમાં અનેક લોકોના મોત અને ઘાયલ થઈ ચુક્યા છે. હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને લપડાક લગાવી હોવા છતાં પરિસ્થિતી જૈસે થે છે. વાંકાનેરમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. જેમાં દિવાનપરા વિસ્તારમાં રસ્તે જતાં વૃદ્ધ મહિલાને ઢોરે અડફેટે લેતાં વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ઢોર પકડવાના મામલે કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ સમગ્ર ઘટના  CCTVમાં પણ કેદ થઈ છે અને  CCTV સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે.


વૃધ્ધાને હોસ્પિટલમાં ખસેડાયા


વાંકાનેરની આ ઘટના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલા રસ્તા પરથી ચાલીને જઈ રહ્યા છે. ત્યારે બે રખડતા ઢોર ત્યાં આવે છે. બેમાંથી એક ઢોર વૃદ્ધ મહિલાની પાછળ દોડે છે. વૃદ્ધા પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે તેની સાથે રહેલી અન્ય મહિલા પણ ત્યાં આવે છે પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધાની પાછળ રહેલો ઢોર તેને પોતાના શીંગડા પર ઉઠાવી લે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં તેને જોરથી રસ્તા પર પટકે છે. જેને પગલે વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇને બેભાન થઈ જાય છે. ત્યાર બાદ અન્ય મહિલા વૃદ્ધાની પાસે પહોંચે છે અને આસપાસના લોકોની મદદથી વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવી છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થઇ છે અને તે સીસીટીવી સોસીયલ મીડિયામાં વાઈરલ થયા છે પરંતુ તંત્ર દ્વારા આ વિડીયો જોઇને રખડતા ઢોર મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પ્રજાજનોને રામ ભરોસે જ રોડ પરથી પસાર થવું પડશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.