અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલીસીનો આજથી અમલ, AMCતંત્રએ 7 ઝોનમાંથી 58 ઢોર પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-09-01 22:00:17

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રસ્તે-રસ્તે રખડતા ઢોર રાહદારીઓ અને વાહનચાલકોને પણ અડફેટે લઈ રહ્યા છે. રસ્તા પર ભટકતુ મોત હોય તે પ્રકારનો ત્રાસ શહેરમાં જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર મામલે અગાઉ હાઇકોર્ટ દ્વારા પણ તંત્રને કાર્યવાહી કરવાની ટકોર કરવામાં આવી છે, છતાં હાઇકોર્ટના આદેશનું પણ જાણે તંત્ર ઉલ્લંઘન કરતો હોય તેવું જોવા મળી ચૂક્યું છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી નવી પોલિસી બનાવવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ આજથી એટલે કે પહેલી સપ્ટેમ્બરથી રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે બનેલી નવી પોલિસીનો અમલનો આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા રોડ પર રખડતા ઢોર પકડવા માટે વિવિધ ઝોન વોર્ડના વિભાગને મહત્ત્વની સૂચના અંગેનો એક પરિપત્ર કર્યો હતો.


રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ


અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિવિધ વિભાગોને આ પોલીસીના અમલ માટે આદેશ કર્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર શહેરના સાત ઝોનના અડતાલીસ વોર્ડના વિસ્તારમાં રોડ ઉપર રખડતા પશુઓને પકડવા સી.એન.સી.ડી. સહિતના અન્ય વિભાગોને જવાબદારી સોંપી છે. આજે 1 સપ્ટેમ્બર 2023થી આ નિતીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આજ રોજ 58 ઢોર પકડવામાં આવ્યા છે અને ગેરકાયદેસર ઘાસચારો વેચતા સાત સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રખડતા પશુને લગતી ફરિયાદોની સમીક્ષા કરી વધુ ફરિયાદ આવતી હોય તેવા વોર્ડ-વિસ્તારમાં સંયુકત ડ્રાઈવ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે.


અમદાવાદના આ વિસ્તારોમાં કાર્યવાહી


અમદાવાદ શહેરનાં 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતાં મૂકવામાં આવેલા 58 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. તથા જમાલપુર, અમરાઇવાડી, રાધારમણ સાસાયટી, અનિલ સ્ટાર્ચ મીલની પાસે, સરદાર નગર બઝાર રોડ, સીટી ગોલ્ડ સિનેમા રોડ અને મણીધર મહારાજ પાસે ગેરકાયદેસર ઘાસ વેચતા ઇસમો વિરુધ્ધ જે-તે પોલીસ સ્ટેશનમાં 7 પોલીસ ફરિયાદ કરાઇ છે અને 235 ક્રિ.ગ્રા ઘાસચારો જપ્ત કરાયો છે. 36 જેટલા પશુઓમાં RFID ચીપ અને ટેગીંગ કરવામાં આવ્યું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.