અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલીસીનો આજથી અમલ, AMCતંત્રએ 7 ઝોનમાંથી 58 ઢોર પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-09-01 22:00:17

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રસ્તે-રસ્તે રખડતા ઢોર રાહદારીઓ અને વાહનચાલકોને પણ અડફેટે લઈ રહ્યા છે. રસ્તા પર ભટકતુ મોત હોય તે પ્રકારનો ત્રાસ શહેરમાં જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર મામલે અગાઉ હાઇકોર્ટ દ્વારા પણ તંત્રને કાર્યવાહી કરવાની ટકોર કરવામાં આવી છે, છતાં હાઇકોર્ટના આદેશનું પણ જાણે તંત્ર ઉલ્લંઘન કરતો હોય તેવું જોવા મળી ચૂક્યું છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી નવી પોલિસી બનાવવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ આજથી એટલે કે પહેલી સપ્ટેમ્બરથી રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે બનેલી નવી પોલિસીનો અમલનો આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા રોડ પર રખડતા ઢોર પકડવા માટે વિવિધ ઝોન વોર્ડના વિભાગને મહત્ત્વની સૂચના અંગેનો એક પરિપત્ર કર્યો હતો.


રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ


અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિવિધ વિભાગોને આ પોલીસીના અમલ માટે આદેશ કર્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર શહેરના સાત ઝોનના અડતાલીસ વોર્ડના વિસ્તારમાં રોડ ઉપર રખડતા પશુઓને પકડવા સી.એન.સી.ડી. સહિતના અન્ય વિભાગોને જવાબદારી સોંપી છે. આજે 1 સપ્ટેમ્બર 2023થી આ નિતીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આજ રોજ 58 ઢોર પકડવામાં આવ્યા છે અને ગેરકાયદેસર ઘાસચારો વેચતા સાત સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રખડતા પશુને લગતી ફરિયાદોની સમીક્ષા કરી વધુ ફરિયાદ આવતી હોય તેવા વોર્ડ-વિસ્તારમાં સંયુકત ડ્રાઈવ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે.


અમદાવાદના આ વિસ્તારોમાં કાર્યવાહી


અમદાવાદ શહેરનાં 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતાં મૂકવામાં આવેલા 58 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. તથા જમાલપુર, અમરાઇવાડી, રાધારમણ સાસાયટી, અનિલ સ્ટાર્ચ મીલની પાસે, સરદાર નગર બઝાર રોડ, સીટી ગોલ્ડ સિનેમા રોડ અને મણીધર મહારાજ પાસે ગેરકાયદેસર ઘાસ વેચતા ઇસમો વિરુધ્ધ જે-તે પોલીસ સ્ટેશનમાં 7 પોલીસ ફરિયાદ કરાઇ છે અને 235 ક્રિ.ગ્રા ઘાસચારો જપ્ત કરાયો છે. 36 જેટલા પશુઓમાં RFID ચીપ અને ટેગીંગ કરવામાં આવ્યું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.