Mahisagarમાં રખડતા ઢોરનો આતંક : આગળ વાહનચાલક અને પાછળ પડ્યા રખડતા ઢોર, માંડ માંડ બચ્યો યુવકનો જીવ, સીસીટીવી આવ્યા સામે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-26 14:12:43

રખડતા શ્વાનને કારણે અને રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. શાંત દેખાતા ઢોર ગમે ત્યારે આક્રામક થઈ જાય અને એક બીજા સાથે ઝઘડવા લાગે તેની ખબર નથી પડતી. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રખડતા ઢોરને કારણે દુર્ઘટના સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. જ્યારે જ્યારે પણ રખડતા ઢોરને લઈ સમાચાર આવે છે ત્યારે અમે લખીએ છીએ  કે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત.. ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ પણ આક્રામક છે, અનેક વખત સરકારની ઝાટકણી કાઢી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. મહીસાગરમાં રખડતા ઢોરે વાહનચાલકને અડફેટે લીધો છે. વાહનચાલક પાછળ આખલો દોડ્યો અને વાહનચાલકે માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો છે. 

વાહનચાલકની પાછળ પડ્યો આખલો, સીસીટીવીમાં કેદ થઈ ઘટના 

એક તરફ બિસ્માર રસ્તા તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ.ન માત્ર રખડતા ઢોરનો ત્રાસ પરંતુ રખડતા કૂતરાનો ત્રાસ પણ. થોડા સમય પહેલા રખડતા શ્વાનના હુમલાને કારણે વાઘબકરી ગ્રુપના ડિરેક્ટરનું નિધન થઈ ગયું. રખડતા ઢોરના ત્રાસ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તંત્રની કામગીરી પર પણ પ્રશ્ન છે. રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે વધુ એક હુમલાનો કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે. ડુંગરા ભીંત પંચેશ્વર મહાદેવથી ઝમઝર માતાજી મંદિર સુધી વાહન ચાલકની પાછળ આખલો પડ્યો હતો. નાની ગલી હતી જેમાંથી વાહનચાલક પસાર થઈ રહ્યો હતો. તેની પાછળ આખલો પડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સ્પીડમાં વ્હીકલ ભગાવીને વાહનચાલકે પોતાનો જીવ બચાવ્યો છે. 


રાજકોટમાં એક વ્યક્તિનું થયું મોત 

તે ઉપરાંત રાજકોટમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જામકંડોરમામાં એક યુવકનું મોત રખડતા ઢોરની અડફેટે આવતા થયું છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં જ એક વૃદ્ધાનું મોત રખડતા ઢોરને કારણે થયું હતું. મહત્વનું છે કે આ ત્રાસ ઘટવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. લોકો અડફેટે આવી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. જો આ મામલે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અનેક લોકોના મોત આ રખડતા ઢોરને કારણે થતાં રહેશે...! 



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...