Mahisagarમાં રખડતા ઢોરનો આતંક : આગળ વાહનચાલક અને પાછળ પડ્યા રખડતા ઢોર, માંડ માંડ બચ્યો યુવકનો જીવ, સીસીટીવી આવ્યા સામે


  • Published By :
  • Published Date : 2023-10-26 14:12:43

રખડતા શ્વાનને કારણે અને રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. શાંત દેખાતા ઢોર ગમે ત્યારે આક્રામક થઈ જાય અને એક બીજા સાથે ઝઘડવા લાગે તેની ખબર નથી પડતી. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રખડતા ઢોરને કારણે દુર્ઘટના સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. જ્યારે જ્યારે પણ રખડતા ઢોરને લઈ સમાચાર આવે છે ત્યારે અમે લખીએ છીએ  કે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત.. ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ પણ આક્રામક છે, અનેક વખત સરકારની ઝાટકણી કાઢી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. મહીસાગરમાં રખડતા ઢોરે વાહનચાલકને અડફેટે લીધો છે. વાહનચાલક પાછળ આખલો દોડ્યો અને વાહનચાલકે માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો છે. 

વાહનચાલકની પાછળ પડ્યો આખલો, સીસીટીવીમાં કેદ થઈ ઘટના 

એક તરફ બિસ્માર રસ્તા તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ.ન માત્ર રખડતા ઢોરનો ત્રાસ પરંતુ રખડતા કૂતરાનો ત્રાસ પણ. થોડા સમય પહેલા રખડતા શ્વાનના હુમલાને કારણે વાઘબકરી ગ્રુપના ડિરેક્ટરનું નિધન થઈ ગયું. રખડતા ઢોરના ત્રાસ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તંત્રની કામગીરી પર પણ પ્રશ્ન છે. રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે વધુ એક હુમલાનો કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે. ડુંગરા ભીંત પંચેશ્વર મહાદેવથી ઝમઝર માતાજી મંદિર સુધી વાહન ચાલકની પાછળ આખલો પડ્યો હતો. નાની ગલી હતી જેમાંથી વાહનચાલક પસાર થઈ રહ્યો હતો. તેની પાછળ આખલો પડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સ્પીડમાં વ્હીકલ ભગાવીને વાહનચાલકે પોતાનો જીવ બચાવ્યો છે. 


રાજકોટમાં એક વ્યક્તિનું થયું મોત 

તે ઉપરાંત રાજકોટમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જામકંડોરમામાં એક યુવકનું મોત રખડતા ઢોરની અડફેટે આવતા થયું છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં જ એક વૃદ્ધાનું મોત રખડતા ઢોરને કારણે થયું હતું. મહત્વનું છે કે આ ત્રાસ ઘટવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. લોકો અડફેટે આવી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. જો આ મામલે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અનેક લોકોના મોત આ રખડતા ઢોરને કારણે થતાં રહેશે...! 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી