Mahisagarમાં રખડતા ઢોરનો આતંક : આગળ વાહનચાલક અને પાછળ પડ્યા રખડતા ઢોર, માંડ માંડ બચ્યો યુવકનો જીવ, સીસીટીવી આવ્યા સામે


  • Published By :
  • Published Date : 2023-10-26 14:12:43

રખડતા શ્વાનને કારણે અને રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. શાંત દેખાતા ઢોર ગમે ત્યારે આક્રામક થઈ જાય અને એક બીજા સાથે ઝઘડવા લાગે તેની ખબર નથી પડતી. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રખડતા ઢોરને કારણે દુર્ઘટના સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. જ્યારે જ્યારે પણ રખડતા ઢોરને લઈ સમાચાર આવે છે ત્યારે અમે લખીએ છીએ  કે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત.. ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ પણ આક્રામક છે, અનેક વખત સરકારની ઝાટકણી કાઢી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. મહીસાગરમાં રખડતા ઢોરે વાહનચાલકને અડફેટે લીધો છે. વાહનચાલક પાછળ આખલો દોડ્યો અને વાહનચાલકે માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો છે. 

વાહનચાલકની પાછળ પડ્યો આખલો, સીસીટીવીમાં કેદ થઈ ઘટના 

એક તરફ બિસ્માર રસ્તા તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ.ન માત્ર રખડતા ઢોરનો ત્રાસ પરંતુ રખડતા કૂતરાનો ત્રાસ પણ. થોડા સમય પહેલા રખડતા શ્વાનના હુમલાને કારણે વાઘબકરી ગ્રુપના ડિરેક્ટરનું નિધન થઈ ગયું. રખડતા ઢોરના ત્રાસ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તંત્રની કામગીરી પર પણ પ્રશ્ન છે. રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે વધુ એક હુમલાનો કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે. ડુંગરા ભીંત પંચેશ્વર મહાદેવથી ઝમઝર માતાજી મંદિર સુધી વાહન ચાલકની પાછળ આખલો પડ્યો હતો. નાની ગલી હતી જેમાંથી વાહનચાલક પસાર થઈ રહ્યો હતો. તેની પાછળ આખલો પડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સ્પીડમાં વ્હીકલ ભગાવીને વાહનચાલકે પોતાનો જીવ બચાવ્યો છે. 


રાજકોટમાં એક વ્યક્તિનું થયું મોત 

તે ઉપરાંત રાજકોટમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જામકંડોરમામાં એક યુવકનું મોત રખડતા ઢોરની અડફેટે આવતા થયું છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં જ એક વૃદ્ધાનું મોત રખડતા ઢોરને કારણે થયું હતું. મહત્વનું છે કે આ ત્રાસ ઘટવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. લોકો અડફેટે આવી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. જો આ મામલે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અનેક લોકોના મોત આ રખડતા ઢોરને કારણે થતાં રહેશે...! 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.