Mahisagarમાં રખડતા ઢોરનો આતંક : આગળ વાહનચાલક અને પાછળ પડ્યા રખડતા ઢોર, માંડ માંડ બચ્યો યુવકનો જીવ, સીસીટીવી આવ્યા સામે


  • Published By :
  • Published Date : 2023-10-26 14:12:43

રખડતા શ્વાનને કારણે અને રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. શાંત દેખાતા ઢોર ગમે ત્યારે આક્રામક થઈ જાય અને એક બીજા સાથે ઝઘડવા લાગે તેની ખબર નથી પડતી. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રખડતા ઢોરને કારણે દુર્ઘટના સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. જ્યારે જ્યારે પણ રખડતા ઢોરને લઈ સમાચાર આવે છે ત્યારે અમે લખીએ છીએ  કે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત.. ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ પણ આક્રામક છે, અનેક વખત સરકારની ઝાટકણી કાઢી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. મહીસાગરમાં રખડતા ઢોરે વાહનચાલકને અડફેટે લીધો છે. વાહનચાલક પાછળ આખલો દોડ્યો અને વાહનચાલકે માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો છે. 

વાહનચાલકની પાછળ પડ્યો આખલો, સીસીટીવીમાં કેદ થઈ ઘટના 

એક તરફ બિસ્માર રસ્તા તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ.ન માત્ર રખડતા ઢોરનો ત્રાસ પરંતુ રખડતા કૂતરાનો ત્રાસ પણ. થોડા સમય પહેલા રખડતા શ્વાનના હુમલાને કારણે વાઘબકરી ગ્રુપના ડિરેક્ટરનું નિધન થઈ ગયું. રખડતા ઢોરના ત્રાસ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તંત્રની કામગીરી પર પણ પ્રશ્ન છે. રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે વધુ એક હુમલાનો કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે. ડુંગરા ભીંત પંચેશ્વર મહાદેવથી ઝમઝર માતાજી મંદિર સુધી વાહન ચાલકની પાછળ આખલો પડ્યો હતો. નાની ગલી હતી જેમાંથી વાહનચાલક પસાર થઈ રહ્યો હતો. તેની પાછળ આખલો પડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સ્પીડમાં વ્હીકલ ભગાવીને વાહનચાલકે પોતાનો જીવ બચાવ્યો છે. 


રાજકોટમાં એક વ્યક્તિનું થયું મોત 

તે ઉપરાંત રાજકોટમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જામકંડોરમામાં એક યુવકનું મોત રખડતા ઢોરની અડફેટે આવતા થયું છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં જ એક વૃદ્ધાનું મોત રખડતા ઢોરને કારણે થયું હતું. મહત્વનું છે કે આ ત્રાસ ઘટવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. લોકો અડફેટે આવી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. જો આ મામલે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અનેક લોકોના મોત આ રખડતા ઢોરને કારણે થતાં રહેશે...! 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.