Stray Dog : રિલાયન્સના ડિરેક્ટરે પણ જવાબદારોને સંબોધીને લખ્યું કે રખડતા શ્વાનને લઈ એક્શન લેવા જોઈએ


  • Published By :
  • Published Date : 2023-10-26 17:39:37

વડીલને ઘરની બહાર નિકળવું હોય તો તેમને બે વખત વિચાર કરવો પડે છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોર અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી વાત તો, તેવી રજૂઆત અનેક વખત જમાવટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રખડતા શ્વાન વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત રિલાયન્સ ડિરેક્ટરે તેમજ સાંસદ પરિમલ નથવાણીએ પણ કરી દીધી છે. પરિમલ નથવાણીએ એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 12.50 લાખ જેટલા લોકોને કૂતરા કરડ્યા છે. આમાંથી 9 લોકો બિઝનેસમેન હતા અને તેમણે જીવ ગુમાવ્યો છે તે લિસ્ટમાં પરાગ દેસાઈ પણ સામેલ છે. 

Image


રખડતા શ્વાનને કારણે ગયો હતો પરાગ દેસાઈનો જીવ 

રાજ્યમાં રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. પ્રતિદિન કોઈ વ્યક્તિ પર શ્વાન હુમલો કરે છે તેવા સમાચાર આવતા હોય છે. રખડતા ઢોર પણ અનિંયત્રિત થઈ લોકો પર હુમલો કરે છે. હુમલા થવાને કારણે લોકોના મોત પણ થાય છે. તાજેતરમાં જ ઉદાહરણ છે વાઘબકરી ચાના ડિરેક્ટરનું. પરાગ દેસાઈ વોક પર નિકળ્યા હતા તે વખતે તેમની પર રખડતા શ્વાને હુમલો કર્યો. બચાવ માટે તેઓ ભાગ્યા પરંતુ દોડતી વખતે તે સ્લીપ થઈ ગયા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. લગભગ અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલી અને  23 ઓક્ટોબરના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. 

નવસારી: રખડતા શ્વાનનો આંતક યથાવત,5થી 6 શ્વાનનું ટોળું યુવક પર તૂટી પડ્યું  અને બચકાં ભર્યાં, હોસ્પિટલમાં દાખલ કરાયો

પરિમલ નથવાણીએ કરી આ ટ્વિટ

રખડતા શ્વાનને કારણે અનેક લોકોના મોત થયા છે, રખડતા શ્વાન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ તો અનેક વખત ઉઠી છે. રખડતા શ્વાન વિરૂદ્ધ તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટે તંત્ર પાસે માગ્યો છે. રખડતા ઢોર મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે તો પણ કોઈ નક્કર પગલા લેવાયો હોય તેવું નથી લાગી રહ્યું. એક આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર 12.50 લાખ કૂતરા કરડ્યા હોવાના કેસ સામે આવ્યા છે. ત્યારે રખડતા ઢોર વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી વાત પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવી છે. 


કરોડો ખર્ચાયા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર!

માત્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 3.75 લાખ જેટલી શ્વાનની વસ્તી છે. ત્રણ વર્ષમાં કૂતરા કરડવાનાં 1.63 લાખથી વધુ બનાવ બન્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કૂતરા પકડી તેનું ખસીકરણ કરવા ત્રણ વર્ષમાં રૂપિયા 9.36 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાના રોજ 200 બનાવ બની રહ્યા છે. શ્વાન કરડવાના વર્ષ 2020માં 52,318, વર્ષ 2021માં 51812 અને વર્ષ 2022માં 59513 કેસ મળી ત્રણ વર્ષમાં કૂતરા કરડવાના કુલ 1,63, 643 કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં નોંધાવા પામ્યા છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.