Stray Dog : રિલાયન્સના ડિરેક્ટરે પણ જવાબદારોને સંબોધીને લખ્યું કે રખડતા શ્વાનને લઈ એક્શન લેવા જોઈએ


  • Published By :
  • Published Date : 2023-10-26 17:39:37

વડીલને ઘરની બહાર નિકળવું હોય તો તેમને બે વખત વિચાર કરવો પડે છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોર અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી વાત તો, તેવી રજૂઆત અનેક વખત જમાવટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રખડતા શ્વાન વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત રિલાયન્સ ડિરેક્ટરે તેમજ સાંસદ પરિમલ નથવાણીએ પણ કરી દીધી છે. પરિમલ નથવાણીએ એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 12.50 લાખ જેટલા લોકોને કૂતરા કરડ્યા છે. આમાંથી 9 લોકો બિઝનેસમેન હતા અને તેમણે જીવ ગુમાવ્યો છે તે લિસ્ટમાં પરાગ દેસાઈ પણ સામેલ છે. 

Image


રખડતા શ્વાનને કારણે ગયો હતો પરાગ દેસાઈનો જીવ 

રાજ્યમાં રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. પ્રતિદિન કોઈ વ્યક્તિ પર શ્વાન હુમલો કરે છે તેવા સમાચાર આવતા હોય છે. રખડતા ઢોર પણ અનિંયત્રિત થઈ લોકો પર હુમલો કરે છે. હુમલા થવાને કારણે લોકોના મોત પણ થાય છે. તાજેતરમાં જ ઉદાહરણ છે વાઘબકરી ચાના ડિરેક્ટરનું. પરાગ દેસાઈ વોક પર નિકળ્યા હતા તે વખતે તેમની પર રખડતા શ્વાને હુમલો કર્યો. બચાવ માટે તેઓ ભાગ્યા પરંતુ દોડતી વખતે તે સ્લીપ થઈ ગયા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. લગભગ અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલી અને  23 ઓક્ટોબરના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. 

નવસારી: રખડતા શ્વાનનો આંતક યથાવત,5થી 6 શ્વાનનું ટોળું યુવક પર તૂટી પડ્યું  અને બચકાં ભર્યાં, હોસ્પિટલમાં દાખલ કરાયો

પરિમલ નથવાણીએ કરી આ ટ્વિટ

રખડતા શ્વાનને કારણે અનેક લોકોના મોત થયા છે, રખડતા શ્વાન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ તો અનેક વખત ઉઠી છે. રખડતા શ્વાન વિરૂદ્ધ તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટે તંત્ર પાસે માગ્યો છે. રખડતા ઢોર મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે તો પણ કોઈ નક્કર પગલા લેવાયો હોય તેવું નથી લાગી રહ્યું. એક આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર 12.50 લાખ કૂતરા કરડ્યા હોવાના કેસ સામે આવ્યા છે. ત્યારે રખડતા ઢોર વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી વાત પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવી છે. 


કરોડો ખર્ચાયા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર!

માત્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 3.75 લાખ જેટલી શ્વાનની વસ્તી છે. ત્રણ વર્ષમાં કૂતરા કરડવાનાં 1.63 લાખથી વધુ બનાવ બન્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કૂતરા પકડી તેનું ખસીકરણ કરવા ત્રણ વર્ષમાં રૂપિયા 9.36 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાના રોજ 200 બનાવ બની રહ્યા છે. શ્વાન કરડવાના વર્ષ 2020માં 52,318, વર્ષ 2021માં 51812 અને વર્ષ 2022માં 59513 કેસ મળી ત્રણ વર્ષમાં કૂતરા કરડવાના કુલ 1,63, 643 કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં નોંધાવા પામ્યા છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.