Ahmedabadમાં રખડતા શ્વાન બની મોટી સમસ્યા, પ્રતિદિન આટલા લોકો બને છે હુમલાનો શિકાર! આંકડો વાંચી તમે ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-10-23 10:53:34

રખડતા ઢોર અને રખડતા શ્વાનના આતંકના સમાચારો સતત જોવા મળતા હોય છે. એક તરફ બિસ્માર રસ્તાને કારણે તો બીજી તરફ રખડતા ઢોરના આતંકને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદ માટે એક રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી કેટલા કેસ રખડતા શ્વાન કરડવાના નોંધાયા છે તે જણાવવામાં આવ્યું છે. જે રિપોર્ટ સામે આવ્યો છે તે અમદાવાદ સિવિલનો છે. એક જ વર્ષ દરમિયાન અમદાવાદ સિવિલમાં 8400થી વધુ દર્દીઓને સારવાર અપાઈ છે જ્યારે સોલા સિવિલમાં 8000થી વધારે દર્દીઓએ સારવાર લીધી છે. અનુમાન અનુસાર આ સમયગાળાની અંદર અંદાજીત 55600થી વધુ લોકોને કૂતરા કરડ્યા છે. 


વર્ષ 2022 દરમિયાન 55 હજારથી વધુ લોકોને કૂતરા કરડ્યા! 

રસ્તા પર ચાલતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખરાબ રસ્તો, રસ્તા પર જોવા મળતા ઢોર વગેરે વગેરે.. અનેક વખત રખડતા પશુના હુમલાને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ રખડતા ઢોરના કારણે તેમજ રખડતા શ્વાનના હુમલાને કારણે ગુમાવ્યા છે. અમદાવાદ જેવા વિકસીત શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એક વર્ષના સમયગાળાની અંદર 55000થી વધુ લોકો રખડતા શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. મહત્વનું છે કે ગુજરાતમાં વર્ષ 2022 દરમિયાન 1.44 લાખ કેસ નોંધાયા હતા જેમાંથી અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. 


ક્યારે કેટલા કેસ નોંધાયા?

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્ટોબર 2022માં 754 લોકોએ, નવેમ્બર 2022માં 865 લોકો, ડિસેમ્બર 2022માં 1095 લોકોએ સારવાર લીધી છે. જાન્યુઆરી 2023માં 1040 લોકોએ, ફેબ્રુઆરી  2023માં 982 લોકોએ, 985 લોકોએ માર્ચ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. એપ્રિલ 2023માં 1043 લોકોએ, મે 2023માં 990, જૂન 2023માં 870 લોકોએ સારવાર લીધી છે. જુલાઈ 2023માં 855 લોકોએ, ઓગસ્ટમાં 770 જ્યારે સપ્ટેમ્બરમાં 895 કેસ કૂતરા કરડવાના નોંધાયા છે. 55,600 લોકને કૂતરા કરડ્યા છે તેવો આંકડો સામે આવ્યો છે. આંકડા પ્રમાણે જોવા જઈએ તો રોજ દોઢસો લોકો આ રખડતા શ્વાનના હુમલાનો શિકાર બને છે. આ આંકડા ચિંતાજનક છે.   


નાના બાળકો પર શ્વાન વધારે કરે છે હુમલા!

મહત્વનું છે કે વહેલી સવારે તેમજ મોડી રાત્રે વાહનો પાછળ કૂતરા દોડતા હોય છે. કૂતરો પાછળ ભાગવાથી વાહનલચાલકો વાહનની સ્પીડ વધારી દે છે. સ્પીડ વધારવાને કારણે અકસ્માત થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પોળમાં, સોસાયટીઓમાં બાળકો જ્યારે રમતા હોય છે તે વખતે રખડતા શ્વાન તેમની પર હુમલો કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેટલા પણ કેસો નોંધાય છે તેમાં બાળકો પર હુમલાના વધારે કેસ હોય છે. 14 વર્ષથી નાના બાળકો પર હુમલો શ્વાન કરે છે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .