Ahmedabadમાં રખડતા શ્વાન બની મોટી સમસ્યા, પ્રતિદિન આટલા લોકો બને છે હુમલાનો શિકાર! આંકડો વાંચી તમે ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-10-23 10:53:34

રખડતા ઢોર અને રખડતા શ્વાનના આતંકના સમાચારો સતત જોવા મળતા હોય છે. એક તરફ બિસ્માર રસ્તાને કારણે તો બીજી તરફ રખડતા ઢોરના આતંકને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદ માટે એક રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી કેટલા કેસ રખડતા શ્વાન કરડવાના નોંધાયા છે તે જણાવવામાં આવ્યું છે. જે રિપોર્ટ સામે આવ્યો છે તે અમદાવાદ સિવિલનો છે. એક જ વર્ષ દરમિયાન અમદાવાદ સિવિલમાં 8400થી વધુ દર્દીઓને સારવાર અપાઈ છે જ્યારે સોલા સિવિલમાં 8000થી વધારે દર્દીઓએ સારવાર લીધી છે. અનુમાન અનુસાર આ સમયગાળાની અંદર અંદાજીત 55600થી વધુ લોકોને કૂતરા કરડ્યા છે. 


વર્ષ 2022 દરમિયાન 55 હજારથી વધુ લોકોને કૂતરા કરડ્યા! 

રસ્તા પર ચાલતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખરાબ રસ્તો, રસ્તા પર જોવા મળતા ઢોર વગેરે વગેરે.. અનેક વખત રખડતા પશુના હુમલાને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ રખડતા ઢોરના કારણે તેમજ રખડતા શ્વાનના હુમલાને કારણે ગુમાવ્યા છે. અમદાવાદ જેવા વિકસીત શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એક વર્ષના સમયગાળાની અંદર 55000થી વધુ લોકો રખડતા શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. મહત્વનું છે કે ગુજરાતમાં વર્ષ 2022 દરમિયાન 1.44 લાખ કેસ નોંધાયા હતા જેમાંથી અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. 


ક્યારે કેટલા કેસ નોંધાયા?

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્ટોબર 2022માં 754 લોકોએ, નવેમ્બર 2022માં 865 લોકો, ડિસેમ્બર 2022માં 1095 લોકોએ સારવાર લીધી છે. જાન્યુઆરી 2023માં 1040 લોકોએ, ફેબ્રુઆરી  2023માં 982 લોકોએ, 985 લોકોએ માર્ચ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. એપ્રિલ 2023માં 1043 લોકોએ, મે 2023માં 990, જૂન 2023માં 870 લોકોએ સારવાર લીધી છે. જુલાઈ 2023માં 855 લોકોએ, ઓગસ્ટમાં 770 જ્યારે સપ્ટેમ્બરમાં 895 કેસ કૂતરા કરડવાના નોંધાયા છે. 55,600 લોકને કૂતરા કરડ્યા છે તેવો આંકડો સામે આવ્યો છે. આંકડા પ્રમાણે જોવા જઈએ તો રોજ દોઢસો લોકો આ રખડતા શ્વાનના હુમલાનો શિકાર બને છે. આ આંકડા ચિંતાજનક છે.   


નાના બાળકો પર શ્વાન વધારે કરે છે હુમલા!

મહત્વનું છે કે વહેલી સવારે તેમજ મોડી રાત્રે વાહનો પાછળ કૂતરા દોડતા હોય છે. કૂતરો પાછળ ભાગવાથી વાહનલચાલકો વાહનની સ્પીડ વધારી દે છે. સ્પીડ વધારવાને કારણે અકસ્માત થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પોળમાં, સોસાયટીઓમાં બાળકો જ્યારે રમતા હોય છે તે વખતે રખડતા શ્વાન તેમની પર હુમલો કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેટલા પણ કેસો નોંધાય છે તેમાં બાળકો પર હુમલાના વધારે કેસ હોય છે. 14 વર્ષથી નાના બાળકો પર હુમલો શ્વાન કરે છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી