ગુજરાતમાં ખૂંખાર બનતા રખડતાં શ્વાન! છેલ્લા ત્રણ વર્ષમાં આટલા લાખ લોકો બન્યા રખડતા શ્વાનનો શિકાર, જાણો ગુજરાત કયા ક્રમે આવ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-13 16:49:00

રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકો રખડતાં શ્વાન અથવા તો રખડતાં ઢોરને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે લોકસભામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ એક આંકડો રજૂ કર્યો હતો જેમાં દેશભરમાં શ્વાન હુમલાના કેટલા કિસ્સાઓ બન્યા છે. જ્યારે આ પ્રશ્નના જવાબમાં એ આંકડો સામે આવ્યો છે તે ચોંકાવી દે તેવો છે. કારણ કે આ આંકડો લાખોમાં નોંધાયો છે. 

dog bite crisis gujarat, ભારતમાં રખડતા કૂતરાનો ત્રાસ વધવાનું કારણ શું? વસતિ  ઓછી કરવાના પ્રયાસો કેમ રહ્યા નિષ્ફળ - how long will the terror of stray  dogs last in india which aspects

ગુજરાતે પાંચમા ક્રમે મેળવ્યું સ્થાન 

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 સુધીમાં ગુજરાતમાં કુલ 7.93 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. 2022ની વાત કરીએ તો 1.69 લાખ લોકોને કૂતરા કરડ્યા હતા. શ્વાન એટેકમાં ગુજરાતના સ્થાનની વાત કરીએ તો આપણું રાજ્ય પાંચમા સ્થાને આવે. સૌથી પહેલા જે રાજ્યોમાં કૂતરા કરડવાની વાત કરીએ તો તે રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક તેમજ બિહારનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક વર્ષમાં એટલે કે 2022માં નોંધાયેલા શ્વાન કરડવાના કિસ્સાઓની વાત કરીએ તો 3.90 લાખ  લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા છે. બીજા ક્રમ પર આવે છે તમિલનાડુ ત્યાં 3.64 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. ઉત્તર પ્રદેશમાં રહેતા 1.91 લાખ લોકોને રખડતાં શ્વાનનો ભોગ બનવું પડ્યું હતું. આંધ્રપ્રદેશના આંકડાની વાત કરીએ તો 1.89 લાખ લોકો શિકાર બન્યા છે અને આ રાજ્ય ચોથા ક્રમે નોંધાયું છે. જ્યારે ગુજરાત પાંચમા ક્રમે આવ્યુંછે.   

  

અનેક વખત અકસ્માતનું કારણ બનતા હોય છે રખડતાં શ્વાન 

મહત્વનું છે પ્રતિદિન રખડતા શ્વાન અથવા તો પશુ દ્વારા કરવામાં આવતા હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતાં શ્વાન તથા રખડતા ઢોરને કારણે થયા છે. અમદાવાદ શહેરમાં પણ આતંક જોવા મળી રહ્યો છે. દર થોડા દિવસે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અકસ્માત રખડતાં ઢોર અથવા શ્વાનને કારણે થયા હોય. અનેક વખત હાઈકોર્ટ દ્વારા આ મામલે ટકોર કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય તેવું લાગે છે. એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન તો બીજી તરફ રખડતાં શ્વાનના હુમલાનો ડર. લોકો જાય તો જાય ક્યા?  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.