Parliament Security Breach Incidentને લઈ લોકસભા સચિવાયલ દ્વારા લેવાયા કડક એક્શન,બંને સદનોમાં હંગામો, વિપક્ષે કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-12-14 13:40:32

ગઈકાલે 22 વર્ષ પછી સંસદમાં હુમલો થવાનો ઈતિહાસ રચાયો હતો. બુધવારે લોકસભાની કાર્યવાહી ચાલી હતી તે દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી સદનમાં ઘૂસી ગયા વ્યક્તિઓ કૂદી પડ્યા હતા અને સ્પ્રે વડે હુમલો કર્યો હતો. બપોરના સમયે આ ઘટના બની હતી. સંસદને એકદમ સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે પરંતુ ગઈકાલે થયેલા હુમલાને કારણે સંસદની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે લોકસભાની અંદર વ્યક્તિઓ ઘૂસી જાય ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી! આ ઘટના બાદ સાંસદોમાં દોડભાગ થઈ ગઈ હતી. સંસદની બહાર ઉભેલા લોકોએ નારેબાજી કરી હતી. સંસદ કેમ્પસમાં પ્રદર્શન કર્યું હતું અને તાનાશાહી નહીં ચાલે જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

  

સુરક્ષા ચૂક મામલે 8 કર્મીઓને કરાયા સસ્પેન્ડ

સંસદમાં થેયલા હુમલા બાદ સુરક્ષામાં ખામીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્ટિવ મોડમાં આવ્યું છે. સુરક્ષા ચૂક બદલ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે ઉપરાંત આ ઘટના બાદ 8 કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મીઓમાં રામપાલ, અરવિંદ, વીરદાસ, ગણેશ, અનિલ,પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્રનો સમાવેશ થાય છે. સંસદમાં થયેલા હુમલા બાદ વિપક્ષ દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સંસદના બંને સદનોમાં વિપક્ષ દ્વારા આ મામલે હોબાળો કરવામાં આવ્યો. મંત્રાલયે કહ્યું હતુ કે  "લોકસભાના મહાસચિવના પત્ર પર ગૃહ મંત્રાલયે CRPFના DG અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરી છે."   

વિપક્ષી સાંસદોએ કરી આ માગ!

ઘટનાને લઈ અલગ અલગ સાંસદો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે બંને ગૃહમાં નિવેદન આપવું જોઈએ. તે ઉપરાંત કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે સાંસદોની સમસ્યા એ છે કે સરકાર આને પૂરતી ગંભીરતાથી લઈ રહી નથી...આપણે ઉચ્ચ જવાબદાર સ્તરે સરકાર પાસેથી સાંભળવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે ગૃહમંત્રી સંસદમાં આવે અને બોલે. તે ઉપરાંત હોબાળાને જોતા સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. સદનમાં આવી અમિત શાહ આ મામલે બોલે તેવી માગ વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.