Parliament Security Breach Incidentને લઈ લોકસભા સચિવાયલ દ્વારા લેવાયા કડક એક્શન,બંને સદનોમાં હંગામો, વિપક્ષે કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-12-14 13:40:32

ગઈકાલે 22 વર્ષ પછી સંસદમાં હુમલો થવાનો ઈતિહાસ રચાયો હતો. બુધવારે લોકસભાની કાર્યવાહી ચાલી હતી તે દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી સદનમાં ઘૂસી ગયા વ્યક્તિઓ કૂદી પડ્યા હતા અને સ્પ્રે વડે હુમલો કર્યો હતો. બપોરના સમયે આ ઘટના બની હતી. સંસદને એકદમ સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે પરંતુ ગઈકાલે થયેલા હુમલાને કારણે સંસદની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે લોકસભાની અંદર વ્યક્તિઓ ઘૂસી જાય ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી! આ ઘટના બાદ સાંસદોમાં દોડભાગ થઈ ગઈ હતી. સંસદની બહાર ઉભેલા લોકોએ નારેબાજી કરી હતી. સંસદ કેમ્પસમાં પ્રદર્શન કર્યું હતું અને તાનાશાહી નહીં ચાલે જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

  

સુરક્ષા ચૂક મામલે 8 કર્મીઓને કરાયા સસ્પેન્ડ

સંસદમાં થેયલા હુમલા બાદ સુરક્ષામાં ખામીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્ટિવ મોડમાં આવ્યું છે. સુરક્ષા ચૂક બદલ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે ઉપરાંત આ ઘટના બાદ 8 કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મીઓમાં રામપાલ, અરવિંદ, વીરદાસ, ગણેશ, અનિલ,પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્રનો સમાવેશ થાય છે. સંસદમાં થયેલા હુમલા બાદ વિપક્ષ દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સંસદના બંને સદનોમાં વિપક્ષ દ્વારા આ મામલે હોબાળો કરવામાં આવ્યો. મંત્રાલયે કહ્યું હતુ કે  "લોકસભાના મહાસચિવના પત્ર પર ગૃહ મંત્રાલયે CRPFના DG અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરી છે."   

વિપક્ષી સાંસદોએ કરી આ માગ!

ઘટનાને લઈ અલગ અલગ સાંસદો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે બંને ગૃહમાં નિવેદન આપવું જોઈએ. તે ઉપરાંત કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે સાંસદોની સમસ્યા એ છે કે સરકાર આને પૂરતી ગંભીરતાથી લઈ રહી નથી...આપણે ઉચ્ચ જવાબદાર સ્તરે સરકાર પાસેથી સાંભળવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે ગૃહમંત્રી સંસદમાં આવે અને બોલે. તે ઉપરાંત હોબાળાને જોતા સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. સદનમાં આવી અમિત શાહ આ મામલે બોલે તેવી માગ વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવી છે. 



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.