Parliament Security Breach Incidentને લઈ લોકસભા સચિવાયલ દ્વારા લેવાયા કડક એક્શન,બંને સદનોમાં હંગામો, વિપક્ષે કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-12-14 13:40:32

ગઈકાલે 22 વર્ષ પછી સંસદમાં હુમલો થવાનો ઈતિહાસ રચાયો હતો. બુધવારે લોકસભાની કાર્યવાહી ચાલી હતી તે દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી સદનમાં ઘૂસી ગયા વ્યક્તિઓ કૂદી પડ્યા હતા અને સ્પ્રે વડે હુમલો કર્યો હતો. બપોરના સમયે આ ઘટના બની હતી. સંસદને એકદમ સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે પરંતુ ગઈકાલે થયેલા હુમલાને કારણે સંસદની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે લોકસભાની અંદર વ્યક્તિઓ ઘૂસી જાય ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી! આ ઘટના બાદ સાંસદોમાં દોડભાગ થઈ ગઈ હતી. સંસદની બહાર ઉભેલા લોકોએ નારેબાજી કરી હતી. સંસદ કેમ્પસમાં પ્રદર્શન કર્યું હતું અને તાનાશાહી નહીં ચાલે જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

  

સુરક્ષા ચૂક મામલે 8 કર્મીઓને કરાયા સસ્પેન્ડ

સંસદમાં થેયલા હુમલા બાદ સુરક્ષામાં ખામીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્ટિવ મોડમાં આવ્યું છે. સુરક્ષા ચૂક બદલ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે ઉપરાંત આ ઘટના બાદ 8 કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મીઓમાં રામપાલ, અરવિંદ, વીરદાસ, ગણેશ, અનિલ,પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્રનો સમાવેશ થાય છે. સંસદમાં થયેલા હુમલા બાદ વિપક્ષ દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સંસદના બંને સદનોમાં વિપક્ષ દ્વારા આ મામલે હોબાળો કરવામાં આવ્યો. મંત્રાલયે કહ્યું હતુ કે  "લોકસભાના મહાસચિવના પત્ર પર ગૃહ મંત્રાલયે CRPFના DG અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરી છે."   

વિપક્ષી સાંસદોએ કરી આ માગ!

ઘટનાને લઈ અલગ અલગ સાંસદો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે બંને ગૃહમાં નિવેદન આપવું જોઈએ. તે ઉપરાંત કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે સાંસદોની સમસ્યા એ છે કે સરકાર આને પૂરતી ગંભીરતાથી લઈ રહી નથી...આપણે ઉચ્ચ જવાબદાર સ્તરે સરકાર પાસેથી સાંભળવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે ગૃહમંત્રી સંસદમાં આવે અને બોલે. તે ઉપરાંત હોબાળાને જોતા સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. સદનમાં આવી અમિત શાહ આ મામલે બોલે તેવી માગ વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.