Rajkot અગ્નિકાંડ મામલે લેવાશે કડક પગલા! SITના અધ્યક્ષે કહ્યું જવાબદારોને નહીં છોડાય.. સાંભળો હર્ષ સંઘવી સાથે મળેલી બેઠકમાં શેની થઈ ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-05-29 14:00:59

રાજકોટમાં શનિવારે બનેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અનેક પરિવારોને મૃતદેહો મળી ગયા છે પરંતુ અનેક પરિવારોને મૃતદેહ મળ્યા નથી. આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં આ મામલે આગળ શું કાર્યવાહી કરાશે તે અંગે ચર્ચા થઈ. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આઈએએસ, આઈપીએસની પૂછપરછ કરવામાં આવશે. 

દુર્ઘટનાને લઈ તપાસ કરશે એસઆઈટી

રાજ્યમાં અનેક એવી ગોઝારી દુર્ઘટનાઓ સર્જાઈ છે જેને કારણે અનેક લોકોના મોત થયા છે. દુર્ઘટનાઓમાંથી આપણે શીખતા નથી જેને કારણે બીજી વખત પણ દુર્ઘટના સર્જાય છે.. જ્યારે કોઈ દુર્ઘટના થાય છે ત્યારે તે દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવી.. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે એસઆઈટીના સભ્યોની બેઠક હતી.



બેઠકમાં કોણ કોણ હતું હાજર?

બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર હાજર હતા તેવી માહિતી સામે આવી છે.  લગભગ દોઢ કલાક જેટલી ચાલેલી બેઠક બાદ આગળનો એક્શન પ્લાન એસઆઈટીના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યો હતો. 


શું કહ્યું એસઆઈટીના અધ્યક્ષે? 

મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે તમામ IAS, IPS અધિકારીઓની  પૂછપરછ કરવામા આવશે. કલેક્ટર, મનપા કમિશનરોની પણ  પૂછપરછ થશે. 2021થી 2024 દરમિયાનના સેવા બજાવનાર તમામ પોલીસ કમિશનરોની પણ  પૂછપરછ થશે. એવું કહેવામાં આવ્યું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે ત્યારે જોવું રહ્યું કે આ મામલે એસઆઈટી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેની પર સૌ કોઈની નજર રહેશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.