ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિનીએ ધોરાજીમાં કરી આત્મહત્યા,પિતા અંગે લખ્યું I HATE YOU PAPA


  • Published By :
  • Published Date : 2023-03-12 20:44:26

નાના બાળકોનું મન કોમળ ફુલ સમાન હોય છે. આ બાળકોને જો લાગણી, હૂંફ, પ્રેમ અને સ્નેહ આપવામાં ન આવે તો તેઓ મૂરજાવા લાગે છે. ઘણી વખત બાળકોને માતા-પિતાનો પ્રેમ ન મળે તો તે આત્મહત્યા કરી લેતા હોય છે. આવી એક ઘટના  રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બની છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી રોયલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં જ રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની વિદ્યાર્થિનીએ તેના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. 


દિવ્યા ડોડીયાના આપઘાતથી હડકંપ


રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી રોયલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં જ રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા (ઉવ.16) નામની વિદ્યાર્થિનીએ પોતાના જ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક વિદ્યાર્થિની પોતાની સ્યુસાઇડ નોટમાં પોતાના આપઘાત પાછળ અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા જવાબદાર હોવાનું જણાવ્યું છે. દિવ્યાએ પોતાની સ્યુસાઇડ નોટમાં " I HATE YOU PAPA " પણ લખ્યું છે.


પિતાની નફરત બની મોતનું કારણ


દિવ્યા ડોડીયાએ જે નોટબુકમાં સ્યુસાઈડ નોટ લખી છે તેમાં લખ્યું છે કે, પપ્પા મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમે મને અતિ નફરત કરતા હતા, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ તમને આવડતું હતું. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે. જેને મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. SORRY DADI. I HATE YOU PAPA. મા જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હોઇશ. મા મને માફ કરી દેજો. કેમ કે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારે શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો બદલો લઈશ.


કોણ છે દિવ્યા ડોડીયા?


દિવ્યા ડોડીયા પોરબંદરના કુતિયાણાની રહેવાસી છે, તે છેલ્લા કેટલાય સમયથી પોતાના પિતા અને દાદી સાથે જ રહેતી હતી. ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માટે તે ધોરાજીની રોયલ સ્કૂલ ખાતે આવી હતી. તેમજ સ્કૂલની હોસ્ટેલમાં જ તે રહેતી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ગઈ કાલે રાત્રે જમીને પોતાના રૂમમાં ગયા બાદ દિવ્યાએ છેલ્લી વખત પોતાના પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી. વાતચીતમાં પોતાની તબિયત સારી નથી તેવું જણાવ્યું હતું. તેમજ મૃતક દિવ્યાના પિતા BSFમાં નોકરી કરી ચૂક્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.