ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિનીએ ધોરાજીમાં કરી આત્મહત્યા,પિતા અંગે લખ્યું I HATE YOU PAPA


  • Published By :
  • Published Date : 2023-03-12 20:44:26

નાના બાળકોનું મન કોમળ ફુલ સમાન હોય છે. આ બાળકોને જો લાગણી, હૂંફ, પ્રેમ અને સ્નેહ આપવામાં ન આવે તો તેઓ મૂરજાવા લાગે છે. ઘણી વખત બાળકોને માતા-પિતાનો પ્રેમ ન મળે તો તે આત્મહત્યા કરી લેતા હોય છે. આવી એક ઘટના  રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બની છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી રોયલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં જ રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની વિદ્યાર્થિનીએ તેના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. 


દિવ્યા ડોડીયાના આપઘાતથી હડકંપ


રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી રોયલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં જ રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા (ઉવ.16) નામની વિદ્યાર્થિનીએ પોતાના જ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક વિદ્યાર્થિની પોતાની સ્યુસાઇડ નોટમાં પોતાના આપઘાત પાછળ અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા જવાબદાર હોવાનું જણાવ્યું છે. દિવ્યાએ પોતાની સ્યુસાઇડ નોટમાં " I HATE YOU PAPA " પણ લખ્યું છે.


પિતાની નફરત બની મોતનું કારણ


દિવ્યા ડોડીયાએ જે નોટબુકમાં સ્યુસાઈડ નોટ લખી છે તેમાં લખ્યું છે કે, પપ્પા મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમે મને અતિ નફરત કરતા હતા, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ તમને આવડતું હતું. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે. જેને મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. SORRY DADI. I HATE YOU PAPA. મા જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હોઇશ. મા મને માફ કરી દેજો. કેમ કે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારે શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો બદલો લઈશ.


કોણ છે દિવ્યા ડોડીયા?


દિવ્યા ડોડીયા પોરબંદરના કુતિયાણાની રહેવાસી છે, તે છેલ્લા કેટલાય સમયથી પોતાના પિતા અને દાદી સાથે જ રહેતી હતી. ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માટે તે ધોરાજીની રોયલ સ્કૂલ ખાતે આવી હતી. તેમજ સ્કૂલની હોસ્ટેલમાં જ તે રહેતી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ગઈ કાલે રાત્રે જમીને પોતાના રૂમમાં ગયા બાદ દિવ્યાએ છેલ્લી વખત પોતાના પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી. વાતચીતમાં પોતાની તબિયત સારી નથી તેવું જણાવ્યું હતું. તેમજ મૃતક દિવ્યાના પિતા BSFમાં નોકરી કરી ચૂક્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.