જસદણમાં બોર્ડિંગ સ્કૂલમાં ગૃહપતિએ બાળકને આપ્યો વીજ કરંટ, વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-07 19:45:47

રાજકોટના જસદણ તાલુકાના આંબરડી ગામે વિદ્યાર્થીને વીજ કરંટ આપવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામે જીવન બોર્ડિંગના વિદ્યાર્થીને ગૃહપતિએ વીજકરંટ આપતા હડકંપ મચી ગયો છે. વિદ્યાર્થીએ સફાઈની મનાઈ કરતા વીજકરંટ આપવામાં આવ્યો હતો.  


ધોરણ 8નો વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ

 

જીવન બોર્ડિંગના ગૃહપતિ કિશન ગાંગળીયા તેમજ અન્ય ચાર જેટલા લોકો દ્વારા સફાઈ સહિતનું કામ ન કરવા બદલ વિદ્યાર્થીને વીજ કરંટ આપવામાં આવતા તે બેભાન થઈ ગયો હતો. વીજકરંટ આપતા ધોરણ 8નો 14 વર્ષનો વિદ્યાર્થી છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોએ શાળા સંચાલકો વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. રાજકોટ સિવિલમાં વિદ્યાર્થીએ પોતાને વિજકરંટ આપ્યો હોવાની વાત જણાવી છે. ગૃહપતિના આ ક્રુરતાને લઈ કારણે વાલીઓ રોષ જોવા મળી રહ્યો છે. સંચાલકોએ ગૃહપતિનો બચાવ કરતા કહ્યું કે વિદ્યાર્થી આંબલી ખાવા માટે ચડ્યો હોવાથી પડતા ઇલેટ્રીક કરંટ લાગ્યો છે જોકે પરીવારજનો આ વાતને નકારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


પિતાના ગૃહપતિ સામે ગંભીર આરોપ


વિદ્યાર્થીના પિતા જીણાભાઈ મેમરીયા સહિતના પરિવારજનો દ્વારા બોર્ડિંગના ગૃહપતિ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે ગૃહપતિ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમનું બાળક છેલ્લા દોઢ વર્ષથી અહીં બોર્ડિંગમાં રહી અભ્યાસ કરે છે. અગાઉ પણ તેમના પુત્રને કામ ન કરવા બદલ હેરાન પરેશાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પરિવારજનોને કરી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે