જસદણમાં બોર્ડિંગ સ્કૂલમાં ગૃહપતિએ બાળકને આપ્યો વીજ કરંટ, વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-07 19:45:47

રાજકોટના જસદણ તાલુકાના આંબરડી ગામે વિદ્યાર્થીને વીજ કરંટ આપવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામે જીવન બોર્ડિંગના વિદ્યાર્થીને ગૃહપતિએ વીજકરંટ આપતા હડકંપ મચી ગયો છે. વિદ્યાર્થીએ સફાઈની મનાઈ કરતા વીજકરંટ આપવામાં આવ્યો હતો.  


ધોરણ 8નો વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ

 

જીવન બોર્ડિંગના ગૃહપતિ કિશન ગાંગળીયા તેમજ અન્ય ચાર જેટલા લોકો દ્વારા સફાઈ સહિતનું કામ ન કરવા બદલ વિદ્યાર્થીને વીજ કરંટ આપવામાં આવતા તે બેભાન થઈ ગયો હતો. વીજકરંટ આપતા ધોરણ 8નો 14 વર્ષનો વિદ્યાર્થી છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોએ શાળા સંચાલકો વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. રાજકોટ સિવિલમાં વિદ્યાર્થીએ પોતાને વિજકરંટ આપ્યો હોવાની વાત જણાવી છે. ગૃહપતિના આ ક્રુરતાને લઈ કારણે વાલીઓ રોષ જોવા મળી રહ્યો છે. સંચાલકોએ ગૃહપતિનો બચાવ કરતા કહ્યું કે વિદ્યાર્થી આંબલી ખાવા માટે ચડ્યો હોવાથી પડતા ઇલેટ્રીક કરંટ લાગ્યો છે જોકે પરીવારજનો આ વાતને નકારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


પિતાના ગૃહપતિ સામે ગંભીર આરોપ


વિદ્યાર્થીના પિતા જીણાભાઈ મેમરીયા સહિતના પરિવારજનો દ્વારા બોર્ડિંગના ગૃહપતિ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે ગૃહપતિ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમનું બાળક છેલ્લા દોઢ વર્ષથી અહીં બોર્ડિંગમાં રહી અભ્યાસ કરે છે. અગાઉ પણ તેમના પુત્રને કામ ન કરવા બદલ હેરાન પરેશાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પરિવારજનોને કરી હતી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.