જસદણમાં બોર્ડિંગ સ્કૂલમાં ગૃહપતિએ બાળકને આપ્યો વીજ કરંટ, વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-07 19:45:47

રાજકોટના જસદણ તાલુકાના આંબરડી ગામે વિદ્યાર્થીને વીજ કરંટ આપવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામે જીવન બોર્ડિંગના વિદ્યાર્થીને ગૃહપતિએ વીજકરંટ આપતા હડકંપ મચી ગયો છે. વિદ્યાર્થીએ સફાઈની મનાઈ કરતા વીજકરંટ આપવામાં આવ્યો હતો.  


ધોરણ 8નો વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ

 

જીવન બોર્ડિંગના ગૃહપતિ કિશન ગાંગળીયા તેમજ અન્ય ચાર જેટલા લોકો દ્વારા સફાઈ સહિતનું કામ ન કરવા બદલ વિદ્યાર્થીને વીજ કરંટ આપવામાં આવતા તે બેભાન થઈ ગયો હતો. વીજકરંટ આપતા ધોરણ 8નો 14 વર્ષનો વિદ્યાર્થી છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોએ શાળા સંચાલકો વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. રાજકોટ સિવિલમાં વિદ્યાર્થીએ પોતાને વિજકરંટ આપ્યો હોવાની વાત જણાવી છે. ગૃહપતિના આ ક્રુરતાને લઈ કારણે વાલીઓ રોષ જોવા મળી રહ્યો છે. સંચાલકોએ ગૃહપતિનો બચાવ કરતા કહ્યું કે વિદ્યાર્થી આંબલી ખાવા માટે ચડ્યો હોવાથી પડતા ઇલેટ્રીક કરંટ લાગ્યો છે જોકે પરીવારજનો આ વાતને નકારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


પિતાના ગૃહપતિ સામે ગંભીર આરોપ


વિદ્યાર્થીના પિતા જીણાભાઈ મેમરીયા સહિતના પરિવારજનો દ્વારા બોર્ડિંગના ગૃહપતિ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે ગૃહપતિ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમનું બાળક છેલ્લા દોઢ વર્ષથી અહીં બોર્ડિંગમાં રહી અભ્યાસ કરે છે. અગાઉ પણ તેમના પુત્રને કામ ન કરવા બદલ હેરાન પરેશાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પરિવારજનોને કરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.