ફરી સક્રિય થયા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ટ્વિટર પર શેર કરી એક પોસ્ટ જેમાં લખ્યું છે કે " હું લડીશ "


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-29 13:53:13

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અનેક કૌભાંડોનો પર્દાફાશ તેમણે કર્યો છે. ત્યારે થોડા મહિનાઓ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ નહીં પરંતુ ડમી ઉમેદવારો બેસાડવામાં આવે તેવો ઘટસ્ફોટ તેમણે કર્યો હતો. ડમીકાંડ મામલે તેમણે પ્રેસકોન્ફરન્સ કરી હતી અનેક નામોનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે એ મામલે કાર્યવાહી કરવામાં આવી. ત્યારે અચાનક એ કેસમાં તોડકાંડ સામે આવ્યો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવાયો હતો. 

થોડા દિવસો પહેલા યુવરાજસિંહને મળ્યા હતા જામીન 

તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ સહિત 6 લોકોની ધરપકડ કરાઈ હતી. થોડા સમયની અંદર પાંચ લોકોને જામીન પર છોડવામાં આવ્યા હતા. ત્યારે થોડા દિવસો પહેલા જેલવાસ ભોગવી યુવરાજસિંહ બહાર આવ્યા છે. જ્યારે જ્યારે પણ યુવરાજસિંહ મીડિયા સમક્ષ રજૂ થયા છે ત્યારે તેઓ કહેતા રહ્યા છે કે હજી ઘણું બધું બહાર આવવાનું બાકી. આ તો ટિઝર હતું ફિલ્મ હજી બાકી છે વગેરે વગેરે.. ત્યારે બહાર આવતાની સાથે જ ફરીથી તે એક્ટિવ ફોર્મમાં દેખાયા છે. થોડા દિવસો પહેલા તેમણે એક લાઈવ કર્યું હતું.   


ટ્વિટર પર શેર કરી પોસ્ટ 'હું લડીશ'...

ત્યારે આજે યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે એક મેસેજ લખ્યો છે ઉપરાંત એક વીડિયો ક્લીપ પણ શેર કરી છે. તે વીડિયોમાં પેપરોના અનેક કટિંગ હતા. કેપ્શન આપતા યુવરાજસિંહે લખ્યું છે હું લડીશ... એક કવિતા પ્રકારનું તેમણે લખ્યું છે જેમાં તેઓ કહેવા માગે છે કે હું ડગીશ નહીં પણ અડીખમ બનીને લડીશ... 



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.