ફરી સક્રિય થયા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ટ્વિટર પર શેર કરી એક પોસ્ટ જેમાં લખ્યું છે કે " હું લડીશ "


  • Published By :
  • Published Date : 2023-07-29 13:53:13

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અનેક કૌભાંડોનો પર્દાફાશ તેમણે કર્યો છે. ત્યારે થોડા મહિનાઓ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ નહીં પરંતુ ડમી ઉમેદવારો બેસાડવામાં આવે તેવો ઘટસ્ફોટ તેમણે કર્યો હતો. ડમીકાંડ મામલે તેમણે પ્રેસકોન્ફરન્સ કરી હતી અનેક નામોનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે એ મામલે કાર્યવાહી કરવામાં આવી. ત્યારે અચાનક એ કેસમાં તોડકાંડ સામે આવ્યો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવાયો હતો. 

થોડા દિવસો પહેલા યુવરાજસિંહને મળ્યા હતા જામીન 

તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ સહિત 6 લોકોની ધરપકડ કરાઈ હતી. થોડા સમયની અંદર પાંચ લોકોને જામીન પર છોડવામાં આવ્યા હતા. ત્યારે થોડા દિવસો પહેલા જેલવાસ ભોગવી યુવરાજસિંહ બહાર આવ્યા છે. જ્યારે જ્યારે પણ યુવરાજસિંહ મીડિયા સમક્ષ રજૂ થયા છે ત્યારે તેઓ કહેતા રહ્યા છે કે હજી ઘણું બધું બહાર આવવાનું બાકી. આ તો ટિઝર હતું ફિલ્મ હજી બાકી છે વગેરે વગેરે.. ત્યારે બહાર આવતાની સાથે જ ફરીથી તે એક્ટિવ ફોર્મમાં દેખાયા છે. થોડા દિવસો પહેલા તેમણે એક લાઈવ કર્યું હતું.   


ટ્વિટર પર શેર કરી પોસ્ટ 'હું લડીશ'...

ત્યારે આજે યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે એક મેસેજ લખ્યો છે ઉપરાંત એક વીડિયો ક્લીપ પણ શેર કરી છે. તે વીડિયોમાં પેપરોના અનેક કટિંગ હતા. કેપ્શન આપતા યુવરાજસિંહે લખ્યું છે હું લડીશ... એક કવિતા પ્રકારનું તેમણે લખ્યું છે જેમાં તેઓ કહેવા માગે છે કે હું ડગીશ નહીં પણ અડીખમ બનીને લડીશ... 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.