ફરી સક્રિય થયા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ટ્વિટર પર શેર કરી એક પોસ્ટ જેમાં લખ્યું છે કે " હું લડીશ "


  • Published By :
  • Published Date : 2023-07-29 13:53:13

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અનેક કૌભાંડોનો પર્દાફાશ તેમણે કર્યો છે. ત્યારે થોડા મહિનાઓ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ નહીં પરંતુ ડમી ઉમેદવારો બેસાડવામાં આવે તેવો ઘટસ્ફોટ તેમણે કર્યો હતો. ડમીકાંડ મામલે તેમણે પ્રેસકોન્ફરન્સ કરી હતી અનેક નામોનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે એ મામલે કાર્યવાહી કરવામાં આવી. ત્યારે અચાનક એ કેસમાં તોડકાંડ સામે આવ્યો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવાયો હતો. 

થોડા દિવસો પહેલા યુવરાજસિંહને મળ્યા હતા જામીન 

તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ સહિત 6 લોકોની ધરપકડ કરાઈ હતી. થોડા સમયની અંદર પાંચ લોકોને જામીન પર છોડવામાં આવ્યા હતા. ત્યારે થોડા દિવસો પહેલા જેલવાસ ભોગવી યુવરાજસિંહ બહાર આવ્યા છે. જ્યારે જ્યારે પણ યુવરાજસિંહ મીડિયા સમક્ષ રજૂ થયા છે ત્યારે તેઓ કહેતા રહ્યા છે કે હજી ઘણું બધું બહાર આવવાનું બાકી. આ તો ટિઝર હતું ફિલ્મ હજી બાકી છે વગેરે વગેરે.. ત્યારે બહાર આવતાની સાથે જ ફરીથી તે એક્ટિવ ફોર્મમાં દેખાયા છે. થોડા દિવસો પહેલા તેમણે એક લાઈવ કર્યું હતું.   


ટ્વિટર પર શેર કરી પોસ્ટ 'હું લડીશ'...

ત્યારે આજે યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે એક મેસેજ લખ્યો છે ઉપરાંત એક વીડિયો ક્લીપ પણ શેર કરી છે. તે વીડિયોમાં પેપરોના અનેક કટિંગ હતા. કેપ્શન આપતા યુવરાજસિંહે લખ્યું છે હું લડીશ... એક કવિતા પ્રકારનું તેમણે લખ્યું છે જેમાં તેઓ કહેવા માગે છે કે હું ડગીશ નહીં પણ અડીખમ બનીને લડીશ... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.