IIT હૈદરાબાદમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન, માનસિક તણાવ હોઈ શકે છે આત્મહત્યા કરવા પાછળનું કારણ!


  • Published By :
  • Published Date : 2023-08-08 12:20:48

આજકાલની જનરેશનમાં સ્ટ્રેસ લેવલ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કોઈને ભણવાનું ટેન્શન હોય, કોઈને નાણાકીય પ્રોબ્લેમ હોય, પર્સનલ પ્રોબ્લેમ સહિત અનેક કારણો હોય છે જેને કારણે લોકોમાં સ્ટ્રેસ લેવલ એકદમ વધી ગયું છે. આઈઆઈટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાની હોસ્ટેલની રૂમમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે તેનું નામ મમિતા નાયક છે આ પગલું 7 ઓગસ્ટે ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઓડિશામાં રહેતી મમિતાએ ગયા મહિને જ પ્રવેશ મેળવ્યો હતો. મમિતાનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો હતો. જે બાદ હોસ્ટેલના સંચાલકને આ મામલે જાણ કરવામાં આવી હતી.


એમ ટેકમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન

આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, અનેક એવા કિસ્સાઓ છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું છે. આઈઆઈટી હૈદરાબાદમાં તે એમ ટેક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. મહત્વનું છે કે આજના જમાનામાં અનેક લોકો સ્ટ્રેસનો શિકાર બની રહ્યા છે. ભણવાનો પણ હવે વિદ્યાર્થીઓને બોજો લાગતો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આપણી લાઈફ સ્ટાઈલ પણ આવી જ થઈ ગઈ છે જે સ્ટ્રેસને આમંત્રણ આપે છે. 


અનેક લોકોએ માનસિક તણાવને કારણે કરી છે આત્મહત્યા 

પહેલા એવું હતું કે માત્ર મોટા લોકોને જ કામનો સ્ટ્રેસ રહેતો હતો, અનેક પ્રોબ્લેમનો સામનો તે કરતા હોય છે પરંતુ હવે તો નાની ઉંમરે લોકોમાં ટેન્શનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મમિતા નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ પોતાના જીવનને ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીનીએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી. તેમણે લખ્યું કે આત્મહત્યા કરવા પાછળ કોઈ બીજુ કારણ જવાબદાર નથી. એવું માનવામાં આવે છે કે માનસિક તણાવને કારણે મમિતાએ આ પગલું ઉઠાવ્યું હોય. આ ઘટનાની જાણ થતાં હોસ્ટેલ સંચાલકોએ પોલીસને જાણ કરી અને વિદ્યાર્થીનીના શવને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં  આવ્યો છે. આ પહેલી એવી ઘટના નથી જેમાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હોય. જે આંખોમાં સપના સેવાતા હોય તે જ આંખો અચાનક બંધ કરી દેતા યુવાનો એક વખત પણ નથી વિચારતા. બાળક તો દુનિયાને અલવિદા કહી જતું રહે છે પરંતુ માતા પિતાને પોતાની પાછળ રડતા મૂકી જાય છે.       



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .