IIT હૈદરાબાદમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન, માનસિક તણાવ હોઈ શકે છે આત્મહત્યા કરવા પાછળનું કારણ!


  • Published By :
  • Published Date : 2023-08-08 12:20:48

આજકાલની જનરેશનમાં સ્ટ્રેસ લેવલ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કોઈને ભણવાનું ટેન્શન હોય, કોઈને નાણાકીય પ્રોબ્લેમ હોય, પર્સનલ પ્રોબ્લેમ સહિત અનેક કારણો હોય છે જેને કારણે લોકોમાં સ્ટ્રેસ લેવલ એકદમ વધી ગયું છે. આઈઆઈટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાની હોસ્ટેલની રૂમમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે તેનું નામ મમિતા નાયક છે આ પગલું 7 ઓગસ્ટે ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઓડિશામાં રહેતી મમિતાએ ગયા મહિને જ પ્રવેશ મેળવ્યો હતો. મમિતાનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો હતો. જે બાદ હોસ્ટેલના સંચાલકને આ મામલે જાણ કરવામાં આવી હતી.


એમ ટેકમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન

આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, અનેક એવા કિસ્સાઓ છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું છે. આઈઆઈટી હૈદરાબાદમાં તે એમ ટેક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. મહત્વનું છે કે આજના જમાનામાં અનેક લોકો સ્ટ્રેસનો શિકાર બની રહ્યા છે. ભણવાનો પણ હવે વિદ્યાર્થીઓને બોજો લાગતો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આપણી લાઈફ સ્ટાઈલ પણ આવી જ થઈ ગઈ છે જે સ્ટ્રેસને આમંત્રણ આપે છે. 


અનેક લોકોએ માનસિક તણાવને કારણે કરી છે આત્મહત્યા 

પહેલા એવું હતું કે માત્ર મોટા લોકોને જ કામનો સ્ટ્રેસ રહેતો હતો, અનેક પ્રોબ્લેમનો સામનો તે કરતા હોય છે પરંતુ હવે તો નાની ઉંમરે લોકોમાં ટેન્શનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મમિતા નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ પોતાના જીવનને ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીનીએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી. તેમણે લખ્યું કે આત્મહત્યા કરવા પાછળ કોઈ બીજુ કારણ જવાબદાર નથી. એવું માનવામાં આવે છે કે માનસિક તણાવને કારણે મમિતાએ આ પગલું ઉઠાવ્યું હોય. આ ઘટનાની જાણ થતાં હોસ્ટેલ સંચાલકોએ પોલીસને જાણ કરી અને વિદ્યાર્થીનીના શવને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં  આવ્યો છે. આ પહેલી એવી ઘટના નથી જેમાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હોય. જે આંખોમાં સપના સેવાતા હોય તે જ આંખો અચાનક બંધ કરી દેતા યુવાનો એક વખત પણ નથી વિચારતા. બાળક તો દુનિયાને અલવિદા કહી જતું રહે છે પરંતુ માતા પિતાને પોતાની પાછળ રડતા મૂકી જાય છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.