IIT હૈદરાબાદમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન, માનસિક તણાવ હોઈ શકે છે આત્મહત્યા કરવા પાછળનું કારણ!


  • Published By :
  • Published Date : 2023-08-08 12:20:48

આજકાલની જનરેશનમાં સ્ટ્રેસ લેવલ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કોઈને ભણવાનું ટેન્શન હોય, કોઈને નાણાકીય પ્રોબ્લેમ હોય, પર્સનલ પ્રોબ્લેમ સહિત અનેક કારણો હોય છે જેને કારણે લોકોમાં સ્ટ્રેસ લેવલ એકદમ વધી ગયું છે. આઈઆઈટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાની હોસ્ટેલની રૂમમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે તેનું નામ મમિતા નાયક છે આ પગલું 7 ઓગસ્ટે ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઓડિશામાં રહેતી મમિતાએ ગયા મહિને જ પ્રવેશ મેળવ્યો હતો. મમિતાનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો હતો. જે બાદ હોસ્ટેલના સંચાલકને આ મામલે જાણ કરવામાં આવી હતી.


એમ ટેકમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન

આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, અનેક એવા કિસ્સાઓ છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું છે. આઈઆઈટી હૈદરાબાદમાં તે એમ ટેક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. મહત્વનું છે કે આજના જમાનામાં અનેક લોકો સ્ટ્રેસનો શિકાર બની રહ્યા છે. ભણવાનો પણ હવે વિદ્યાર્થીઓને બોજો લાગતો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આપણી લાઈફ સ્ટાઈલ પણ આવી જ થઈ ગઈ છે જે સ્ટ્રેસને આમંત્રણ આપે છે. 


અનેક લોકોએ માનસિક તણાવને કારણે કરી છે આત્મહત્યા 

પહેલા એવું હતું કે માત્ર મોટા લોકોને જ કામનો સ્ટ્રેસ રહેતો હતો, અનેક પ્રોબ્લેમનો સામનો તે કરતા હોય છે પરંતુ હવે તો નાની ઉંમરે લોકોમાં ટેન્શનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મમિતા નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ પોતાના જીવનને ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીનીએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી. તેમણે લખ્યું કે આત્મહત્યા કરવા પાછળ કોઈ બીજુ કારણ જવાબદાર નથી. એવું માનવામાં આવે છે કે માનસિક તણાવને કારણે મમિતાએ આ પગલું ઉઠાવ્યું હોય. આ ઘટનાની જાણ થતાં હોસ્ટેલ સંચાલકોએ પોલીસને જાણ કરી અને વિદ્યાર્થીનીના શવને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં  આવ્યો છે. આ પહેલી એવી ઘટના નથી જેમાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હોય. જે આંખોમાં સપના સેવાતા હોય તે જ આંખો અચાનક બંધ કરી દેતા યુવાનો એક વખત પણ નથી વિચારતા. બાળક તો દુનિયાને અલવિદા કહી જતું રહે છે પરંતુ માતા પિતાને પોતાની પાછળ રડતા મૂકી જાય છે.       



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.