IIT હૈદરાબાદમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન, માનસિક તણાવ હોઈ શકે છે આત્મહત્યા કરવા પાછળનું કારણ!


  • Published By :
  • Published Date : 2023-08-08 12:20:48

આજકાલની જનરેશનમાં સ્ટ્રેસ લેવલ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કોઈને ભણવાનું ટેન્શન હોય, કોઈને નાણાકીય પ્રોબ્લેમ હોય, પર્સનલ પ્રોબ્લેમ સહિત અનેક કારણો હોય છે જેને કારણે લોકોમાં સ્ટ્રેસ લેવલ એકદમ વધી ગયું છે. આઈઆઈટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાની હોસ્ટેલની રૂમમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે તેનું નામ મમિતા નાયક છે આ પગલું 7 ઓગસ્ટે ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઓડિશામાં રહેતી મમિતાએ ગયા મહિને જ પ્રવેશ મેળવ્યો હતો. મમિતાનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો હતો. જે બાદ હોસ્ટેલના સંચાલકને આ મામલે જાણ કરવામાં આવી હતી.


એમ ટેકમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન

આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, અનેક એવા કિસ્સાઓ છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું છે. આઈઆઈટી હૈદરાબાદમાં તે એમ ટેક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. મહત્વનું છે કે આજના જમાનામાં અનેક લોકો સ્ટ્રેસનો શિકાર બની રહ્યા છે. ભણવાનો પણ હવે વિદ્યાર્થીઓને બોજો લાગતો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આપણી લાઈફ સ્ટાઈલ પણ આવી જ થઈ ગઈ છે જે સ્ટ્રેસને આમંત્રણ આપે છે. 


અનેક લોકોએ માનસિક તણાવને કારણે કરી છે આત્મહત્યા 

પહેલા એવું હતું કે માત્ર મોટા લોકોને જ કામનો સ્ટ્રેસ રહેતો હતો, અનેક પ્રોબ્લેમનો સામનો તે કરતા હોય છે પરંતુ હવે તો નાની ઉંમરે લોકોમાં ટેન્શનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મમિતા નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ પોતાના જીવનને ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીનીએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી. તેમણે લખ્યું કે આત્મહત્યા કરવા પાછળ કોઈ બીજુ કારણ જવાબદાર નથી. એવું માનવામાં આવે છે કે માનસિક તણાવને કારણે મમિતાએ આ પગલું ઉઠાવ્યું હોય. આ ઘટનાની જાણ થતાં હોસ્ટેલ સંચાલકોએ પોલીસને જાણ કરી અને વિદ્યાર્થીનીના શવને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં  આવ્યો છે. આ પહેલી એવી ઘટના નથી જેમાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હોય. જે આંખોમાં સપના સેવાતા હોય તે જ આંખો અચાનક બંધ કરી દેતા યુવાનો એક વખત પણ નથી વિચારતા. બાળક તો દુનિયાને અલવિદા કહી જતું રહે છે પરંતુ માતા પિતાને પોતાની પાછળ રડતા મૂકી જાય છે.       



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .