વેરાવળ એસ.ટી ડેપોના અધિકારી સામે વિધાર્થીઓનો રોષ:7 દિવસમાં એક્શન નહિ લેવાય તો આંદોલનની ચીમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 17:41:11

STORY BY - BHAVIK SUDRA 


વેરાવળ એસ. ટી ડેપોના અધિકારીઓ દ્વારા વેરાવળ થી કિડીવાવ અભ્યાસ અર્થે જતાં વિધાર્થી ઓ સાથે અસભ્ય વર્તન કરતાં હોબાળો 

રજૂઆત માટે ગયેલા વિધાર્થી ઑને અધિકારી કહ્યું "કિડીવાવ શું ભણવા જાવ છો વેરાવળમાં ભણો,તમે જે ધંધા કરો છો તે અમને ખબર છે ઉપડો અહીથી બસોનું કઈ નહીં થાય" 


વેરાવળ એસ.ટી ડેપો ફાઇલ તસ્વીર 

વેરાવળ ડેપોમાં વિધાર્થીઓ સહિત મુસાફરો અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ડેપો બહાર રોડ પર બેસી બસોને રોકવાનો પ્રયાસ કરતાં ટ્રાફિક જામ થયું હતું ત્યાર બાદ લોકોએ સમજાવ્યા અને તમામ લોકો ડેપોમાં ગયા અને ત્યાં ફરી હોબાળો મચાવી ડેપો ખાતે ધરણાં પર બેસી ગયા હતા અને ડેપોના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.અને આ અધિકારી સામે પગલાં નહિ લેવામાં આવે તો વિધાર્થીઓ દ્વારા ફરી આંદોલનની ચીમકી આપી હતી

સમયસર બસો ન આવવાના આક્ષેપ સાથે અનેક વાર વિધ્યાર્થી અને મુસાફરોએ બસ ડેપોમાં હોબાળો મચાવ્યો હતો.વિધાર્થીઓનું કહેવું છે કે બસો સમયસર આવતી નથી અને આવે છે તો અમને બસોમાં ચડવા નથી દેતા અને કહે છે બસ ફૂલ છે.વિધાર્થીઓ પાસે બસનો પાસ હોવા છતાં પણ વિધાર્થીઓને ભાડું ચૂકવી રિક્ષામાં આવવા મજબૂર કરે છે 


વિધ્યાર્થીઓએ ડેપોના ઉપરી અધિકારીને લેખિક રજૂઆત કરી 

અગાવ 2 સપ્ટેમ્બરના રોજ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપડમાં વિધાર્થીઓ અને મુસાફરોએ બસો રોકી ચક્કાજામ કર્યો હતો.સુત્રાપાડા થી વેરાવળ જતી તમામ બસોને અટકાવી વિધાર્થીઓ આકરા પાણીએ જોવા મળ્યા હતા.આ વાતની વેરાવળ ડેપોમાં જાણ થતાં ડેપો મેનેજર દ્વારા સમજાવતા અને બીજી બસો ચાલુ કરી આપવાની ખાતરી આપી હતી ત્યાર બાદ વિધાર્થીઓએ બસોને વેરાવળ ડેપો ખાતે રવાના કરી હતી 


2 સપ્ટેમ્બરના રોજ સુત્રાપાડામાં વિધ્યાર્થીઓએ એસ.ટીનો વિરોધ કર્યો હતો 

દેશના ભવિષ્ય વિધાર્થીઓ સાથે આવું ગેરવર્તન કરતાં અધિકારી સામે શું પગલાં લેવામાં આવે છે એ જોવાનું રહ્યું અને જો આ અધિકારી સામે પગલાં નહીં લેવામાં આવે તો વિધાર્થીઓ દ્વારા ફરી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .