વેરાવળ એસ.ટી ડેપોના અધિકારી સામે વિધાર્થીઓનો રોષ:7 દિવસમાં એક્શન નહિ લેવાય તો આંદોલનની ચીમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 17:41:11

STORY BY - BHAVIK SUDRA 


વેરાવળ એસ. ટી ડેપોના અધિકારીઓ દ્વારા વેરાવળ થી કિડીવાવ અભ્યાસ અર્થે જતાં વિધાર્થી ઓ સાથે અસભ્ય વર્તન કરતાં હોબાળો 

રજૂઆત માટે ગયેલા વિધાર્થી ઑને અધિકારી કહ્યું "કિડીવાવ શું ભણવા જાવ છો વેરાવળમાં ભણો,તમે જે ધંધા કરો છો તે અમને ખબર છે ઉપડો અહીથી બસોનું કઈ નહીં થાય" 


વેરાવળ એસ.ટી ડેપો ફાઇલ તસ્વીર 

વેરાવળ ડેપોમાં વિધાર્થીઓ સહિત મુસાફરો અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ડેપો બહાર રોડ પર બેસી બસોને રોકવાનો પ્રયાસ કરતાં ટ્રાફિક જામ થયું હતું ત્યાર બાદ લોકોએ સમજાવ્યા અને તમામ લોકો ડેપોમાં ગયા અને ત્યાં ફરી હોબાળો મચાવી ડેપો ખાતે ધરણાં પર બેસી ગયા હતા અને ડેપોના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.અને આ અધિકારી સામે પગલાં નહિ લેવામાં આવે તો વિધાર્થીઓ દ્વારા ફરી આંદોલનની ચીમકી આપી હતી

સમયસર બસો ન આવવાના આક્ષેપ સાથે અનેક વાર વિધ્યાર્થી અને મુસાફરોએ બસ ડેપોમાં હોબાળો મચાવ્યો હતો.વિધાર્થીઓનું કહેવું છે કે બસો સમયસર આવતી નથી અને આવે છે તો અમને બસોમાં ચડવા નથી દેતા અને કહે છે બસ ફૂલ છે.વિધાર્થીઓ પાસે બસનો પાસ હોવા છતાં પણ વિધાર્થીઓને ભાડું ચૂકવી રિક્ષામાં આવવા મજબૂર કરે છે 


વિધ્યાર્થીઓએ ડેપોના ઉપરી અધિકારીને લેખિક રજૂઆત કરી 

અગાવ 2 સપ્ટેમ્બરના રોજ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપડમાં વિધાર્થીઓ અને મુસાફરોએ બસો રોકી ચક્કાજામ કર્યો હતો.સુત્રાપાડા થી વેરાવળ જતી તમામ બસોને અટકાવી વિધાર્થીઓ આકરા પાણીએ જોવા મળ્યા હતા.આ વાતની વેરાવળ ડેપોમાં જાણ થતાં ડેપો મેનેજર દ્વારા સમજાવતા અને બીજી બસો ચાલુ કરી આપવાની ખાતરી આપી હતી ત્યાર બાદ વિધાર્થીઓએ બસોને વેરાવળ ડેપો ખાતે રવાના કરી હતી 


2 સપ્ટેમ્બરના રોજ સુત્રાપાડામાં વિધ્યાર્થીઓએ એસ.ટીનો વિરોધ કર્યો હતો 

દેશના ભવિષ્ય વિધાર્થીઓ સાથે આવું ગેરવર્તન કરતાં અધિકારી સામે શું પગલાં લેવામાં આવે છે એ જોવાનું રહ્યું અને જો આ અધિકારી સામે પગલાં નહીં લેવામાં આવે તો વિધાર્થીઓ દ્વારા ફરી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.