અભ્યાસ માટે વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે જીવને જોખમમાં! Social Media પર Viral થયો Gujaratનો વીડિયો જેમાં... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-16 14:39:28

ગુજરાતને વિકસીત ગુજરાત તરીકે દેશભરમાં દર્શાવવામાં આવે છે. ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે તેના ઉદાહરણો દેશના અનેક રાજ્યોમાં આપવામાં આવે છે. વિકાસનો પર્યાય જાણે ગુજરાત બની ગયો હોય તેવી રીતે દર્શાવવામાં આવે છે! પરંતુ વિકસીત ગણાતા ગુજરાતમાં આજે પણ એવા ગામો છે જે વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે. અનેક ગામોમાં બસોની સુવિધા ન હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો સવારી કરતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એસટી બસમાં મોટી સંખ્યામાં, જીવના જોખમે વિદ્યાર્થીઓ સફર કરી રહ્યા છે. એસટી બસની ટેગલાઈન છે સલામત સવારી એસટી બસ અમારી. પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે વાતને ખોટી સાબિત કરે છે. એક જ બસમાં અનેક બાળકોને બેસાડવામાં આવ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો બોડેલીથી ખાટીયાવાટ તરફ જતી એસટી બસનો છે.    


ભણવા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે મુસાફરી

ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો છે તેવી રીતે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાતનો વિકાસ થયો છે તેની ના નથી, પરંતુ અનેક ગામો આજે પણ એવા છે વિકાસ માટે ઝંખે છે. અનેક જગ્યાઓ પર પહોંચવા માટે પાકા રસ્તા નથી, દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે તે માટે શાળાઓની સુવિધા નથી વગેરે વગેરે... અનેક ગામડાઓ એવા હોય છે જ્યાં હાથે ગણી શકાય તેટલી બસો આવતી હોય છે. ઓછી બસો આવતી હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો બેસી જાય છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં શાળાઓ નથી. ત્યારે ભણવા માટે પણ વિદ્યાર્થીઓને દૂર જવું પડે છે. 


જો અકસ્માત થાય તો જવાબદાર કોણ?  

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે એસટી બસમાં સવારી કરી રહ્યા છે. એસટી બસને સલમાત સવારી કહેવામાં આવે છે પરંતુ અનેક વખત આવી સવારી જોખમી સવારી સાબિત થઈ શકે છે. જે વીડિયો તામે આવ્યો છે તે બોડેલીથી ખાટીયાવાટ તરફ જઈ રહેલી બસનો હોવાનું અનુમાન છે. આની પહેલા પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં બાળકો જીવના જોખમે મુસાફરી કરતા હોય. મહત્વનું છે કે અનેક ગામડાઓ એવા છે જ્યાં બસની સુવિધાઓ નથી હોતી. જે બસ મળે તેમાં સવારી કરવી પડતી હોય છે. મહત્વનું છે કે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?        




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.