અભ્યાસ માટે વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે જીવને જોખમમાં! Social Media પર Viral થયો Gujaratનો વીડિયો જેમાં... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-16 14:39:28

ગુજરાતને વિકસીત ગુજરાત તરીકે દેશભરમાં દર્શાવવામાં આવે છે. ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે તેના ઉદાહરણો દેશના અનેક રાજ્યોમાં આપવામાં આવે છે. વિકાસનો પર્યાય જાણે ગુજરાત બની ગયો હોય તેવી રીતે દર્શાવવામાં આવે છે! પરંતુ વિકસીત ગણાતા ગુજરાતમાં આજે પણ એવા ગામો છે જે વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે. અનેક ગામોમાં બસોની સુવિધા ન હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો સવારી કરતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એસટી બસમાં મોટી સંખ્યામાં, જીવના જોખમે વિદ્યાર્થીઓ સફર કરી રહ્યા છે. એસટી બસની ટેગલાઈન છે સલામત સવારી એસટી બસ અમારી. પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે વાતને ખોટી સાબિત કરે છે. એક જ બસમાં અનેક બાળકોને બેસાડવામાં આવ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો બોડેલીથી ખાટીયાવાટ તરફ જતી એસટી બસનો છે.    


ભણવા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે મુસાફરી

ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો છે તેવી રીતે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાતનો વિકાસ થયો છે તેની ના નથી, પરંતુ અનેક ગામો આજે પણ એવા છે વિકાસ માટે ઝંખે છે. અનેક જગ્યાઓ પર પહોંચવા માટે પાકા રસ્તા નથી, દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે તે માટે શાળાઓની સુવિધા નથી વગેરે વગેરે... અનેક ગામડાઓ એવા હોય છે જ્યાં હાથે ગણી શકાય તેટલી બસો આવતી હોય છે. ઓછી બસો આવતી હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો બેસી જાય છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં શાળાઓ નથી. ત્યારે ભણવા માટે પણ વિદ્યાર્થીઓને દૂર જવું પડે છે. 


જો અકસ્માત થાય તો જવાબદાર કોણ?  

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે એસટી બસમાં સવારી કરી રહ્યા છે. એસટી બસને સલમાત સવારી કહેવામાં આવે છે પરંતુ અનેક વખત આવી સવારી જોખમી સવારી સાબિત થઈ શકે છે. જે વીડિયો તામે આવ્યો છે તે બોડેલીથી ખાટીયાવાટ તરફ જઈ રહેલી બસનો હોવાનું અનુમાન છે. આની પહેલા પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં બાળકો જીવના જોખમે મુસાફરી કરતા હોય. મહત્વનું છે કે અનેક ગામડાઓ એવા છે જ્યાં બસની સુવિધાઓ નથી હોતી. જે બસ મળે તેમાં સવારી કરવી પડતી હોય છે. મહત્વનું છે કે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.