અભ્યાસ માટે વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે જીવને જોખમમાં! Social Media પર Viral થયો Gujaratનો વીડિયો જેમાં... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-16 14:39:28

ગુજરાતને વિકસીત ગુજરાત તરીકે દેશભરમાં દર્શાવવામાં આવે છે. ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે તેના ઉદાહરણો દેશના અનેક રાજ્યોમાં આપવામાં આવે છે. વિકાસનો પર્યાય જાણે ગુજરાત બની ગયો હોય તેવી રીતે દર્શાવવામાં આવે છે! પરંતુ વિકસીત ગણાતા ગુજરાતમાં આજે પણ એવા ગામો છે જે વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે. અનેક ગામોમાં બસોની સુવિધા ન હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો સવારી કરતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એસટી બસમાં મોટી સંખ્યામાં, જીવના જોખમે વિદ્યાર્થીઓ સફર કરી રહ્યા છે. એસટી બસની ટેગલાઈન છે સલામત સવારી એસટી બસ અમારી. પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે વાતને ખોટી સાબિત કરે છે. એક જ બસમાં અનેક બાળકોને બેસાડવામાં આવ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો બોડેલીથી ખાટીયાવાટ તરફ જતી એસટી બસનો છે.    


ભણવા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે મુસાફરી

ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો છે તેવી રીતે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાતનો વિકાસ થયો છે તેની ના નથી, પરંતુ અનેક ગામો આજે પણ એવા છે વિકાસ માટે ઝંખે છે. અનેક જગ્યાઓ પર પહોંચવા માટે પાકા રસ્તા નથી, દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે તે માટે શાળાઓની સુવિધા નથી વગેરે વગેરે... અનેક ગામડાઓ એવા હોય છે જ્યાં હાથે ગણી શકાય તેટલી બસો આવતી હોય છે. ઓછી બસો આવતી હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો બેસી જાય છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં શાળાઓ નથી. ત્યારે ભણવા માટે પણ વિદ્યાર્થીઓને દૂર જવું પડે છે. 


જો અકસ્માત થાય તો જવાબદાર કોણ?  

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે એસટી બસમાં સવારી કરી રહ્યા છે. એસટી બસને સલમાત સવારી કહેવામાં આવે છે પરંતુ અનેક વખત આવી સવારી જોખમી સવારી સાબિત થઈ શકે છે. જે વીડિયો તામે આવ્યો છે તે બોડેલીથી ખાટીયાવાટ તરફ જઈ રહેલી બસનો હોવાનું અનુમાન છે. આની પહેલા પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં બાળકો જીવના જોખમે મુસાફરી કરતા હોય. મહત્વનું છે કે અનેક ગામડાઓ એવા છે જ્યાં બસની સુવિધાઓ નથી હોતી. જે બસ મળે તેમાં સવારી કરવી પડતી હોય છે. મહત્વનું છે કે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.