અભ્યાસ માટે વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે જીવને જોખમમાં! Social Media પર Viral થયો Gujaratનો વીડિયો જેમાં... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-16 14:39:28

ગુજરાતને વિકસીત ગુજરાત તરીકે દેશભરમાં દર્શાવવામાં આવે છે. ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે તેના ઉદાહરણો દેશના અનેક રાજ્યોમાં આપવામાં આવે છે. વિકાસનો પર્યાય જાણે ગુજરાત બની ગયો હોય તેવી રીતે દર્શાવવામાં આવે છે! પરંતુ વિકસીત ગણાતા ગુજરાતમાં આજે પણ એવા ગામો છે જે વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે. અનેક ગામોમાં બસોની સુવિધા ન હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો સવારી કરતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એસટી બસમાં મોટી સંખ્યામાં, જીવના જોખમે વિદ્યાર્થીઓ સફર કરી રહ્યા છે. એસટી બસની ટેગલાઈન છે સલામત સવારી એસટી બસ અમારી. પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે વાતને ખોટી સાબિત કરે છે. એક જ બસમાં અનેક બાળકોને બેસાડવામાં આવ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો બોડેલીથી ખાટીયાવાટ તરફ જતી એસટી બસનો છે.    


ભણવા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે મુસાફરી

ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો છે તેવી રીતે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાતનો વિકાસ થયો છે તેની ના નથી, પરંતુ અનેક ગામો આજે પણ એવા છે વિકાસ માટે ઝંખે છે. અનેક જગ્યાઓ પર પહોંચવા માટે પાકા રસ્તા નથી, દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે તે માટે શાળાઓની સુવિધા નથી વગેરે વગેરે... અનેક ગામડાઓ એવા હોય છે જ્યાં હાથે ગણી શકાય તેટલી બસો આવતી હોય છે. ઓછી બસો આવતી હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો બેસી જાય છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં શાળાઓ નથી. ત્યારે ભણવા માટે પણ વિદ્યાર્થીઓને દૂર જવું પડે છે. 


જો અકસ્માત થાય તો જવાબદાર કોણ?  

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે એસટી બસમાં સવારી કરી રહ્યા છે. એસટી બસને સલમાત સવારી કહેવામાં આવે છે પરંતુ અનેક વખત આવી સવારી જોખમી સવારી સાબિત થઈ શકે છે. જે વીડિયો તામે આવ્યો છે તે બોડેલીથી ખાટીયાવાટ તરફ જઈ રહેલી બસનો હોવાનું અનુમાન છે. આની પહેલા પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં બાળકો જીવના જોખમે મુસાફરી કરતા હોય. મહત્વનું છે કે અનેક ગામડાઓ એવા છે જ્યાં બસની સુવિધાઓ નથી હોતી. જે બસ મળે તેમાં સવારી કરવી પડતી હોય છે. મહત્વનું છે કે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?        




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી