Adivasi વિસ્તારોમાં ભણવા માટે વિદ્યાર્થીઓ 12 કિલોમીટર ચાલીને જવા મજબૂર! વિદ્યાર્થીઓ ભણે તે માટે લવાય છે યોજના પરંતુ..., જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-23 11:35:22

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે તે વાતને પોકળ સાબિત કરી દે છે. થોડા સમય પહેલા સાબરકાંઠાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રસ્તા ના હોવાને કારણે દર્દીને અનેક કિલોમીટર સુધી ઝોળીમાં લઈ જવાની ફરજ પડી હતી. સાબરકાંઠામાં વિકાસ રસ્તામાં છે. સાબરકાંઠામાં રસ્તા બન્યા નથી પણ એનાથી પણ ભયાનક સ્થિતિ છોટાઉદેપુરની અને એના આસપાસની છે. ત્યાં પણ અનેક જગ્યાએ રસ્તા નથી બન્યા લોકોને ઝોળી કરીને હોસ્પિટલ લઈ જવા પડે છે.  

અંતરિયાળ વિસ્તારમાં નથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા!  

એક વીડિયો છોટાઉદેપુરથી સામે આવ્યો છે જેમાં બાળકો શિક્ષા મેળવવા અનેક મુશ્કેલી વેઠીને જઈ રહ્યા છે. બાળકો જીવના જોખમે ભણવા જઈ રહ્યા છે. ટ્રાન્સપોટેશનની વ્યવસ્થા ના હોવાને કારણે અનેક બાળકો કિલોમીટરો ચાલીને સ્કૂલે પહોંચે છે તો કોઈ બાળકો જે વાહન મળ્યું તેમાં ઘેંટા બકરાની જેમ બેસી શાળાએ પહોંચે છે. ટ્રાન્સપોટેશનની સુવિધા ના હોવાને કારણે બાળકોને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.   

12 કિલોમીટર ચાલીને વિદ્યાર્થીઓ પહોંચે છે શાળાએ! 

જ્યારે આવા વીડિયો જોઈએ ત્યારે દુ:ખ થાય કે બાળકોને આવી રીતે ઘેટાં બકરાની જેમ કેમ ભરીને લઈ જાય છે. પણ પછી સવાલ ત્યાંનો ત્યાં આવીને અટકે છે કે ત્યાં કોઈ બસ કે બીજી કોઈ સુવિધા નથી તો શું કરશે એ લોકો.. આ વીડિયો પાવી જેતપુરના ભીખાપુરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ૧૨ કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા જવું પડે છે અને આની અસર એ બાળકોના અભ્યાસ પર પણ પડે છે. આપણે માત્ર એ સવાલ કરીએ છીએ કે આદિવાસી વિસ્તારના બાળકો ભણવાનું કેમ છોડી દે છે તો એનું મોટું કારણ આ પણ છે કે સુવિધા જ નથી હોતી.  છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. છોટા ઉદેપુર જિલ્લાના બોર્ડનું પરિણામ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ નબળું આવે છે.જેની પાછળ ઘણાં બધા પરિબળો કામ કરે છે. 


અંદાજીત 3 હજાર વિદ્યાર્થીઓ કરવા આવે છે અભ્યાસ 

ભીખાપુરા ત્રણ જીલ્લા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદે આવેલું છે અને જીલ્લામાં શિક્ષણનું હબ ગણાય છે.ભીખાપુરા ખાતે ત્રણ ખાનગી અને બે સરકારી શાળાઓ આવેલી છે. જેમાં આજુબાજુના તેમજ દાહોદ અને પંચમહાલ જિલ્લાના મળી કુલ લગભગ ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. મોટાભાગે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓ સવાર સાંજ ચાલીને શાળાએ પહોંચે છે અને અભ્યાસ કરે  છે.


યોજનાઓ પાછળ વાપરવામાં આવે છે કરોડો રૂપિયા પરંતુ.. 

એકબાજુ સરકાર આદિવાસી બાળકોના અભ્યાસ માટે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે,નવી નવી યોજનાઓ લાવે છે પરંતુ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં નિષ્ફળ જાય છે ત્યારે આ સ્તિથિમાં એક જ પ્રશ્ન છે કે શું આ રીતે ભણશે ગુજરાત? માત્ર યોજનાઓ શરૂ કરવાથી નથી બદલાતું, ફરક ત્યારે પડે છે જ્યારે આ યોજનાઓ, યોજનાઓ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે અને ત્યાંના લોકોને લાભ થાય. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.