Adivasi વિસ્તારોમાં ભણવા માટે વિદ્યાર્થીઓ 12 કિલોમીટર ચાલીને જવા મજબૂર! વિદ્યાર્થીઓ ભણે તે માટે લવાય છે યોજના પરંતુ..., જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-23 11:35:22

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે તે વાતને પોકળ સાબિત કરી દે છે. થોડા સમય પહેલા સાબરકાંઠાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રસ્તા ના હોવાને કારણે દર્દીને અનેક કિલોમીટર સુધી ઝોળીમાં લઈ જવાની ફરજ પડી હતી. સાબરકાંઠામાં વિકાસ રસ્તામાં છે. સાબરકાંઠામાં રસ્તા બન્યા નથી પણ એનાથી પણ ભયાનક સ્થિતિ છોટાઉદેપુરની અને એના આસપાસની છે. ત્યાં પણ અનેક જગ્યાએ રસ્તા નથી બન્યા લોકોને ઝોળી કરીને હોસ્પિટલ લઈ જવા પડે છે.  

અંતરિયાળ વિસ્તારમાં નથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા!  

એક વીડિયો છોટાઉદેપુરથી સામે આવ્યો છે જેમાં બાળકો શિક્ષા મેળવવા અનેક મુશ્કેલી વેઠીને જઈ રહ્યા છે. બાળકો જીવના જોખમે ભણવા જઈ રહ્યા છે. ટ્રાન્સપોટેશનની વ્યવસ્થા ના હોવાને કારણે અનેક બાળકો કિલોમીટરો ચાલીને સ્કૂલે પહોંચે છે તો કોઈ બાળકો જે વાહન મળ્યું તેમાં ઘેંટા બકરાની જેમ બેસી શાળાએ પહોંચે છે. ટ્રાન્સપોટેશનની સુવિધા ના હોવાને કારણે બાળકોને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.   

12 કિલોમીટર ચાલીને વિદ્યાર્થીઓ પહોંચે છે શાળાએ! 

જ્યારે આવા વીડિયો જોઈએ ત્યારે દુ:ખ થાય કે બાળકોને આવી રીતે ઘેટાં બકરાની જેમ કેમ ભરીને લઈ જાય છે. પણ પછી સવાલ ત્યાંનો ત્યાં આવીને અટકે છે કે ત્યાં કોઈ બસ કે બીજી કોઈ સુવિધા નથી તો શું કરશે એ લોકો.. આ વીડિયો પાવી જેતપુરના ભીખાપુરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ૧૨ કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા જવું પડે છે અને આની અસર એ બાળકોના અભ્યાસ પર પણ પડે છે. આપણે માત્ર એ સવાલ કરીએ છીએ કે આદિવાસી વિસ્તારના બાળકો ભણવાનું કેમ છોડી દે છે તો એનું મોટું કારણ આ પણ છે કે સુવિધા જ નથી હોતી.  છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. છોટા ઉદેપુર જિલ્લાના બોર્ડનું પરિણામ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ નબળું આવે છે.જેની પાછળ ઘણાં બધા પરિબળો કામ કરે છે. 


અંદાજીત 3 હજાર વિદ્યાર્થીઓ કરવા આવે છે અભ્યાસ 

ભીખાપુરા ત્રણ જીલ્લા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદે આવેલું છે અને જીલ્લામાં શિક્ષણનું હબ ગણાય છે.ભીખાપુરા ખાતે ત્રણ ખાનગી અને બે સરકારી શાળાઓ આવેલી છે. જેમાં આજુબાજુના તેમજ દાહોદ અને પંચમહાલ જિલ્લાના મળી કુલ લગભગ ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. મોટાભાગે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓ સવાર સાંજ ચાલીને શાળાએ પહોંચે છે અને અભ્યાસ કરે  છે.


યોજનાઓ પાછળ વાપરવામાં આવે છે કરોડો રૂપિયા પરંતુ.. 

એકબાજુ સરકાર આદિવાસી બાળકોના અભ્યાસ માટે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે,નવી નવી યોજનાઓ લાવે છે પરંતુ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં નિષ્ફળ જાય છે ત્યારે આ સ્તિથિમાં એક જ પ્રશ્ન છે કે શું આ રીતે ભણશે ગુજરાત? માત્ર યોજનાઓ શરૂ કરવાથી નથી બદલાતું, ફરક ત્યારે પડે છે જ્યારે આ યોજનાઓ, યોજનાઓ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે અને ત્યાંના લોકોને લાભ થાય. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.