Adivasi વિસ્તારોમાં ભણવા માટે વિદ્યાર્થીઓ 12 કિલોમીટર ચાલીને જવા મજબૂર! વિદ્યાર્થીઓ ભણે તે માટે લવાય છે યોજના પરંતુ..., જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-23 11:35:22

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે તે વાતને પોકળ સાબિત કરી દે છે. થોડા સમય પહેલા સાબરકાંઠાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રસ્તા ના હોવાને કારણે દર્દીને અનેક કિલોમીટર સુધી ઝોળીમાં લઈ જવાની ફરજ પડી હતી. સાબરકાંઠામાં વિકાસ રસ્તામાં છે. સાબરકાંઠામાં રસ્તા બન્યા નથી પણ એનાથી પણ ભયાનક સ્થિતિ છોટાઉદેપુરની અને એના આસપાસની છે. ત્યાં પણ અનેક જગ્યાએ રસ્તા નથી બન્યા લોકોને ઝોળી કરીને હોસ્પિટલ લઈ જવા પડે છે.  

અંતરિયાળ વિસ્તારમાં નથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા!  

એક વીડિયો છોટાઉદેપુરથી સામે આવ્યો છે જેમાં બાળકો શિક્ષા મેળવવા અનેક મુશ્કેલી વેઠીને જઈ રહ્યા છે. બાળકો જીવના જોખમે ભણવા જઈ રહ્યા છે. ટ્રાન્સપોટેશનની વ્યવસ્થા ના હોવાને કારણે અનેક બાળકો કિલોમીટરો ચાલીને સ્કૂલે પહોંચે છે તો કોઈ બાળકો જે વાહન મળ્યું તેમાં ઘેંટા બકરાની જેમ બેસી શાળાએ પહોંચે છે. ટ્રાન્સપોટેશનની સુવિધા ના હોવાને કારણે બાળકોને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.   

12 કિલોમીટર ચાલીને વિદ્યાર્થીઓ પહોંચે છે શાળાએ! 

જ્યારે આવા વીડિયો જોઈએ ત્યારે દુ:ખ થાય કે બાળકોને આવી રીતે ઘેટાં બકરાની જેમ કેમ ભરીને લઈ જાય છે. પણ પછી સવાલ ત્યાંનો ત્યાં આવીને અટકે છે કે ત્યાં કોઈ બસ કે બીજી કોઈ સુવિધા નથી તો શું કરશે એ લોકો.. આ વીડિયો પાવી જેતપુરના ભીખાપુરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ૧૨ કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા જવું પડે છે અને આની અસર એ બાળકોના અભ્યાસ પર પણ પડે છે. આપણે માત્ર એ સવાલ કરીએ છીએ કે આદિવાસી વિસ્તારના બાળકો ભણવાનું કેમ છોડી દે છે તો એનું મોટું કારણ આ પણ છે કે સુવિધા જ નથી હોતી.  છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. છોટા ઉદેપુર જિલ્લાના બોર્ડનું પરિણામ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ નબળું આવે છે.જેની પાછળ ઘણાં બધા પરિબળો કામ કરે છે. 


અંદાજીત 3 હજાર વિદ્યાર્થીઓ કરવા આવે છે અભ્યાસ 

ભીખાપુરા ત્રણ જીલ્લા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદે આવેલું છે અને જીલ્લામાં શિક્ષણનું હબ ગણાય છે.ભીખાપુરા ખાતે ત્રણ ખાનગી અને બે સરકારી શાળાઓ આવેલી છે. જેમાં આજુબાજુના તેમજ દાહોદ અને પંચમહાલ જિલ્લાના મળી કુલ લગભગ ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. મોટાભાગે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓ સવાર સાંજ ચાલીને શાળાએ પહોંચે છે અને અભ્યાસ કરે  છે.


યોજનાઓ પાછળ વાપરવામાં આવે છે કરોડો રૂપિયા પરંતુ.. 

એકબાજુ સરકાર આદિવાસી બાળકોના અભ્યાસ માટે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે,નવી નવી યોજનાઓ લાવે છે પરંતુ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં નિષ્ફળ જાય છે ત્યારે આ સ્તિથિમાં એક જ પ્રશ્ન છે કે શું આ રીતે ભણશે ગુજરાત? માત્ર યોજનાઓ શરૂ કરવાથી નથી બદલાતું, ફરક ત્યારે પડે છે જ્યારે આ યોજનાઓ, યોજનાઓ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે અને ત્યાંના લોકોને લાભ થાય. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.