Mehsanaની આ બાળમંદિરના ભૂલકાઓ બહાર બેસીને ભણવા મજબૂર! શિક્ષણ પાછળ કરોડો ખર્ચાય છે પરંતુ..


  • Published By :
  • Published Date : 2023-10-23 12:50:25

વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે પ્રેરિત થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. અનેક કાર્યક્રમો લોન્ચ કરવામાં આવે છે. 'પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા' જેવા પ્રોગ્રામ લોન્ચ કરાય છે પરંતુ ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે, શિક્ષણની વાસ્તવિક્તા શું છે તેનાથી આપણે વાકેફ છીએ. અનેક વખત શાળામાં જઈ જમાવટની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવે છે જેમાં વાસ્તવિક્તા ઉજાગર થતી હોય છે. ત્યારે મહેસાણાના ધનાલી ગામમાં આવેલી બાળમંદિરની મુલાકાત જમાવટની ટીમે લીધી ત્યારે જે દ્રશ્યો દેખાયા તે આપણને નિરાશ કરી દે તેવા છે. ગુજરાતની અનેક સરકારી શાળાઓ કદાચ આ હાલતમાં જ હશે તેવું તમે આ દ્રશ્યો જોઈને મનમાં કહેશો.. 


જર્જરિત બિલ્ડીંગમાં ભણવા બાળકો મજબૂર!

ગુજરાતની સરકારી શાળા કેવી પરિસ્થિતિમાં છે તેનો રિપોર્ટ અનેક વખત જમાવટ દ્વારા બતાવવામાં આવ્યો છે. શાળાની જર્જરિત થઈ ગયેલી બિલ્ડીંગ અનેક વખત જમાવટના કેમેરામાં કેદ થઈ છે. શિક્ષણ પાછળ ભલે સરકાર કરોડોનો ખર્ચ કરતી હોય પરંતુ કરોડો ખર્ચ કર્યા બાદ પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય છે. જર્જરિત થઈ ગયેલી બિલ્ડીંગમાં ભણવા ધનાલીમાં આવેલી જીવાબા બાલમંદિરના વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. 


કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચાય છે પરંતુ આ છે વાસ્તવિક્તા..

સરકારી શાળામાં અદ્યતન સુવિધાઓ મળે, શાળામાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે જાણીએ છીએ. થોડી સરકારી શાળાઓ સારી હશે પરંતુ મુખ્યત્વે એવી અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં પાયાની સુવિધાઓ નથી હોતી. બિલ્ડીંગ ગમે ત્યારે પડી જશે તે ચિંતા વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને રહેતી હોય છે. 


જીવન પર જોખમ હોવાને કારણે બહાર બેસવા બાળકો મજબૂર 

સરકારી શાળાની વાત  એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે મહેસાણાના ધનાલીમાં આવેલી જીવીબા બાલમંદિરની પરિસ્થિતિ અમે જોઈ છે. જમાવટની ટીમે ત્યાં જઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. એ શાળાની હાલત એવી છે જેને જોઈને આપણા મનમાં પ્રશ્ન થાય કે આ શાળા વિકાસશીલ મનાતા ગુજરાતની છે? ગુજરાતમાં થતા વિકાસના કાર્યોની વાતો વિશ્વભરમાં થતી હોય છે તે રાજ્યની શાળા આવી છે? પરંતુ આ નરી વાસ્તવિક્તા છે કે બાલમંદિરની બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ છે. બાળકને અંદર બેસાડવામાં આવે તો તેમના જીવન પર જોખમ રહે તે માટે આંગણવાડીના બાળકોને બહાર બેસાડવામાં આવ્યા છે. આંગણવાડીને લઈ અનેક વખત રજૂઆત કરી પરંતુ સરપંચ આ વાતને ગંભીરતાથી નથી લઈ રહ્યા. 


સારૂં શિક્ષણ મેળવવું દરેક વિદ્યાર્થીનો અધિકાર 

મહત્વનું છે કે જો પાયાનું શિક્ષણ જ બાળકોને સારૂં આપવામાં નહીં આવે તો તે પોતાના ભાવિનું ઘડતર કેવી રીતે કરી શકશે? શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતર પર મહત્વનો રોલ નિભાવે છે, એ શિક્ષા બાળક સાથે આજીવન રહે છે. શાળામાં અપાતા શિક્ષણની જરૂરિયાત સમજવી પડશે. આ તો માત્ર એક જ શાળાનીપરિસ્થિતિ બતાવી છે અનેક શાળાઓ એવી હશે જ્યાં આવી જ પરિસ્થિતિ હશે. અનેક અંતરિયાળ ગામોમાં આવી જ બિલ્ડીંગોમાં દેશનું ભાવિનું ઘડતર થતું હશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.