Veer Narmad South Gujarat Universityના વિદ્યાર્થીઓએ તમામ હદ વટાવી! એક્ઝામશીટમાં શિક્ષકો માટે લખી ગાળો! જાણો


  • Published By :
  • Published Date : 2023-12-02 17:05:17

કોલેજ લાઈફને અનેક લોકો બેસ્ટ લાઈફ માને છે. કોલેજના કિસ્સાઓ આજે પણ આપણા મનમાં હોય છે. આપણે અનેક વાર એવું સાંભળ્યું હશે  છે કે યાર અમને આ જવાબના આવડ્યો તો અમે તેના જવાબમાં ગીતો લખી આવ્યા, વાર્તા લખી આવ્યા પણ માણસના વિચારો બદલાયા છે. વિકૃતીની બધી હદ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વટાવી છે. પેપરમાં કામસૂત્રની વાર્તા, પ્રેમ કહાની લખી આવ્યા.  

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓન-ડિમાન્ડ પરીક્ષા પદ્ધતિનો  અમલ કરાશે | Veer Narmad South Gujarat University In Surat

વીર નર્મદ યુનિવર્સિટીથી સામે આવ્યો કિસ્સો!

એક સમય હતો જ્યારે બાળકો માતા પિતાના કહ્યામાં હતા, શિક્ષકોના કહ્યામાં હતા. પરીક્ષાને વિદ્યાર્થીઓ ગંભીરતાથી લેતા હતા. પરંતુ હવે સમય અને જમાનો બદલાયો છે. એવા અનેક વિદ્યાર્થીઓ હશે જે શિક્ષકનો આદર નહીં કરતા હોય. તેમના દ્વારા આપવામાં આવતી સલાહને ગંભીરતાથી નહીં લેતા હોય. પરીક્ષાને ગંભીરતાથી નહીં લેતા હોય. આ બધી વાતો એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વીર નર્મદ યુનિવર્સિટીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે વિકૃતિની તમામ હદો પાર કરી દીધી છે. અહીંયા ભણતા વિદ્યાર્થીઓએ પરીક્ષાના પેપરમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી છે.


ઉત્તરવહીમાં પ્રોફેસરો માટે લખી ગાળો

વીર નર્મદ યુનિવર્સિટીની બેચરલ ઓફ  કોમર્સ અને બેચલર ઓફ આર્ટ્સની મુખ્ય જાહેર પરીક્ષામાં ગયા મહિને યોજાઈ હતી. જેમાં છ વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબને બદલે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. છ વિદ્યાર્થીઓમાંથી એકે મહિલા પ્રોફેસરો તથા આચાર્યો માટે અપશબ્દો લખ્યા હતા. તો કેટલાકે ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની લખી હતી.  હવે આ વિચારીને પણ કેવું લાગે કે આ બધાએ વિકૃતિની બધી હેદ વટાવી અને પેપરમાં આવું બધું લખી આવ્યા. 


મામલો બહાર આવ્યો તે બાદ....

આવી વાર્તાઓ જવાબમાં લખવા સામાન્ય નથી. 6 વિદ્યાર્થીઓએ લખ્યું છે એટલે આ બધુ પહેલાથી પ્લાન જ હોય તેવું લાગે છે. વિદ્યાર્થીઓએ પ્રોફેસરને હેરાન કરવા આ લખ્યું હોય, પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે બધા હચમચી ગયા હતા. તમામ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા અને પછી એ બધાએ પોતાની ભૂલ કબુલી. એ લોકોને 0 માર્ક આપીને એમની જોડેથી 500 રૂપીયા દંડ લેવામાં આવ્યો. 


યુવાનોમાં વદી રહી છે વિકૃતિ!

આ ઘટના બાદ નર્મદ યુનિવર્સિટીએ નિયમો બદલવા પડ્યા. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને રૂ. 1,000ની પેનલ્ટી થશે. તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક રીતે સ્વસ્થ હોવાનું સર્ટિફીકેટ પણ રજૂ કરવું પડશે, તો જ આ વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. એટલે જે લોકો આ કરે છે એ તો ખરેખર માનસિક રીતે આસ્વસ્થ જ છે આવી ઘટનાઓ સામે આવે ત્યારે ખ્યાલ આવે કે યુવાનોના મગજમાં આજકાલ શું ચાલતું હોય છે. રામ જાણે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેંટમાં જણાવો!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.