Veer Narmad South Gujarat Universityના વિદ્યાર્થીઓએ તમામ હદ વટાવી! એક્ઝામશીટમાં શિક્ષકો માટે લખી ગાળો! જાણો


  • Published By :
  • Published Date : 2023-12-02 17:05:17

કોલેજ લાઈફને અનેક લોકો બેસ્ટ લાઈફ માને છે. કોલેજના કિસ્સાઓ આજે પણ આપણા મનમાં હોય છે. આપણે અનેક વાર એવું સાંભળ્યું હશે  છે કે યાર અમને આ જવાબના આવડ્યો તો અમે તેના જવાબમાં ગીતો લખી આવ્યા, વાર્તા લખી આવ્યા પણ માણસના વિચારો બદલાયા છે. વિકૃતીની બધી હદ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વટાવી છે. પેપરમાં કામસૂત્રની વાર્તા, પ્રેમ કહાની લખી આવ્યા.  

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓન-ડિમાન્ડ પરીક્ષા પદ્ધતિનો  અમલ કરાશે | Veer Narmad South Gujarat University In Surat

વીર નર્મદ યુનિવર્સિટીથી સામે આવ્યો કિસ્સો!

એક સમય હતો જ્યારે બાળકો માતા પિતાના કહ્યામાં હતા, શિક્ષકોના કહ્યામાં હતા. પરીક્ષાને વિદ્યાર્થીઓ ગંભીરતાથી લેતા હતા. પરંતુ હવે સમય અને જમાનો બદલાયો છે. એવા અનેક વિદ્યાર્થીઓ હશે જે શિક્ષકનો આદર નહીં કરતા હોય. તેમના દ્વારા આપવામાં આવતી સલાહને ગંભીરતાથી નહીં લેતા હોય. પરીક્ષાને ગંભીરતાથી નહીં લેતા હોય. આ બધી વાતો એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વીર નર્મદ યુનિવર્સિટીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે વિકૃતિની તમામ હદો પાર કરી દીધી છે. અહીંયા ભણતા વિદ્યાર્થીઓએ પરીક્ષાના પેપરમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી છે.


ઉત્તરવહીમાં પ્રોફેસરો માટે લખી ગાળો

વીર નર્મદ યુનિવર્સિટીની બેચરલ ઓફ  કોમર્સ અને બેચલર ઓફ આર્ટ્સની મુખ્ય જાહેર પરીક્ષામાં ગયા મહિને યોજાઈ હતી. જેમાં છ વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબને બદલે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. છ વિદ્યાર્થીઓમાંથી એકે મહિલા પ્રોફેસરો તથા આચાર્યો માટે અપશબ્દો લખ્યા હતા. તો કેટલાકે ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની લખી હતી.  હવે આ વિચારીને પણ કેવું લાગે કે આ બધાએ વિકૃતિની બધી હેદ વટાવી અને પેપરમાં આવું બધું લખી આવ્યા. 


મામલો બહાર આવ્યો તે બાદ....

આવી વાર્તાઓ જવાબમાં લખવા સામાન્ય નથી. 6 વિદ્યાર્થીઓએ લખ્યું છે એટલે આ બધુ પહેલાથી પ્લાન જ હોય તેવું લાગે છે. વિદ્યાર્થીઓએ પ્રોફેસરને હેરાન કરવા આ લખ્યું હોય, પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે બધા હચમચી ગયા હતા. તમામ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા અને પછી એ બધાએ પોતાની ભૂલ કબુલી. એ લોકોને 0 માર્ક આપીને એમની જોડેથી 500 રૂપીયા દંડ લેવામાં આવ્યો. 


યુવાનોમાં વદી રહી છે વિકૃતિ!

આ ઘટના બાદ નર્મદ યુનિવર્સિટીએ નિયમો બદલવા પડ્યા. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને રૂ. 1,000ની પેનલ્ટી થશે. તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક રીતે સ્વસ્થ હોવાનું સર્ટિફીકેટ પણ રજૂ કરવું પડશે, તો જ આ વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. એટલે જે લોકો આ કરે છે એ તો ખરેખર માનસિક રીતે આસ્વસ્થ જ છે આવી ઘટનાઓ સામે આવે ત્યારે ખ્યાલ આવે કે યુવાનોના મગજમાં આજકાલ શું ચાલતું હોય છે. રામ જાણે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેંટમાં જણાવો!



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.