ભણવા માટે વિદ્યાર્થીઓનો સંઘર્ષ, મહારાષ્ટ્રનો એક કિસ્સો જે તમને વિચારવા મજબૂર કરી દેશે...જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-15 11:16:51

જીવનમાં કંઈ પણ હાંસલ કરવું હોય તો જીવનમાં ધગસ હોવી ખૂબ જરૂરી છે. ઈચ્છાશક્તિ હોય તો માણસ કોઈ પણ મૂકામ હાંસલ કરી શકે. ગુજરાતમાં કથળી રહેલી શિક્ષણની પરિસ્થિતિની વાત તો ઘણી વકત કરી પરંતુ આજે વાત મહારાષ્ટ્રની કરવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભણવા માટે વિદ્યાર્થીઓ નાવડીમાં બેસી નદીના બીજા કિનારે પહોંચી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તે મહારાષ્ટ્રના ભંદારાના અવલી ગામનો છે. પોતાની શાળા સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓ જીવનું જોખમ ઉઠાવે છે. નદી પર પુલ બનાવવામાં આવે તેવી માગ અનેક વખત કરવામાં આવી છે પરંતુ માગનો સ્વીકાર નથી થયો જેને કારણે નાવડીમાં સવાર થઈ વિદ્યાર્થીઓ એક કિનારેથી બીજા કિનારે પહોંચી રહ્યા છે. 

ગામના વિદ્યાર્થીઓ નાવડીમાં બેસી પહોંચે છે શાળાએ  

જેની પાસે ઘણું બધું હોતું હોય છે તેની પાસે જે નથી તે જ દેખાતું હોય છે. પરંતુ એવા બીજા અનેક લોકો હોય છે જેમની પાસે બહું ઓછું હોય છે તો પણ તે ખુશ હોય છે. જેની પાસે બધું હોય છે તે લોકોને ઘણી વખત નાની નાની વાતોમાં ફરિયાદ કરતા જોયા છે. તો બીજી તરફ એવા લોકો પણ હોય છે જેમની પાસે સુવિધાઓ ઓછી હોય છે પરંતુ તેમની પાસે છે જે હોય છે તેમાં તે ખુશ હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ નાવડીમાં બેસી પોતાની શાળાએ પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના ભંદારાના અવલી ગામના વિદ્યાર્થીઓ શાળા પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચુલબંદ નદીને પાર કરી વિદ્યાર્થીઓ ભણવા માટે જઈ રહ્યા છે. 

પુલ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને થઈ જાય સરળતા   

વિદ્યાર્થીઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ડર તો લાગે છે પણ ભણવા માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકે છે. તેમના ગામડામાં ચોથા ધોરણ સુધીની જ શાળા છે પરંતુ જો તેમને આગળ અભ્યાસ કરવો હોય તો બાજુના ગામમાં જવું પડે છે. બીજા ગામમાં પહોંચવા માટે નાવનો ઉપયોગ કરવો પડે છે. નાવડી જ્યારે ચાલે છે ત્યારે ડર તો લાગે છે પણ સારા ભણતર માટે આવો સંઘર્ષ કરવો પડે છે. નદી પર પુલ બનાવવામાં આવે તેની જરૂરત છે. નદી પર જો પુલનું નિર્માણ થાય તો જીવના જોખમે ભણવા માટે બીજા ગામમાં ન જવું પડે.        



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.