ભણવા માટે વિદ્યાર્થીઓનો સંઘર્ષ, મહારાષ્ટ્રનો એક કિસ્સો જે તમને વિચારવા મજબૂર કરી દેશે...જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-15 11:16:51

જીવનમાં કંઈ પણ હાંસલ કરવું હોય તો જીવનમાં ધગસ હોવી ખૂબ જરૂરી છે. ઈચ્છાશક્તિ હોય તો માણસ કોઈ પણ મૂકામ હાંસલ કરી શકે. ગુજરાતમાં કથળી રહેલી શિક્ષણની પરિસ્થિતિની વાત તો ઘણી વકત કરી પરંતુ આજે વાત મહારાષ્ટ્રની કરવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભણવા માટે વિદ્યાર્થીઓ નાવડીમાં બેસી નદીના બીજા કિનારે પહોંચી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તે મહારાષ્ટ્રના ભંદારાના અવલી ગામનો છે. પોતાની શાળા સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓ જીવનું જોખમ ઉઠાવે છે. નદી પર પુલ બનાવવામાં આવે તેવી માગ અનેક વખત કરવામાં આવી છે પરંતુ માગનો સ્વીકાર નથી થયો જેને કારણે નાવડીમાં સવાર થઈ વિદ્યાર્થીઓ એક કિનારેથી બીજા કિનારે પહોંચી રહ્યા છે. 

ગામના વિદ્યાર્થીઓ નાવડીમાં બેસી પહોંચે છે શાળાએ  

જેની પાસે ઘણું બધું હોતું હોય છે તેની પાસે જે નથી તે જ દેખાતું હોય છે. પરંતુ એવા બીજા અનેક લોકો હોય છે જેમની પાસે બહું ઓછું હોય છે તો પણ તે ખુશ હોય છે. જેની પાસે બધું હોય છે તે લોકોને ઘણી વખત નાની નાની વાતોમાં ફરિયાદ કરતા જોયા છે. તો બીજી તરફ એવા લોકો પણ હોય છે જેમની પાસે સુવિધાઓ ઓછી હોય છે પરંતુ તેમની પાસે છે જે હોય છે તેમાં તે ખુશ હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ નાવડીમાં બેસી પોતાની શાળાએ પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના ભંદારાના અવલી ગામના વિદ્યાર્થીઓ શાળા પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચુલબંદ નદીને પાર કરી વિદ્યાર્થીઓ ભણવા માટે જઈ રહ્યા છે. 

પુલ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને થઈ જાય સરળતા   

વિદ્યાર્થીઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ડર તો લાગે છે પણ ભણવા માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકે છે. તેમના ગામડામાં ચોથા ધોરણ સુધીની જ શાળા છે પરંતુ જો તેમને આગળ અભ્યાસ કરવો હોય તો બાજુના ગામમાં જવું પડે છે. બીજા ગામમાં પહોંચવા માટે નાવનો ઉપયોગ કરવો પડે છે. નાવડી જ્યારે ચાલે છે ત્યારે ડર તો લાગે છે પણ સારા ભણતર માટે આવો સંઘર્ષ કરવો પડે છે. નદી પર પુલ બનાવવામાં આવે તેની જરૂરત છે. નદી પર જો પુલનું નિર્માણ થાય તો જીવના જોખમે ભણવા માટે બીજા ગામમાં ન જવું પડે.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.