સુરતમાં ઈકો કાર ઝાડ સાથે અથડાતા 3 વિદ્યાર્થીઓના મોત, કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-07-24 21:51:41

સુરત જિલ્લાના ઇસનપુર ગામ નજીક કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી ભરેલી ઇકો કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 3 વિદ્યાર્થીના મોત થયા છે. સુરતની માલિબા કોલેજથી માંડવી જતી વખતે ખરવસા ઇસનપુર માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા આજુબાજુમાં રહેલા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને 108ની ટીમ ને જાણ કરી હતી. 


ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડાયા


સુરતના ઇસનપુર ગામની હદમાં આ અકસ્માત સર્જાયો હતો, દુર્ઘટનના સમાચાર મળતા જ પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત 5 વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરધાણ વળી ગયો હતો. ઈકો કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાન ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 5 જેટલા વિદ્યાર્થીઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જયારે બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા


3 વિદ્યાર્થીના મોત, 5 ઘાયલ 


આ ગમખ્વાર અકસ્માતમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે, તેમાં પારસ શાહ (રહે નવાપરા, માંડવી), જય અમરચંદ શાહ (કામરેજ) અને કીર્તન કુમાર ભાવસાર (મહુવા) ના મૃત્યુ થયા છે. જ્યારે પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. તનસિક પારેખ, મનશ્વી મેરૂલીયા, સુમિત માધવાણી, હેત્વી પારેખ નામના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે દુર્ઘટના મામલે તપાસ હાથ ધરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.