ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર માત્ર 5 હજારની લાંચ લેતા ઝડપાયા, ACBની ટ્રેપમાં ફસાઈ ગયા જીગીશાબેન


  • Published By :
  • Published Date : 2023-06-19 22:40:32

રાજ્યમાં સરકારી કર્મચારીઓ બેફામ બનીને ગરીબ જનતાને લૂંટતા જોવા મળે છે. આ લાંચિયા અધિકારીઓ સામે સરકાર પણ કડક કાર્યવાહી કરી રહી છે. એસીબીના અધિકારીઓ છટકું ગોઠવીને આવા લાંચિયા કર્મચારીઓને પકડી પણ પાડે છે. જો કે તેમ છતાં પણ વહીવટીતંત્રમાં રહેલો ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. છાંકટા બનેલા આવા લાંચિયા કર્મચારીઓને એસીબી કે વિજીલન્સ ખાતાનો પણ જાણે કોઈ ભય નથી રહ્યો. આજે આણંદ એસીબીની ટીમ તથા અમદાવાદ એસીબીના અધિકારીએ સંયુક્તપણે છટકું ગોઠવીને લાંચિયા મહિલા કર્મચારીને પકડી પાડ્યા છે. મામલતદાર કક્ષાના આ લાંચીયા અધિકારી માત્ર 5 હજાર લેતા ઝડપાઈ જતાં જિલ્લા વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે.


5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા


ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા અને ગાંધીનગર ખાતે રહેતા સબ રજીસ્ટ્રાર જીગીશાબેન સામે ફરિયાદ મળી હતી. ત્યાર બાદ આજે આણંદ એસીબીની ટીમ તથા અમદાવાદ એસીબીના અધિકારી દ્વારા મળેલી ફરિયાદને આધારે મહેમદાવાદ મામલતદાર કચેરીમાં છટકુ ગોઠવી સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એક મહિલા અધિકારીને 5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.  મામલતદાર કક્ષાના આ અધિકારી માત્ર 5 હજાર પકડાઈ ગયા હતા. 


શું હતો સમગ્ર મામલો?


ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર જીગીશાબેન સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસેથી રૂપિયા 1 હજારથી લઈને રૂપિયા 5 હજાર સુધીની લાંચની માંગણી કરતા હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી. અને પોતાનું કામ પતાવવા માટે અરજદારોને નાછૂટકે પૈસાનો વ્યવહાર કરવો પડતો હતો. જે માહિતી એસીબીને મળતા આણંદ એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. અરજદારો વતી મોટેભાગે વકીલો દસ્તાવેજની નોંધણી કરાવતા હોય છે, એટલે એસીબીએ એક વકીલને તૈયાર કર્યો. અસીલે વકીલને કબજા વગરના બાના ખત કરાવવા માટેનું કામ સોપ્યું હતું. જે કામ લઈને વકીલ અરજદાર સાથે સબ રજીસ્ટાર કચેરીમાં ગયા હતા અને અસીલનું કબ્જા વગરના રજીસ્ટર બાના ખાત નોંધણી કરવા આપ્યું હતું. તે વખતે સબ રજીસ્ટારે આ બાનાખત નોંધણી કરવાતા અસલ સ્કેન કરેલા ડોકયુમેન્ટ પરત આપવા રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરી હતી. જે વકીલે રૂપિયા 5 હજાર સબ રજીસ્ટ્રાર જીગીશાબેનને આપ્યા હતા. તે વખતે એસીબીએ રંગે હાથ રૂપિયા 5 હજાર સ્વીકારતા જીગીશાબેનને પકડી લીધા. આણંદ એસીબીએ આ લાચીયા મહિલા અધિકારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે એસીબીના આ છટકા બાદ સબ રજીસ્ટર કચેરીના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.