RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવનો સરકારને સવાલ, વિકાસ તો ઠીક છે પણ નોકરીઓ ક્યાંથી આવશે?


  • Published By :
  • Published Date : 2023-02-23 21:21:38

RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે કેન્દ્રીય બજેટને લઈ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે બજેટને નિશાન બનાવી તેની આકરી  ટીકા કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ બજેટ બેરોજગારીની સમસ્યાને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યું છે. સરકારે અતિ આશાવાદમાં માની લીધુ છે કે ગ્રોથથી પોતાની રીતે જ રોજગારની તકો પેદા થઈ જશે. સુબ્બારાવે કહ્યું કે કોવિડના કારણે પહેલાથી જ બેરોજગારીની સ્થિતી ખરાબ હતી અને હવે તે વધુ ચિંતાનજક બની છે.  


બેકારીની સમસ્યા હલ કરવામાં બજેટ નિષ્ફળ


RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ બજેટની જોગવાઈઓને બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે અપુરતી ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં દર મહિને 10 લાખ લોકો લેબર ફોર્સમાં જોડાય છે, અને તેનાથી અડધી પણ નોકરીઓનું સર્જન થતું નથી,એટલે કે અડધાથી પણ વધુ યુવાનો બેકાર રહી જાય છે આ સમસ્યા દરરોજ વિકટ બનતી જાય છે. નિરાશા સાથે તેમણે કહ્યું કે હું બજેટથી નિરાશ એટલા માટે શું કારણ કે બજેટમાં નવી નોકરીઓના સર્જન અંગે પુરતો ભાર આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે બેરોજગારી જેવી મોટી અને જટીલ સમસ્યાનું કોઈ માત્ર એક જ સરળ સમાધાન નથી.


માત્ર ગ્રોથથી કામ નહીં  ચાલે


સરકારે બજેટમાં દેશના વિકાસ પર ફોકસ કર્યું છે, જો કે ડી સુબ્બારાવના જણાવ્યા પ્રમાણે માત્ર ગ્રોથથી કામ નહીં ચાલે. રોજગાર વગરના વિકાસનો કોઈ મતલબ નથી, આપણે રોજગાર આધારીત ગ્રોથની જરૂર છે. બજેટમાં માત્ર એ ભરોસો રાખવામાં આવ્યો છે કે ગ્રોથની સાથે રોજગારીની તકો પણ ઉભી થશે. ભારત તેના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ફાયદો ત્યારે જ ઉઠાવી શકશે જ્યારે આપણે વધતી શ્રમ શક્તિ માટે ઉત્પાદકો રોજગાર શોધવા માટે સક્ષમ બનશે. આ બજેટમાં ગ્રોથ પર જ ભાર આપવામાં આવ્યો છે. 



જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...

દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!