RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવનો સરકારને સવાલ, વિકાસ તો ઠીક છે પણ નોકરીઓ ક્યાંથી આવશે?


  • Published By :
  • Published Date : 2023-02-23 21:21:38

RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે કેન્દ્રીય બજેટને લઈ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે બજેટને નિશાન બનાવી તેની આકરી  ટીકા કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ બજેટ બેરોજગારીની સમસ્યાને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યું છે. સરકારે અતિ આશાવાદમાં માની લીધુ છે કે ગ્રોથથી પોતાની રીતે જ રોજગારની તકો પેદા થઈ જશે. સુબ્બારાવે કહ્યું કે કોવિડના કારણે પહેલાથી જ બેરોજગારીની સ્થિતી ખરાબ હતી અને હવે તે વધુ ચિંતાનજક બની છે.  


બેકારીની સમસ્યા હલ કરવામાં બજેટ નિષ્ફળ


RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ બજેટની જોગવાઈઓને બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે અપુરતી ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં દર મહિને 10 લાખ લોકો લેબર ફોર્સમાં જોડાય છે, અને તેનાથી અડધી પણ નોકરીઓનું સર્જન થતું નથી,એટલે કે અડધાથી પણ વધુ યુવાનો બેકાર રહી જાય છે આ સમસ્યા દરરોજ વિકટ બનતી જાય છે. નિરાશા સાથે તેમણે કહ્યું કે હું બજેટથી નિરાશ એટલા માટે શું કારણ કે બજેટમાં નવી નોકરીઓના સર્જન અંગે પુરતો ભાર આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે બેરોજગારી જેવી મોટી અને જટીલ સમસ્યાનું કોઈ માત્ર એક જ સરળ સમાધાન નથી.


માત્ર ગ્રોથથી કામ નહીં  ચાલે


સરકારે બજેટમાં દેશના વિકાસ પર ફોકસ કર્યું છે, જો કે ડી સુબ્બારાવના જણાવ્યા પ્રમાણે માત્ર ગ્રોથથી કામ નહીં ચાલે. રોજગાર વગરના વિકાસનો કોઈ મતલબ નથી, આપણે રોજગાર આધારીત ગ્રોથની જરૂર છે. બજેટમાં માત્ર એ ભરોસો રાખવામાં આવ્યો છે કે ગ્રોથની સાથે રોજગારીની તકો પણ ઉભી થશે. ભારત તેના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ફાયદો ત્યારે જ ઉઠાવી શકશે જ્યારે આપણે વધતી શ્રમ શક્તિ માટે ઉત્પાદકો રોજગાર શોધવા માટે સક્ષમ બનશે. આ બજેટમાં ગ્રોથ પર જ ભાર આપવામાં આવ્યો છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.