RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવનો સરકારને સવાલ, વિકાસ તો ઠીક છે પણ નોકરીઓ ક્યાંથી આવશે?


  • Published By :
  • Published Date : 2023-02-23 21:21:38

RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે કેન્દ્રીય બજેટને લઈ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે બજેટને નિશાન બનાવી તેની આકરી  ટીકા કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ બજેટ બેરોજગારીની સમસ્યાને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યું છે. સરકારે અતિ આશાવાદમાં માની લીધુ છે કે ગ્રોથથી પોતાની રીતે જ રોજગારની તકો પેદા થઈ જશે. સુબ્બારાવે કહ્યું કે કોવિડના કારણે પહેલાથી જ બેરોજગારીની સ્થિતી ખરાબ હતી અને હવે તે વધુ ચિંતાનજક બની છે.  


બેકારીની સમસ્યા હલ કરવામાં બજેટ નિષ્ફળ


RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ બજેટની જોગવાઈઓને બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે અપુરતી ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં દર મહિને 10 લાખ લોકો લેબર ફોર્સમાં જોડાય છે, અને તેનાથી અડધી પણ નોકરીઓનું સર્જન થતું નથી,એટલે કે અડધાથી પણ વધુ યુવાનો બેકાર રહી જાય છે આ સમસ્યા દરરોજ વિકટ બનતી જાય છે. નિરાશા સાથે તેમણે કહ્યું કે હું બજેટથી નિરાશ એટલા માટે શું કારણ કે બજેટમાં નવી નોકરીઓના સર્જન અંગે પુરતો ભાર આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે બેરોજગારી જેવી મોટી અને જટીલ સમસ્યાનું કોઈ માત્ર એક જ સરળ સમાધાન નથી.


માત્ર ગ્રોથથી કામ નહીં  ચાલે


સરકારે બજેટમાં દેશના વિકાસ પર ફોકસ કર્યું છે, જો કે ડી સુબ્બારાવના જણાવ્યા પ્રમાણે માત્ર ગ્રોથથી કામ નહીં ચાલે. રોજગાર વગરના વિકાસનો કોઈ મતલબ નથી, આપણે રોજગાર આધારીત ગ્રોથની જરૂર છે. બજેટમાં માત્ર એ ભરોસો રાખવામાં આવ્યો છે કે ગ્રોથની સાથે રોજગારીની તકો પણ ઉભી થશે. ભારત તેના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ફાયદો ત્યારે જ ઉઠાવી શકશે જ્યારે આપણે વધતી શ્રમ શક્તિ માટે ઉત્પાદકો રોજગાર શોધવા માટે સક્ષમ બનશે. આ બજેટમાં ગ્રોથ પર જ ભાર આપવામાં આવ્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.