નિર્મલા સીતારમનને અર્થંતંત્રમાં કંઈ પણ ખબર પડતી નથી: સુબ્રમણ્યમ સ્વામી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 16:06:32


ભાજપના નેતા, રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને અગ્રણી અર્થશસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ નાણામંત્રી નિર્મલા સીતારામનને નિશાન બનાવતા આકરૂ નિવેદન કર્યું છે. અમેરિકાની મુલાકાતે પહોંચેલા નાણામંત્રી નિર્મલા સીતારમને એક નિવેદન આપતા કહ્યું હતું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે. સીતારમનના આ નિવેદને ભારતમાં ખાસ્સો વિવાદ સર્જ્યો હતો, આ નિવેદન બાદ અનેક નિષ્ણાત અર્થશાસ્ત્રીઓએ સીતારમનની ઝાટકણી કાઢી છે.


શું કહ્યું સુબ્રમણ્યમ સ્વામીએ?


સુબ્રમણ્યમ સ્વામીએ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે નિવેદન આપતાં કહ્યું કે, દુનિયાભરમાં આપણા નાણામંત્રીને મૂર્ખ માનવામાં આવે છે. ડોલર સાથે રૂપિયો કેમ મજબૂત ના થયો ? નિર્મલા સીતારમનને ઇકોનોમીમાં કંઈ પણ ખબર નથી પડતી. સારી અર્થ વ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો પડે. ફિક્સ ડિપોઝિટના દરમાં વધારો કરવો જરૂરી. ઊંચા વ્યાજદરના કારણે નાના ઉદ્યોગોને સમસ્યા થાય છે. સ્વામીએ વધુમાં કહ્યું કે ભારતે જો 5 ટ્રીલિયનનું અર્થતંત્ર બનવું હોય તો સતત 15 ટકા ગ્રોથ રેટ જરૂરી છે, અત્યારે તે ગ્રોથ રેટ માત્ર 5 ટકા જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકો ખોટી સલાહ આપી રહ્યા છે.  સારી અર્થવ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો જરૂરી છે. 


નિર્મલા સીતારમને અમેરિકામાં શું બફાટ કર્યો હતો?


ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમન આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે રવિવારે (16 ઓક્ટોબર) વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ પર તેમણે કહ્યું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, આપણે તેને એ રીતે જોવું જોઈએ કે ડોલર મજબૂત થઈ રહ્યો છે, પરંતુ જો આપણે અન્ય બજારની કરન્સી પર નજર કરીએ તો, રૂપિયો ડોલરની સરખામણીમાં ઘણો સારો દેખાવ કરી રહ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.