નિર્મલા સીતારમનને અર્થંતંત્રમાં કંઈ પણ ખબર પડતી નથી: સુબ્રમણ્યમ સ્વામી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 16:06:32


ભાજપના નેતા, રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને અગ્રણી અર્થશસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ નાણામંત્રી નિર્મલા સીતારામનને નિશાન બનાવતા આકરૂ નિવેદન કર્યું છે. અમેરિકાની મુલાકાતે પહોંચેલા નાણામંત્રી નિર્મલા સીતારમને એક નિવેદન આપતા કહ્યું હતું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે. સીતારમનના આ નિવેદને ભારતમાં ખાસ્સો વિવાદ સર્જ્યો હતો, આ નિવેદન બાદ અનેક નિષ્ણાત અર્થશાસ્ત્રીઓએ સીતારમનની ઝાટકણી કાઢી છે.


શું કહ્યું સુબ્રમણ્યમ સ્વામીએ?


સુબ્રમણ્યમ સ્વામીએ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે નિવેદન આપતાં કહ્યું કે, દુનિયાભરમાં આપણા નાણામંત્રીને મૂર્ખ માનવામાં આવે છે. ડોલર સાથે રૂપિયો કેમ મજબૂત ના થયો ? નિર્મલા સીતારમનને ઇકોનોમીમાં કંઈ પણ ખબર નથી પડતી. સારી અર્થ વ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો પડે. ફિક્સ ડિપોઝિટના દરમાં વધારો કરવો જરૂરી. ઊંચા વ્યાજદરના કારણે નાના ઉદ્યોગોને સમસ્યા થાય છે. સ્વામીએ વધુમાં કહ્યું કે ભારતે જો 5 ટ્રીલિયનનું અર્થતંત્ર બનવું હોય તો સતત 15 ટકા ગ્રોથ રેટ જરૂરી છે, અત્યારે તે ગ્રોથ રેટ માત્ર 5 ટકા જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકો ખોટી સલાહ આપી રહ્યા છે.  સારી અર્થવ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો જરૂરી છે. 


નિર્મલા સીતારમને અમેરિકામાં શું બફાટ કર્યો હતો?


ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમન આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે રવિવારે (16 ઓક્ટોબર) વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ પર તેમણે કહ્યું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, આપણે તેને એ રીતે જોવું જોઈએ કે ડોલર મજબૂત થઈ રહ્યો છે, પરંતુ જો આપણે અન્ય બજારની કરન્સી પર નજર કરીએ તો, રૂપિયો ડોલરની સરખામણીમાં ઘણો સારો દેખાવ કરી રહ્યો છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .