નિર્મલા સીતારમનને અર્થંતંત્રમાં કંઈ પણ ખબર પડતી નથી: સુબ્રમણ્યમ સ્વામી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 16:06:32


ભાજપના નેતા, રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને અગ્રણી અર્થશસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ નાણામંત્રી નિર્મલા સીતારામનને નિશાન બનાવતા આકરૂ નિવેદન કર્યું છે. અમેરિકાની મુલાકાતે પહોંચેલા નાણામંત્રી નિર્મલા સીતારમને એક નિવેદન આપતા કહ્યું હતું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે. સીતારમનના આ નિવેદને ભારતમાં ખાસ્સો વિવાદ સર્જ્યો હતો, આ નિવેદન બાદ અનેક નિષ્ણાત અર્થશાસ્ત્રીઓએ સીતારમનની ઝાટકણી કાઢી છે.


શું કહ્યું સુબ્રમણ્યમ સ્વામીએ?


સુબ્રમણ્યમ સ્વામીએ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે નિવેદન આપતાં કહ્યું કે, દુનિયાભરમાં આપણા નાણામંત્રીને મૂર્ખ માનવામાં આવે છે. ડોલર સાથે રૂપિયો કેમ મજબૂત ના થયો ? નિર્મલા સીતારમનને ઇકોનોમીમાં કંઈ પણ ખબર નથી પડતી. સારી અર્થ વ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો પડે. ફિક્સ ડિપોઝિટના દરમાં વધારો કરવો જરૂરી. ઊંચા વ્યાજદરના કારણે નાના ઉદ્યોગોને સમસ્યા થાય છે. સ્વામીએ વધુમાં કહ્યું કે ભારતે જો 5 ટ્રીલિયનનું અર્થતંત્ર બનવું હોય તો સતત 15 ટકા ગ્રોથ રેટ જરૂરી છે, અત્યારે તે ગ્રોથ રેટ માત્ર 5 ટકા જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકો ખોટી સલાહ આપી રહ્યા છે.  સારી અર્થવ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો જરૂરી છે. 


નિર્મલા સીતારમને અમેરિકામાં શું બફાટ કર્યો હતો?


ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમન આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે રવિવારે (16 ઓક્ટોબર) વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ પર તેમણે કહ્યું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, આપણે તેને એ રીતે જોવું જોઈએ કે ડોલર મજબૂત થઈ રહ્યો છે, પરંતુ જો આપણે અન્ય બજારની કરન્સી પર નજર કરીએ તો, રૂપિયો ડોલરની સરખામણીમાં ઘણો સારો દેખાવ કરી રહ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.