ક્ષત્રિય આંદોલનમાં આવી મોટી અપડેટ! આંદોલન વચ્ચે રાજ્યના 45 રાજવીઓનું PM મોદીને સમર્થન! સાંભળો શું કહેવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં?


  • Published By :
  • Published Date : 2024-05-02 16:00:06

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં, ભાજપના ક્ષત્રિય સમાજ દેખાયો હતો.. અનેક એવા દ્રશ્યો રાજ્યના વિવિધ જગ્યાઓથી સામે આવ્યા જેમાં ભાજપને વોટ ના આપવા માટે શપથ લેવડાવ્યા હોય.. એવું માનવામાં આવતું હતું કે પીએમ મોદીના ગુજરાતમાં આવતા જ સમીકરણો બદલાઈ જશે.. અને આ વાત થોડા અંશે સાચી પણ પડી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતના 45 જેટલા રાજવીએઓ ભાજપ અને નરેન્દ્ર મોદીને આ મુદ્દે ખુલ્લુ સમર્થન આપ્યુ છે.  

પરષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યો નવો વળાંક 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ તેમના દ્વારા કરાયો, ધીરે ધીરે ભાજપનો વિરોધ થયો, ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો.. એક સમય એવો આવ્યો જ્યારે લાગતું હતું કે ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા માગે છે.. પરંતુ ધીરે ધીરે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા એવું લાગ્યું.. અલગ અલગ લોકોના અલગ અલગ નિવેદનો પણ સામે આવ્યા..! આ બધા વચ્ચે આજે આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે.. 


રાજવી પરિવારે ભાજપને સમર્થન જાહેર કર્યું? 

પરષોત્તમ રૂપાલાના નિવેદન પર અનેક રાજવી પરિવારોની પ્રતિક્રિયા સામે આવી હતી.. આ બધા વચ્ચે હવે ગુજરાતના 45 જેટલા રાજવીઓએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું છે.. રાજકોટમાં રાજવી પરિવારો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સાં અલગ અલગ સ્ટેટના રાજવીઓ હાજર હતા અને તેમણે પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું છે.. રાજકોટ ખાતે કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજવી માંધાતાસિંહ જાડેજા, જસદણના રાજવી, ચોટીલા સ્ટેટના રાજવી સહિતના અનેક ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત હતા. મહત્વનું છે કે ગઈકાલથી પીએમ મોદી ગુજરાતમાં છે... રાજકોટનાં રાજવી માંધાતાસિંહ જાડેજાએ કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે