ક્ષત્રિય આંદોલનમાં આવી મોટી અપડેટ! આંદોલન વચ્ચે રાજ્યના 45 રાજવીઓનું PM મોદીને સમર્થન! સાંભળો શું કહેવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં?


  • Published By :
  • Published Date : 2024-05-02 16:00:06

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં, ભાજપના ક્ષત્રિય સમાજ દેખાયો હતો.. અનેક એવા દ્રશ્યો રાજ્યના વિવિધ જગ્યાઓથી સામે આવ્યા જેમાં ભાજપને વોટ ના આપવા માટે શપથ લેવડાવ્યા હોય.. એવું માનવામાં આવતું હતું કે પીએમ મોદીના ગુજરાતમાં આવતા જ સમીકરણો બદલાઈ જશે.. અને આ વાત થોડા અંશે સાચી પણ પડી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતના 45 જેટલા રાજવીએઓ ભાજપ અને નરેન્દ્ર મોદીને આ મુદ્દે ખુલ્લુ સમર્થન આપ્યુ છે.  

પરષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યો નવો વળાંક 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ તેમના દ્વારા કરાયો, ધીરે ધીરે ભાજપનો વિરોધ થયો, ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો.. એક સમય એવો આવ્યો જ્યારે લાગતું હતું કે ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા માગે છે.. પરંતુ ધીરે ધીરે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા એવું લાગ્યું.. અલગ અલગ લોકોના અલગ અલગ નિવેદનો પણ સામે આવ્યા..! આ બધા વચ્ચે આજે આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે.. 


રાજવી પરિવારે ભાજપને સમર્થન જાહેર કર્યું? 

પરષોત્તમ રૂપાલાના નિવેદન પર અનેક રાજવી પરિવારોની પ્રતિક્રિયા સામે આવી હતી.. આ બધા વચ્ચે હવે ગુજરાતના 45 જેટલા રાજવીઓએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું છે.. રાજકોટમાં રાજવી પરિવારો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સાં અલગ અલગ સ્ટેટના રાજવીઓ હાજર હતા અને તેમણે પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું છે.. રાજકોટ ખાતે કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજવી માંધાતાસિંહ જાડેજા, જસદણના રાજવી, ચોટીલા સ્ટેટના રાજવી સહિતના અનેક ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત હતા. મહત્વનું છે કે ગઈકાલથી પીએમ મોદી ગુજરાતમાં છે... રાજકોટનાં રાજવી માંધાતાસિંહ જાડેજાએ કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.