Arvalliના Modasaમાં નકલી કચેરી મામલે આવી મોટી અપડેટ, નકલી કચેરી હોવાની વાતનું કલેક્ટરે કર્યું ખંડન, સાંભળો આ મામલે શું કહ્યું કલેક્ટરે?


  • Published By :
  • Published Date : 2024-05-23 18:31:39

અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હતી.... આવી એક શંકા સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો હતો... મોડાસાની આ નકલી સિંચાઈ વિભાગની કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા.. તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ પણ મળી આવ્યા હતા... . ત્યારે બાયડના MLA ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા.... મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મોડાસાના તિરૂપતિ રાજ બંગલોમાં ધમધમાટ શરુ થયો હતો... હવે એક મોટો ખુલાસો આ કચેરી કેસમાં થયો છે... અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે કહ્યું કે નકલી કચેરી હોવાની બાબતનું અમે ખંડન કરીએ છીએ... એટલે આ કચેરી નકલી હોવાની વાત કલેક્ટરે નકારી છે.... સાથે એવું પણ કહ્યું કે, નિવૃત અધિકારી મેઝરમેન્ટ બિલ ટ્રેઈનિંગ માટે રાખી શકે છે.. હા સિક્કાઓ મળ્યા તે તપાસનો વિષય છે... 

નકલી કચેરીને લઈ કલેક્ટરે આપી પ્રતિક્રિયા

ગઈકાલે કથિત નકલી કચેરી હોવાનું સામે આવ્યા પછી આજે સવારે એક સમાચાર એ પણ મળ્યા હતા કે,  નકલી કચેરીમાં ભાજપ નેતાના વેવાઈની સંડોવણીનો હોવાનો ખુલાસો થયો છે. અરવલ્લીની નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈની સંડોવણી હોવાની માહિતી સામે આવી હતી... કેમ કે નિવૃત અધિકારી પીએ ડામોર ભીખાજીના વેવાઈ થાય છે.... અને જે જગ્યાએ રેડ પાડવામાં આવી ત્યાં ભીખાજીના વેવાઈ રહેતા હતા.. સિંચાઈ વિભાગમાં તેમનું બહુ મોટુ નામ છે અને એવુ કહેવાય છે કે એમની નિવૃતિ પછી પણ સિંચાઈના કામો માટે સરકાર તેમનું માર્ગદર્શન લે છે.... જો કે સિક્કા ત્યાંથી મળ્યા એ તપાસનો વિષય છે.... એટલે હાલ તો તપાસ ચાલી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે નવા શું અપડેટ સામે આવે છે? 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.