Arvalliના Modasaમાં નકલી કચેરી મામલે આવી મોટી અપડેટ, નકલી કચેરી હોવાની વાતનું કલેક્ટરે કર્યું ખંડન, સાંભળો આ મામલે શું કહ્યું કલેક્ટરે?


  • Published By :
  • Published Date : 2024-05-23 18:31:39

અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હતી.... આવી એક શંકા સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો હતો... મોડાસાની આ નકલી સિંચાઈ વિભાગની કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા.. તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ પણ મળી આવ્યા હતા... . ત્યારે બાયડના MLA ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા.... મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મોડાસાના તિરૂપતિ રાજ બંગલોમાં ધમધમાટ શરુ થયો હતો... હવે એક મોટો ખુલાસો આ કચેરી કેસમાં થયો છે... અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે કહ્યું કે નકલી કચેરી હોવાની બાબતનું અમે ખંડન કરીએ છીએ... એટલે આ કચેરી નકલી હોવાની વાત કલેક્ટરે નકારી છે.... સાથે એવું પણ કહ્યું કે, નિવૃત અધિકારી મેઝરમેન્ટ બિલ ટ્રેઈનિંગ માટે રાખી શકે છે.. હા સિક્કાઓ મળ્યા તે તપાસનો વિષય છે... 

નકલી કચેરીને લઈ કલેક્ટરે આપી પ્રતિક્રિયા

ગઈકાલે કથિત નકલી કચેરી હોવાનું સામે આવ્યા પછી આજે સવારે એક સમાચાર એ પણ મળ્યા હતા કે,  નકલી કચેરીમાં ભાજપ નેતાના વેવાઈની સંડોવણીનો હોવાનો ખુલાસો થયો છે. અરવલ્લીની નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈની સંડોવણી હોવાની માહિતી સામે આવી હતી... કેમ કે નિવૃત અધિકારી પીએ ડામોર ભીખાજીના વેવાઈ થાય છે.... અને જે જગ્યાએ રેડ પાડવામાં આવી ત્યાં ભીખાજીના વેવાઈ રહેતા હતા.. સિંચાઈ વિભાગમાં તેમનું બહુ મોટુ નામ છે અને એવુ કહેવાય છે કે એમની નિવૃતિ પછી પણ સિંચાઈના કામો માટે સરકાર તેમનું માર્ગદર્શન લે છે.... જો કે સિક્કા ત્યાંથી મળ્યા એ તપાસનો વિષય છે.... એટલે હાલ તો તપાસ ચાલી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે નવા શું અપડેટ સામે આવે છે? 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે