Kerala Blast મામલે આવી મોટી અપડેટ, આ માણસે સ્વીકારી હુમલાની જવાબદારી! જાણો પોલીસ સ્ટેશનમાં કોણે કર્યું આત્મસમર્પણ?


  • Published By :
  • Published Date : 2023-10-29 19:12:36

રવિવાર સવારે કેરળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક કન્વેન્શન સેન્ટરમાં અચાનક સવારે 9.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. તપાસ એજન્સી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી છે. એનઆઈએની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેનું કારણ શોધાઈ રહ્યું છે. એક તરફ આ મામલે તપાસ ચાલી રહી હતી તો બીજી તરફ એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં ડોમેનિક માર્ટિન નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં કહ્યું કે આ ધડાકો મેં જ કર્યો છે. ધમાકા બાદ અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ મામલે તપાસ કરવા કરાઈ એસઆઈટીની રચના 

કેરળના અર્નાકુલમાં રવિવાર સવારે એક કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં અનેક લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. એવી માહિતી સામે આવી હતી કે એક નહીં પરંતુ ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ઘટના બાદ તપાસ એજન્સી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનાને લઈ કેરળના ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે. ડીજીપી શેખ દરવેશે આ મામલે નિવેદન આપતા કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર ધડાકો કરવામાં આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ બ્લાસ્ટ શા માટે કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી છે.

     

એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ કર્યું આત્મસમર્પણ

એક તરફ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે.ડીજીપીએ કહ્યું કે એક વ્યક્તિએ ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. એ વ્યક્તિએ દાવો કર્યો છે કે આ ધડાકો તેણે કર્યો છે. જે વ્યક્તિએ આ ધમાકાની જવાબદારી લીધી છે તેનું નામ ડોમિનિક મોર્ટિન છે. તે સભાના એક સમુહમાં હતો. આ બાદ આ મામલે દરેક એંગલથી આની પર તપાસ કરવામાં આવશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .