Kerala Blast મામલે આવી મોટી અપડેટ, આ માણસે સ્વીકારી હુમલાની જવાબદારી! જાણો પોલીસ સ્ટેશનમાં કોણે કર્યું આત્મસમર્પણ?


  • Published By :
  • Published Date : 2023-10-29 19:12:36

રવિવાર સવારે કેરળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક કન્વેન્શન સેન્ટરમાં અચાનક સવારે 9.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. તપાસ એજન્સી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી છે. એનઆઈએની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેનું કારણ શોધાઈ રહ્યું છે. એક તરફ આ મામલે તપાસ ચાલી રહી હતી તો બીજી તરફ એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં ડોમેનિક માર્ટિન નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં કહ્યું કે આ ધડાકો મેં જ કર્યો છે. ધમાકા બાદ અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ મામલે તપાસ કરવા કરાઈ એસઆઈટીની રચના 

કેરળના અર્નાકુલમાં રવિવાર સવારે એક કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં અનેક લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. એવી માહિતી સામે આવી હતી કે એક નહીં પરંતુ ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ઘટના બાદ તપાસ એજન્સી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનાને લઈ કેરળના ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે. ડીજીપી શેખ દરવેશે આ મામલે નિવેદન આપતા કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર ધડાકો કરવામાં આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ બ્લાસ્ટ શા માટે કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી છે.

     

એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ કર્યું આત્મસમર્પણ

એક તરફ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે.ડીજીપીએ કહ્યું કે એક વ્યક્તિએ ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. એ વ્યક્તિએ દાવો કર્યો છે કે આ ધડાકો તેણે કર્યો છે. જે વ્યક્તિએ આ ધમાકાની જવાબદારી લીધી છે તેનું નામ ડોમિનિક મોર્ટિન છે. તે સભાના એક સમુહમાં હતો. આ બાદ આ મામલે દરેક એંગલથી આની પર તપાસ કરવામાં આવશે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.