Kerala Blast મામલે આવી મોટી અપડેટ, આ માણસે સ્વીકારી હુમલાની જવાબદારી! જાણો પોલીસ સ્ટેશનમાં કોણે કર્યું આત્મસમર્પણ?


  • Published By :
  • Published Date : 2023-10-29 19:12:36

રવિવાર સવારે કેરળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક કન્વેન્શન સેન્ટરમાં અચાનક સવારે 9.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. તપાસ એજન્સી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી છે. એનઆઈએની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેનું કારણ શોધાઈ રહ્યું છે. એક તરફ આ મામલે તપાસ ચાલી રહી હતી તો બીજી તરફ એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં ડોમેનિક માર્ટિન નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં કહ્યું કે આ ધડાકો મેં જ કર્યો છે. ધમાકા બાદ અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ મામલે તપાસ કરવા કરાઈ એસઆઈટીની રચના 

કેરળના અર્નાકુલમાં રવિવાર સવારે એક કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં અનેક લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. એવી માહિતી સામે આવી હતી કે એક નહીં પરંતુ ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ઘટના બાદ તપાસ એજન્સી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનાને લઈ કેરળના ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે. ડીજીપી શેખ દરવેશે આ મામલે નિવેદન આપતા કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર ધડાકો કરવામાં આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ બ્લાસ્ટ શા માટે કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી છે.

     

એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ કર્યું આત્મસમર્પણ

એક તરફ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે.ડીજીપીએ કહ્યું કે એક વ્યક્તિએ ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. એ વ્યક્તિએ દાવો કર્યો છે કે આ ધડાકો તેણે કર્યો છે. જે વ્યક્તિએ આ ધમાકાની જવાબદારી લીધી છે તેનું નામ ડોમિનિક મોર્ટિન છે. તે સભાના એક સમુહમાં હતો. આ બાદ આ મામલે દરેક એંગલથી આની પર તપાસ કરવામાં આવશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.