સાંસદ Parshottam Rupala અને Geniben Thakorને સોંપવામાં આવી મોટી જવાબદારી, આ પ્રતિષ્ઠિત સંસ્થાના બનાવવામાં આવ્યા સભ્ય


  • Published By :
  • Published Date : 2024-08-03 17:34:42

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ગુજરાતમાં કોઈ બે નામની ચર્ચા હતી તો એ હતા પરષોત્તમ રુપાલા અને ગેનીબેન ઠાકોરના... ફરી એકવાર આ બે નામની ચર્ચા થઈ છે એટલા માટે કેમ કે ભારત સરકારે તેમને મોટી જવાબદારી આપી છે..... બનાસકાંઠાના સાંસદ ગેનીબેન અને રાજકોટના સાંસદ પરષોત્તમ રુપાલાને ભારત સરકારે વધુ એક જવાબદારી આપી છે......



ગેનીબેન ઠાકોરને અને પરષોત્તમ રૂપાલાને સોંપવામાં આવી જવાબદારી

લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં પરષોત્તમ રુપાલા પોતે કરેલી ટિપ્પણીના કારણે ચર્ચામાં હતા. તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાંસદ બનવા માટે એકલાહાથે ભાજપની સામે લડ્યા એવી ચર્ચાઓ હતી... હવે સાંસદ બની ગયા છે બંને નેતાઓ અને ભારત સરકારે તેમને જવાબદારી આપી છે... બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલાને વધુ એક જવાબદારી ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. 




રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા બે સાંસદોને 

આરોગ્ય વિભાગ તરફથી તેમને હવે દર્દીઓની કાળજી લેવા અને રાજકોટમાં AIIMSના સભ્ય પદે રહેવા માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અને રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલાને ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા છે. સાથે જ રાજકોટના AIIMSના સભ્ય પદે રહી દર્દીઓની સારવારમાં અગ્રેસર રહો તેવી શુભેચ્છાઓ ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી પાઠવવામાં આવી છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આ માહિતી આપી છે. 




બંને નેતાઓને પાઠવામાં આવી રહ્યા છે અભિનંદન

જોકે સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકોટ AIIMSના સભ્ય બનાવતા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સાથે જ રાજકોટ AIIMS ના સભ્ય બનાવતા સાંસદ પરષોતમ રૂપાલાને ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આ નિમણૂક સાથે, ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 



સંસદમાં ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા અનેક મુદ્દા

ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે એઈમ્સના પદ પર રહીને ગેનીબેન દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે. આ સાથે જ રુપાલાને પણ આ પદ મળ્યું છે એટલે તેમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પછી સંસદમાં સતત ગુજરાતના મુદ્દા ઉઠાવતા રહ્યાં છે... અગાઉ 31 જુલાઈએ ગેનીબેન અમિત શાહને પણ મળ્યા હતા. ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વર્ષ 2020થી બંધ કરી દેવામાં આવી છે. તે ગ્રાન્ટ ત્રણેય જિલ્લાઓને ચુકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની  રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.