સાંસદ Parshottam Rupala અને Geniben Thakorને સોંપવામાં આવી મોટી જવાબદારી, આ પ્રતિષ્ઠિત સંસ્થાના બનાવવામાં આવ્યા સભ્ય


  • Published By :
  • Published Date : 2024-08-03 17:34:42

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ગુજરાતમાં કોઈ બે નામની ચર્ચા હતી તો એ હતા પરષોત્તમ રુપાલા અને ગેનીબેન ઠાકોરના... ફરી એકવાર આ બે નામની ચર્ચા થઈ છે એટલા માટે કેમ કે ભારત સરકારે તેમને મોટી જવાબદારી આપી છે..... બનાસકાંઠાના સાંસદ ગેનીબેન અને રાજકોટના સાંસદ પરષોત્તમ રુપાલાને ભારત સરકારે વધુ એક જવાબદારી આપી છે......



ગેનીબેન ઠાકોરને અને પરષોત્તમ રૂપાલાને સોંપવામાં આવી જવાબદારી

લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં પરષોત્તમ રુપાલા પોતે કરેલી ટિપ્પણીના કારણે ચર્ચામાં હતા. તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાંસદ બનવા માટે એકલાહાથે ભાજપની સામે લડ્યા એવી ચર્ચાઓ હતી... હવે સાંસદ બની ગયા છે બંને નેતાઓ અને ભારત સરકારે તેમને જવાબદારી આપી છે... બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલાને વધુ એક જવાબદારી ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. 




રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા બે સાંસદોને 

આરોગ્ય વિભાગ તરફથી તેમને હવે દર્દીઓની કાળજી લેવા અને રાજકોટમાં AIIMSના સભ્ય પદે રહેવા માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અને રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલાને ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા છે. સાથે જ રાજકોટના AIIMSના સભ્ય પદે રહી દર્દીઓની સારવારમાં અગ્રેસર રહો તેવી શુભેચ્છાઓ ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી પાઠવવામાં આવી છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આ માહિતી આપી છે. 




બંને નેતાઓને પાઠવામાં આવી રહ્યા છે અભિનંદન

જોકે સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકોટ AIIMSના સભ્ય બનાવતા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સાથે જ રાજકોટ AIIMS ના સભ્ય બનાવતા સાંસદ પરષોતમ રૂપાલાને ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આ નિમણૂક સાથે, ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 



સંસદમાં ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા અનેક મુદ્દા

ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે એઈમ્સના પદ પર રહીને ગેનીબેન દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે. આ સાથે જ રુપાલાને પણ આ પદ મળ્યું છે એટલે તેમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પછી સંસદમાં સતત ગુજરાતના મુદ્દા ઉઠાવતા રહ્યાં છે... અગાઉ 31 જુલાઈએ ગેનીબેન અમિત શાહને પણ મળ્યા હતા. ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વર્ષ 2020થી બંધ કરી દેવામાં આવી છે. તે ગ્રાન્ટ ત્રણેય જિલ્લાઓને ચુકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની  રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."