જૂનાગઢના ડેમમાં ફેંકાયો દવાઓ, વેક્સિન અને સિરપનો આટલો મોટો જથ્થો! સમગ્ર પ્રકરણ સામે આવતા શરૂ કરાઈ તપાસ!


  • Published By :
  • Published Date : 2023-05-27 16:20:18

રાજ્યના લોકોને સારી મેડિકલ ફેસિલીટિ મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે. દવાઓ, ઈન્જેક્શનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સ્ટોક કરવામાં આવતો હોય છે. પરંતુ જૂનાગઢ જિલ્લાના ભાલચેડા ડેમમાંથી દવાઓ તેમજ વેક્સિન તેમજ સિરપની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે કયા કારણોસર દવાઓનો આટલો મોટો જથ્થો પાણીમાં ફેંકી દેવામાં આવ્યો તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ દવાઓનો જથ્થો કેટલા સમય પહેલા ફેંકવામાં આવ્યો અને કેમ ફેંકવામાં આવ્યો તે અંગે તપાસ થાય તેવી માગ છે.


 

ડેમમાંથી મળી આવ્યો દવાનો જથ્થો!    

આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે. દર્દીઓને દવા માટે અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે માણાવદર-જૂનાગઢ હાઈવે પર આવેલા ડેમમાંથી મોટા પ્રમાણમાં દવાઓ,વેક્સિન, બાટલા અને સિરપનો જથ્થો મળી આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આટલી બધી દવાઓ શા માટે પાણીમાં પધરાવામાં આવી તે અંગે તપાસ કરવા માગ ઉઠી છે. એક તરફ દર્દીઓને દવાઓ નથી મળી રહી અને બીજી તરફ આટલી બધી દવાઓનો જથ્થો મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 5 હજારથી વધુ ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. 


આટલી બધી દવાઓ ડેમમાં કેમ ફેંકવામાં આવી?

આ મામલે જ્યારે જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી ત્યારે તેમણે તપાસ કરાવા અંગનું આશ્વાસન આપ્યું હતું. આ મામલે તપાસ કરાવામાં આવશે. બેચ નંબરના આધારે આ દવાઓની તપાસ થાય તો સાચી હકીકત સામે આવી શકે. મહત્વનું છે કે કોરોના સમયે દવા માટે લોકોને લાચાર બનતા જોયા છે. આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગી થયા વગર કેમ નાખી દેવામાં આવ્યો તે અંગે આરોગ્ય તંત્રને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. આરોગ્ય અધિકારીએ આ મામલે કહ્યું કે સ્થળ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે