જૂનાગઢના ડેમમાં ફેંકાયો દવાઓ, વેક્સિન અને સિરપનો આટલો મોટો જથ્થો! સમગ્ર પ્રકરણ સામે આવતા શરૂ કરાઈ તપાસ!


  • Published By :
  • Published Date : 2023-05-27 16:20:18

રાજ્યના લોકોને સારી મેડિકલ ફેસિલીટિ મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે. દવાઓ, ઈન્જેક્શનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સ્ટોક કરવામાં આવતો હોય છે. પરંતુ જૂનાગઢ જિલ્લાના ભાલચેડા ડેમમાંથી દવાઓ તેમજ વેક્સિન તેમજ સિરપની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે કયા કારણોસર દવાઓનો આટલો મોટો જથ્થો પાણીમાં ફેંકી દેવામાં આવ્યો તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ દવાઓનો જથ્થો કેટલા સમય પહેલા ફેંકવામાં આવ્યો અને કેમ ફેંકવામાં આવ્યો તે અંગે તપાસ થાય તેવી માગ છે.


 

ડેમમાંથી મળી આવ્યો દવાનો જથ્થો!    

આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે. દર્દીઓને દવા માટે અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે માણાવદર-જૂનાગઢ હાઈવે પર આવેલા ડેમમાંથી મોટા પ્રમાણમાં દવાઓ,વેક્સિન, બાટલા અને સિરપનો જથ્થો મળી આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આટલી બધી દવાઓ શા માટે પાણીમાં પધરાવામાં આવી તે અંગે તપાસ કરવા માગ ઉઠી છે. એક તરફ દર્દીઓને દવાઓ નથી મળી રહી અને બીજી તરફ આટલી બધી દવાઓનો જથ્થો મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 5 હજારથી વધુ ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. 


આટલી બધી દવાઓ ડેમમાં કેમ ફેંકવામાં આવી?

આ મામલે જ્યારે જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી ત્યારે તેમણે તપાસ કરાવા અંગનું આશ્વાસન આપ્યું હતું. આ મામલે તપાસ કરાવામાં આવશે. બેચ નંબરના આધારે આ દવાઓની તપાસ થાય તો સાચી હકીકત સામે આવી શકે. મહત્વનું છે કે કોરોના સમયે દવા માટે લોકોને લાચાર બનતા જોયા છે. આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગી થયા વગર કેમ નાખી દેવામાં આવ્યો તે અંગે આરોગ્ય તંત્રને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. આરોગ્ય અધિકારીએ આ મામલે કહ્યું કે સ્થળ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.