જૂનાગઢના ડેમમાં ફેંકાયો દવાઓ, વેક્સિન અને સિરપનો આટલો મોટો જથ્થો! સમગ્ર પ્રકરણ સામે આવતા શરૂ કરાઈ તપાસ!


  • Published By :
  • Published Date : 2023-05-27 16:20:18

રાજ્યના લોકોને સારી મેડિકલ ફેસિલીટિ મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે. દવાઓ, ઈન્જેક્શનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સ્ટોક કરવામાં આવતો હોય છે. પરંતુ જૂનાગઢ જિલ્લાના ભાલચેડા ડેમમાંથી દવાઓ તેમજ વેક્સિન તેમજ સિરપની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે કયા કારણોસર દવાઓનો આટલો મોટો જથ્થો પાણીમાં ફેંકી દેવામાં આવ્યો તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ દવાઓનો જથ્થો કેટલા સમય પહેલા ફેંકવામાં આવ્યો અને કેમ ફેંકવામાં આવ્યો તે અંગે તપાસ થાય તેવી માગ છે.


 

ડેમમાંથી મળી આવ્યો દવાનો જથ્થો!    

આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે. દર્દીઓને દવા માટે અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે માણાવદર-જૂનાગઢ હાઈવે પર આવેલા ડેમમાંથી મોટા પ્રમાણમાં દવાઓ,વેક્સિન, બાટલા અને સિરપનો જથ્થો મળી આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આટલી બધી દવાઓ શા માટે પાણીમાં પધરાવામાં આવી તે અંગે તપાસ કરવા માગ ઉઠી છે. એક તરફ દર્દીઓને દવાઓ નથી મળી રહી અને બીજી તરફ આટલી બધી દવાઓનો જથ્થો મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 5 હજારથી વધુ ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. 


આટલી બધી દવાઓ ડેમમાં કેમ ફેંકવામાં આવી?

આ મામલે જ્યારે જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી ત્યારે તેમણે તપાસ કરાવા અંગનું આશ્વાસન આપ્યું હતું. આ મામલે તપાસ કરાવામાં આવશે. બેચ નંબરના આધારે આ દવાઓની તપાસ થાય તો સાચી હકીકત સામે આવી શકે. મહત્વનું છે કે કોરોના સમયે દવા માટે લોકોને લાચાર બનતા જોયા છે. આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગી થયા વગર કેમ નાખી દેવામાં આવ્યો તે અંગે આરોગ્ય તંત્રને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. આરોગ્ય અધિકારીએ આ મામલે કહ્યું કે સ્થળ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.