Lucknowમાં સરકારી ઓફિસની આવી દુર્દશા! છત પરથી પડતા પોપડા અને ઈંટોથી માથાનું કર્યું આ રીતે રક્ષણ, ફોટો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-25 13:45:00

ભારે વરસાદને કારણે અનેક વખત બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છત પરથી ઈંટ અથવા તો પ્લાસ્ટરના પોપડા ઉખડી જતા હોય છે. ત્યારે લખનઉમાં ભારે વરસાદને કારણે અનેક બિલ્ડીંગોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે એક ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભારે વરસાદને કારણે નગર નિગમની ઓફિસમાં અચાનક છતની સિલિંગ પરથી પ્લાસ્ટર પડવા લાગ્યું. આ ઘટના જ્યારે બની ત્યારે ઓફિસમાં અનેક કર્મચારીઓ હાજર ન હતા. આ ઘટના બાદ કર્મચારીઓ હેલ્મેટ પહેરીને ઓફિસમાં કામ કરી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

લખનઉમાં વરસ્યો હતો ભારે વરસાદ 

સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થતા હોય છે જે અજીબો ગરીબ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઓફિસમાં લોકો હેલ્મેટ પહેરીને કામ કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. બિલ્ડીંગ પડી જવાને કારણે અથવા તો ઘર ધરાશાયી થવાને કારણે લોકો કાટમાળ નીચે દટાઈ જાય છે અને અનેક લોકો આવી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. ત્યારે લખનઉમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોની છત, બિલ્ડીંગોની છતને નુકસાન થયું છે. 



ઓફિસમાં હેલ્મેટ પહેરીને લોકો કરી રહ્યા હતા કામ 

એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં છત પરથી ઉખડતા પોપડા તેમજ ઈંટોથી રક્ષણ મેળવવા માટે ઓફિસના કર્મચારીઓ હેલ્મેટ પહેરી કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના અલીગંજના કપૂરથલા વિસ્તારમાં સ્થિત લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગનો છે. બિલ્ડિંગ 40 વર્ષ જૂની છે તેવી માહિતી સામે આવી છે. 22 ઓગસ્ટના રોજ ભારે વરસાદ વરસ્યો હતો. 


અનેક રજૂઆતો છતાંય ન સંભળાઈ ફરિયાદ

ભારે વરસાદને કારણે પહેલા સિલિંગ પરથી પાણી ટપકવાની શરૂઆત થઈ. પાણી બાદ છત ઉપરથી પ્લાસ્ટર પડી ગયું. અને તેની સાથે ઈંટો પણ પડી રહી હતી. ઈંટો પડવાને કારણે ઓફિસની ટાઈલ્સ પણ તૂટી પડી હતી. ઘટનાની જાણ થતાં નગર નિગમના અધિકારી અને ઈંજિનિયર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અનેક વખત આ મામલે રજૂઆત પણ કરવામાં આવી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ફરિયાદ કરાઈ છતાંય કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી.    



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.