Lucknowમાં સરકારી ઓફિસની આવી દુર્દશા! છત પરથી પડતા પોપડા અને ઈંટોથી માથાનું કર્યું આ રીતે રક્ષણ, ફોટો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-25 13:45:00

ભારે વરસાદને કારણે અનેક વખત બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છત પરથી ઈંટ અથવા તો પ્લાસ્ટરના પોપડા ઉખડી જતા હોય છે. ત્યારે લખનઉમાં ભારે વરસાદને કારણે અનેક બિલ્ડીંગોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે એક ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભારે વરસાદને કારણે નગર નિગમની ઓફિસમાં અચાનક છતની સિલિંગ પરથી પ્લાસ્ટર પડવા લાગ્યું. આ ઘટના જ્યારે બની ત્યારે ઓફિસમાં અનેક કર્મચારીઓ હાજર ન હતા. આ ઘટના બાદ કર્મચારીઓ હેલ્મેટ પહેરીને ઓફિસમાં કામ કરી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

લખનઉમાં વરસ્યો હતો ભારે વરસાદ 

સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થતા હોય છે જે અજીબો ગરીબ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઓફિસમાં લોકો હેલ્મેટ પહેરીને કામ કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. બિલ્ડીંગ પડી જવાને કારણે અથવા તો ઘર ધરાશાયી થવાને કારણે લોકો કાટમાળ નીચે દટાઈ જાય છે અને અનેક લોકો આવી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. ત્યારે લખનઉમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોની છત, બિલ્ડીંગોની છતને નુકસાન થયું છે. 



ઓફિસમાં હેલ્મેટ પહેરીને લોકો કરી રહ્યા હતા કામ 

એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં છત પરથી ઉખડતા પોપડા તેમજ ઈંટોથી રક્ષણ મેળવવા માટે ઓફિસના કર્મચારીઓ હેલ્મેટ પહેરી કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના અલીગંજના કપૂરથલા વિસ્તારમાં સ્થિત લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગનો છે. બિલ્ડિંગ 40 વર્ષ જૂની છે તેવી માહિતી સામે આવી છે. 22 ઓગસ્ટના રોજ ભારે વરસાદ વરસ્યો હતો. 


અનેક રજૂઆતો છતાંય ન સંભળાઈ ફરિયાદ

ભારે વરસાદને કારણે પહેલા સિલિંગ પરથી પાણી ટપકવાની શરૂઆત થઈ. પાણી બાદ છત ઉપરથી પ્લાસ્ટર પડી ગયું. અને તેની સાથે ઈંટો પણ પડી રહી હતી. ઈંટો પડવાને કારણે ઓફિસની ટાઈલ્સ પણ તૂટી પડી હતી. ઘટનાની જાણ થતાં નગર નિગમના અધિકારી અને ઈંજિનિયર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અનેક વખત આ મામલે રજૂઆત પણ કરવામાં આવી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ફરિયાદ કરાઈ છતાંય કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.