Lucknowમાં સરકારી ઓફિસની આવી દુર્દશા! છત પરથી પડતા પોપડા અને ઈંટોથી માથાનું કર્યું આ રીતે રક્ષણ, ફોટો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-25 13:45:00

ભારે વરસાદને કારણે અનેક વખત બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છત પરથી ઈંટ અથવા તો પ્લાસ્ટરના પોપડા ઉખડી જતા હોય છે. ત્યારે લખનઉમાં ભારે વરસાદને કારણે અનેક બિલ્ડીંગોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે એક ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભારે વરસાદને કારણે નગર નિગમની ઓફિસમાં અચાનક છતની સિલિંગ પરથી પ્લાસ્ટર પડવા લાગ્યું. આ ઘટના જ્યારે બની ત્યારે ઓફિસમાં અનેક કર્મચારીઓ હાજર ન હતા. આ ઘટના બાદ કર્મચારીઓ હેલ્મેટ પહેરીને ઓફિસમાં કામ કરી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

લખનઉમાં વરસ્યો હતો ભારે વરસાદ 

સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થતા હોય છે જે અજીબો ગરીબ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઓફિસમાં લોકો હેલ્મેટ પહેરીને કામ કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. બિલ્ડીંગ પડી જવાને કારણે અથવા તો ઘર ધરાશાયી થવાને કારણે લોકો કાટમાળ નીચે દટાઈ જાય છે અને અનેક લોકો આવી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. ત્યારે લખનઉમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોની છત, બિલ્ડીંગોની છતને નુકસાન થયું છે. 



ઓફિસમાં હેલ્મેટ પહેરીને લોકો કરી રહ્યા હતા કામ 

એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં છત પરથી ઉખડતા પોપડા તેમજ ઈંટોથી રક્ષણ મેળવવા માટે ઓફિસના કર્મચારીઓ હેલ્મેટ પહેરી કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના અલીગંજના કપૂરથલા વિસ્તારમાં સ્થિત લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગનો છે. બિલ્ડિંગ 40 વર્ષ જૂની છે તેવી માહિતી સામે આવી છે. 22 ઓગસ્ટના રોજ ભારે વરસાદ વરસ્યો હતો. 


અનેક રજૂઆતો છતાંય ન સંભળાઈ ફરિયાદ

ભારે વરસાદને કારણે પહેલા સિલિંગ પરથી પાણી ટપકવાની શરૂઆત થઈ. પાણી બાદ છત ઉપરથી પ્લાસ્ટર પડી ગયું. અને તેની સાથે ઈંટો પણ પડી રહી હતી. ઈંટો પડવાને કારણે ઓફિસની ટાઈલ્સ પણ તૂટી પડી હતી. ઘટનાની જાણ થતાં નગર નિગમના અધિકારી અને ઈંજિનિયર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અનેક વખત આ મામલે રજૂઆત પણ કરવામાં આવી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ફરિયાદ કરાઈ છતાંય કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.