આવા દ્રશ્યો અનેક અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળતા હશે...! જુઓ Dahodમાં આવેલા સિંગાપોરના દ્રશ્યો જ્યાં નળ તો પહોંચ્યો પરંતુ પાણી નહીં...


  • Published By :
  • Published Date : 2024-03-21 16:23:43

આપણે મોટા મોટા શહેરોમાં રહીએ છીએ એટલે કદાચ આપણે એ મુશ્કેલીને નહીં સમજી શકીએ જે નાના ગામડાઓમાં રહેતા લોકોને પડતી હોય છે... વાત ખરાબ અને ખોટી પણ લાગી શકે છે પરંતુ આ વાસ્તવિક્તા છે આપણા ત્યાંની. આઝાદીને આટલા વર્ષ થઈ ગયા પરંતુ આજે પણ વિકસીત ગુજરાતના અનેક એવા ગામો છે જ્યાં પાણી નથી પહોંચી શક્યું. લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે સરકાર અનેક યોજના લાવી. નલ સે જલ યોજનાના કારણે અનેક લોકોને લાભ થયો એની ના નથી પણ પરંતુ તે લોકોનું શું જેમના ઘરે નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું. 

દાહોદનું એક ગામ જ્યાં નથી પહોંચ્યું પાણી

નલ સે જલ યોજનાની પોલ અનેક વખત ખોલી છે, આજે ફરી એક વખત એવા દ્રશ્યો બતાવવા છે જે અનેક વખત બતાવી ચૂક્યા છે. એક એવું ગામ બતાવવું છે જ્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ આજે પણ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. નળ છે પરંતુ પાણીની સુવિધા નથી. આજે જે ગામની વાત કરવી છે તે ગામ દાહોદ પાસેનું છે અને તે ગામનું નામ છે સિંગાપોર.. ગામ બદલાય છે જિલ્લો બદલાય છે પરંતુ નથી બદલાતા દ્રશ્યો, નથી બદલાતી લોકોની પરિસ્થિતિ... 


શહેર બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી  

એક સમય હતો જ્યારે લોકોને પાણી ભરવા માટે અનેક કિલોમીટરો દુર જવું પડતું હતું. નદીના કિનારે પાણી માટે લોકો જતા હતા. અનેક વર્ષો બાદ પરિસ્થિતિ બદલાઈ..  અનેક ઘરોમાં નળની સુવિધા પહોંચી. નળમાંથી પાણી આવવા લાગ્યું અને તેમનું જીવન સરળ બની ગયું. આઝાદીના અનેક વર્ષો વિત્યા પરંતુ હજી સુધી પણ પરિસ્થિતિ નથી બદલાઈ. શહેરોમાં પરિસ્થિતિ બદલાઈ છે પરંતુ ગામડાઓમાં, અંતરિયાળ વિસ્તારના લોકો તો હજી એ જ પરિસ્થિતિ સ્થિતિમાં જીવે છે આટલા વર્ષો બાદ પણ... અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે નલ સે જળ યોજનાની શરૂઆત કરવામાં આવી. 


નળ પહોંચી ગયો છે તો પાણી પણ પહોંચી જશે!

નલ સે જળ યોજના અંતર્ગત નળથી ગામડાઓના ઘરમાં પાણી પહોંચાડવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા કામ પણ કરવામાં આવ્યા છે, યોજના અંતર્ગત કામ પણ થયું છે અને લોકોના ઘર સુધી નળથી પાણી પણ પહોંચ્યું છે. પરંતુ આ તો થઈ ખાલી થોડી જગ્યાઓની વાત. મુખ્યત્વેના ગામોમાં માત્ર નળ પહોંચ્યા છે પાણી નથી પહોંચ્યું. નળ લગાયે વર્ષો થઈ ગયા પરંતુ પાણી નથી આવ્યું. એવું પણ માની લઈએ કે નળ તો પહોંચી ગયા તો આવનાર સમયમાં પાણી પણ પહોંચી જશે. 



પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે નલ સે જલ યોજના

એવી આશા પણ રાખીએ કે સરકારને ખબર હશે ને કે આ જગ્યા પર માત્ર નળ પહોંચ્યો છે પાણી નથી પહોંચ્યું...! પરંતુ આ આશા ત્યારે મરી જાય જ્યારે સરકાર તરફથી એવું કહેવામાં આવે કે 100 ટકા નલ સે જલ યોજનાનો અમલ થઈ ગયો છે. 2022માં વિધાનસભાની ચૂંટણી વખતે આવી વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. સરકારની કદાચ એ ફરજમાં આવે છે કે એક વખત અંતરિયાળ વિસ્તારમાં જઈને જોવે કે સાચે 100 ટકા કામ પૂર્ણ થયું છે ખરૂં?           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.