રાજ્યમાં આવી મેઘસવારી... છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો વરસાદ માટે કરાયેલી આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-26 11:18:34

ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાનું આગમન વિધિવત રીતે થઈ ગયું છે. ગુજરાતમાં સત્તવાર રીતે ચોમાસુ બેસી ગયું છે. ચોમાસાનું આગમન થતાં ખેડૂતોમાં તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. વરસાદને કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ગરમીથી છુટકારો મળ્યો છે. 


રાજ્યમાં થઈ ચોમાસાની એન્ટ્રી

ઋતુચક્રમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હતો. એક જ દિવસમાં જાણે ત્રણેય ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ચોમાસું આવે તે પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું. જેની સીધી અસર ચોમાસાની સિસ્ટમ પર પડી હતી. જેને કારણે ચોમાસાનું આગમન લેટ થયું હતું. પરંતુ ગુજરાતીઓની આતુરતાનો અંત આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં 5.6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. તે સિવાય ભરૂચ, સાયલા, ધોરાજીમાં બે ઈંચ જેટલો વરસાધ ખાબક્યો હતો. તે ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, વાપી, અંકલેશ્વર, બોટાદમાં પણ વરસાદ વરસ્યો હતો.     



આગામી પાંચ દિવસ માટે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 30 તારીખ સુધી રાજ્યમાં મેઘરાજા મહેરબાન રહેવાના છે. રવિવારના દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદની પધરામણી થઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.