રાજ્યમાં આવી મેઘસવારી... છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો વરસાદ માટે કરાયેલી આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-26 11:18:34

ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાનું આગમન વિધિવત રીતે થઈ ગયું છે. ગુજરાતમાં સત્તવાર રીતે ચોમાસુ બેસી ગયું છે. ચોમાસાનું આગમન થતાં ખેડૂતોમાં તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. વરસાદને કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ગરમીથી છુટકારો મળ્યો છે. 


રાજ્યમાં થઈ ચોમાસાની એન્ટ્રી

ઋતુચક્રમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હતો. એક જ દિવસમાં જાણે ત્રણેય ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ચોમાસું આવે તે પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું. જેની સીધી અસર ચોમાસાની સિસ્ટમ પર પડી હતી. જેને કારણે ચોમાસાનું આગમન લેટ થયું હતું. પરંતુ ગુજરાતીઓની આતુરતાનો અંત આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં 5.6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. તે સિવાય ભરૂચ, સાયલા, ધોરાજીમાં બે ઈંચ જેટલો વરસાધ ખાબક્યો હતો. તે ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, વાપી, અંકલેશ્વર, બોટાદમાં પણ વરસાદ વરસ્યો હતો.     



આગામી પાંચ દિવસ માટે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 30 તારીખ સુધી રાજ્યમાં મેઘરાજા મહેરબાન રહેવાના છે. રવિવારના દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદની પધરામણી થઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.